________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः २ नारकाणां भव्यत्वादि ७९ सूत्रम् અચરમ–જેઓનો છેલ્લો ભવ નથી તે, યાવતુ વૈમાનિક પર્યંત બબ્બે ભેદ જાણવા (૧૬). I૭૯ (ટી) સોળ દંડક (સૂત્ર)માં ભવ્યદંડક સુગમ છે (૧), અનંતરદંડકમાં 'અ ંતર'ત્તિ॰ એક જીવની સાથે બીજા જીવો અંતર વિના (તે જ સમયમાં) ઉત્પન્ન થયેલા તે અનંતરોપપત્રકો અને પૂર્વોક્તથી વિપરીત રીતે (એક પછી એક, ભિન્ન ભિન્ન સમયે) ઉત્પન્ન થયેલા તે પરંપરોપપત્રકો. અથવા વિવક્ષિત દેશ (ક્ષેત્ર)ની અપેક્ષાએ જે અંતર રહિતપણાએ ઉત્પન્ન થયેલા તે અનંતરોપપત્રકો અને વિવક્ષિત દેશમાં પરંપરાએ ઉત્પન્ન થયેલા તે પરંપરોપપત્રકો (૨), ગતિદંડકમાં ગતિસમાપત્રકો-નરકમાં જતા અને બીજા નરકમાં ગયેલા તે અગતિસમાપત્રકો, અથવા નારકપણાને પ્રાપ્ત થયેલા તે ગતિસમાપન્નકો અને જેણે નરકગતિનું આયુષ્ય બાંધ્યું છે તે દ્રવ્યનારકો અગતિસમાપત્રકો છે. અથવા ચલત્વ અને સ્થિરત્વની અપેક્ષાએ ક્રમશઃ ગતિસમાપન્નકો અને અગતિસમાપન્નકો જાણવા (૩), પ્રથમસમયદંડકમાં 'પદમે'ત્યાદ્િ॰ જેઓને ઉત્પન્ન થયે પ્રથમ સમય થયેલ છે તે પ્રથમસમયોપપત્રકો અને તેથી જુદા (બે વગેરે સમયના ઉત્પન્ન થયેલા) તે અપ્રથમસમયોપપત્રકો (૪), આહારદંડકમાં આહારકો હમેશાં હોય છે, અનાહારકો તો વિગ્રહગતિમાં એક સમય અથવા બે સમય સુધી હોય છે. જે ત્રસનાડીમાં મરણ પામીને ત્રસનાડીમાં જ ઉત્પન્ન થાય છે તેની અપેક્ષાએ આ હકીકત જાણવી. અન્યથા–બીજી રીતે ત્રણ સમય પર્યંત અનાહારક હોય છે (૫), ઉચ્છ્વાસદંડકમાં જે શ્વાસોચ્છ્વાસ લે છે તે ઉચ્છ્વાસકો, તે ઉચ્છ્વાસપર્યાપ્ત વડે પર્યાપ્તકો અને તેથી ભિન્ન ઉચ્છ્વાસપર્યાપ્ત વડે અપર્યાપ્તકો તે નોવાસકો (૬), ઇંદ્રિયદંડકમાં ઇંદ્રિયપર્યાપ્ત વડે પર્યાપ્તકો તે સેંદ્રિયો અને ઇંદ્રિયપર્યાપ્તિ વડે અપર્યાપ્તા તે અનિંદ્રિયો (૭), પર્યાપ્તદંડકમાં પર્યાપ્તનામકર્મના ઉદયથી પર્યાપ્તા છે અને અપર્યાપ્તનામકર્મના ઉદયથી અપર્યાપ્તા છે (૮), સંશીદંડકમાં મન:પર્યાતિ વડે પર્યાપ્તકો તે સંશી—સંજ્ઞાવાળા અને મન:પર્યાપ્ત વડે અપર્યાપ્તકો તે અસંશી છે. 'છ્યું પત્તિ'િત્યાર્િ॰ એટલે કે જેમ નારકો સંજ્ઞી અને અસંશીના ભેદ વડે કહેલા છે તેમ, 'વં વિલેંદ્રિયવપ્ન'ત્તિ વિકલ–અપરિપૂર્ણ સંખ્યાવિશિષ્ટ ઇન્દ્રિયો છે જેઓને તે વિકલેંદ્રિયોને (પૃથ્વી વગેરે, હ્રીંદ્રિય, ત્રદ્રિય અને ચતુરિંદ્રિયો) વર્જીને ચોવીશ દંડકમાં જે બીજા પંચેંદ્રિયો અસુર વિગેરે હોય છે તે સર્વને સંશી અને અસંશીપણાએ કહેવા, અર્થાત્ છેલ્લું દંડક—જ્ઞાવ વેમાળિય'ત્તિ॰ યાવત્ વૈમાનિક દંડક પર્યંત પણ એવી રીતે જ કહેવા. કોઈ પ્રતમાં 'ગાવ વાળવંતરિય'ત્તિ॰ એવો પાઠ છે, ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો અસંજ્ઞીઓમાંથી નારકાદિપણાએ ઉત્પન્ન થાય છે તે અસંશીઓ જ [અપર્યાપ્ત અવસ્થામાં] કહેવાય છે, અને અસંશીઓ નારકાદિથી આરંભીને યાવત્ વ્યંતર સુધીમાં ઉત્પન્ન થાય છે પરંતુ જ્યોતિષ્ક અને વૈમાનિકોને વિષે ઉત્પન્ન થતા નથી. તેઓને અસંશીપણાનો અભાવ હોવાથી તેઓનું અહિં ગ્રહણ કરેલ નથી (૯), ભાષાદંડકમાં ભાષાપર્યાપ્તિના ઉદયમાં ભાષકો છે અને ભાષાપર્યામિની અપર્યાપ્તક અવસ્થામાં અભાષકો છે. એકેંદ્રિયોને ભાષાપર્યાપ્તિ નથી તેથી કહે છે—'ધ્વનિ'ત્યાદ્રિ (૧૦), સમ્યગ્દૃષ્ટિદંડકમાં એકેંદ્રિયોને સમ્યક્ત્વ નથી, હ્રીંદ્રિયો વગેરેને તો સાસ્વાદન સમ્યક્ત્વ હોય, પરન્તુ એટલા માટે કહ્યું છે કે—'પિિયવન્ના સવ્વ’ત્તિ (૧૧), સંસારદંડકમાં સંક્ષિપ્ત-થોડા ભવવાળા તે પરીત્તસંસારિકો અને અનંતભવવાળા તે અનંતસંસારિકો (૧૨), સ્થિતિદંડકમાં કાળ શબ્દનો અર્થ કાળો વર્ણ પણ હોય, સમય શબ્દનો અર્થ આચાર પણ થાય, પરન્તુ અહિં કાલરૂપ સમય તે કાળસમય, વર્ષના પ્રમાણથી સંખ્યા કરવા યોગ્ય છે. સંખ્યાત કાળસમયરૂપ સ્થિતિ (રહેવું) છે જેઓની તે સંધ્યેયકાળસમયસ્થિતિકો દશ હજાર વર્ષ વગેરે સ્થિતિવાળા, બીજા પલ્યોપમના અસંખ્યેયભાગાદિ સ્થિતિવાળા તે અસંખ્યેયકાલસમયસ્થિતિકો જાણવા. 'સંવિગ્નાનવિદ્ય'ત્તિ એવો પાઠ પણ કોઈ પ્રતમાં છે, પણ તે સુગમ છે. 'મિ'ત્તિ આ પ્રમાણે નારકની માફક બે પ્રકારે સ્થિતિવાળા દંડકો કહ્યા. શું બધા ય દંડકો કહ્યા? એ પ્રશ્નના જવાબમાં કહે છે કે—એમ
1. સામાન્ય જીવની અપેક્ષાએ આ કથન છે. 2. આ વ્યાખ્યા સામાન્ય પ્રકારે છે, કારણ કે અપર્યાપ્તનામકર્મના ઉદયવાળા (લબ્ધિઅપર્યાપ્તક) ના૨ક અને દેવમાં સંભવે નહિ અને પ્રસ્તુત સૂત્રમાં 'નાવ વેમાળિયા' કહેલ છે, માટે અહિ એમ જણાય છે કે જે જીવોએ સ્વયોગ્ય પર્યાતિ પૂર્ણ કરેલ નથી એવા કરણઅપર્યાપ્ત જીવોની અપેક્ષાએ નારક અને દેવો અપર્યાપ્ત હોય છે. અથવા કરણઅપર્યાસિકાલમાં પણ અપર્યાપ્તનામકર્મનો ઉદય હોય એમ સંભવે છે.
92