________________
२ स्थानकाध्ययने उद्देशः २ नारकाणां गत्यागती ७८ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ જેઓની સ્થિરતા છે તે ચારસ્થિતિકો, તે સમયક્ષેત્ર (અઢીદ્વિીપ)થી બહાર રહેનારા ઘંટાની આકૃતિવાળા છે. તથા ગમનમાં જેઓને રતિ છે તે ગતિરતિકો સમયક્ષેત્રમાં વર્તનારા છે. ગતિરતિકો સતત (નિરંતર) ગતિ નહિ કરનારા પણ હોય છે, આ કારણથી ગતિ-ગમનને સમિતિ-નિરંતર કાપત્રી–પ્રાપ્ત થયેલા તે ગતિસમાપત્રકો-વિરામ નહિ પામનારા છે. પૂર્વોક્ત ચાર પ્રકારના દેવોને નિરંતર, જે પાપકર્મ-જ્ઞાનાવરણાદિ, જીવોને નિરંતર બંધકપણું હોવાથી શ્રિયતે–બંધાય છે (આ કર્મકતૃપ્રયોગ છે), તે દેવો કર્મના અબાધાકાલનું ઉલ્લંઘન થયે છતે 'તત્થાવ'ત્તિ. 'પ' અવ્યય એવકાર (ચોક્કસ) અર્થમાં છે, તેનો પ્રયોગ આવી રીતે-તત્રવ–દેવોના ભવમાં જ, કલ્પાતીત દેવોનો બીજા ક્ષેત્રમાં ગમનનો અસંભવ હોવાથી અહિં તત્ર અને અન્યત્ર શબ્દ વડે ભવ જ અર્થ વિવણિત-ઇચ્છિત છે; પરંતુ ક્ષેત્ર, શયન અને આસનાદિ વિવક્ષિત નથી, માટે દેવભવમાં વર્તનારા કેટલાએક દેવો, વેના–ઉદયરૂપ વિપાક(ફળ)ને અનુભવે છે. 'અન્નત્થપાયાવિ'ત્તિ દેવભવથી બીજા જ ભવાંતરમાં ઉત્પન્ન થયેલાઓ વેદનાને અનુભવે છે. કેટલાએક તો આ ભવ અને પરભવમાં પણ વેદનાને અનુભવે છે. બીજા કેટલાએક જીવો વિપાકોદયની અપેક્ષાએ આ ભવમાં અને પરભવમાં પણ વેદનાને અનુભવતા નથી, આ બે વિકલ્પ સૂત્રમાં જણાવેલ નથી, કારણ કે બે સ્થાનકનો અધિકાર ચાલુ છે (૧), સૂત્રમાં કહેલ બે વિકલ્પ, સર્વ જીવોમાં ચોવીશ દંડક વડે પ્રરૂપણા કરતા થકા કહે છે–અનેરા'મિત્ય૦િ આ સૂત્ર પ્રાયઃ સુગમ છે. વિશેષ કહે છે—'તથા યાવિ મન્નત્યયાવિ' એવી રીતે અભિલાપ વડે દંડક, યાવતુ પંચેદ્રિયતિર્યંચ સુધી જાણવો. આ કારણથી કહે છે—'નાd'ત્યા૦િ મનુષ્યોમાં વળી અભિલાપ વિશેષ જાણવા યોગ્ય છે, જેમ ' તાવિ પૂરૂયા' રૂતિ. સૂત્રકાર–ગણધર મહારાજા પણ મનુષ્ય હતા, આ કારણથી પરોક્ષરૂપ અનાસ(દૂર)ના કથનભૂત તત્ર' શબ્દને ન મૂકીને મનુષ્ય-સૂત્રમાં 'રૂ' એવા શબ્દનો નિર્દેશ કર્યો છે, કારણ કે
મનુષ્યભવના સ્વીકારપણાએ પ્રત્યક્ષાસન્નવાચક રૂમ શબ્દનો વિષય છે. એટલા જ માટે કહે છે–પુસવના સંસા : ઇમ'ત્તિ શેષ એટલે વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકો સરખા અભિલાપવાળા છે. શંકા–પહેલા સૂત્રમાં જ જ્યોતિષ્ક
અને વૈમાનિક દેવોનો વિવક્ષિત અર્થ કહેલ હોવાથી અહિં ફરીને જ્યોતિષ્ઠાદિ દેવોનું કથન કરવા વડે શો હેતુ છે? સમાધાન-પ્રથમ સૂત્રમાં અનુષ્ઠાન (અનશનાદિ ક્રિયા)ના ફળને દેખાડવાના પ્રસંગ વડે ભેદ (વિશેષ)થી કહેલ છે. અહીં તો દંડકના ક્રમ વડે સામાન્યથી જણાવેલ હોવાથી દોષ નથી. અહિં દેખાય છે તે તે સૂત્રમાં વિશેષનું કથન હોવા છતાં પણ સામાન્યનું કથન છે, સામાન્યના કથનમાં તો વિશેષનું કથન હોય છે (૨). ll૭૭l
ત્યાં રહ્યા થકા વેદનાને અનુભવે છે એમ કહેલું છે, આ કારણથી નારકાદિની ગતિ અને આગતિનું નિરૂપણ કરતા થકા કહે છે नेरतिता दुगतिया दुयागतिया पन्नत्ता, तंजहा–नेरइए नेरइएसु उववज्जमाणे मणुस्सेहिंतो वा पंचिंदियतिरिक्खजोणिएहिंतो वा उववज्जेज्जा, से चेव णं से नेरइए णेरइयत्तं विप्पजहमाणे मणुस्सत्ताए वा पंचेंदियतिरिक्खजोणियत्ताए वा गच्छेज्जा। एवं असुरकुमारा वि, णवरं, से चेव णं से असुरकुमारे असुरकुमारत्तं विप्पजहमाणे मणुस्सत्ताए वा तिरिक्खजोणियवत्ताए वा गच्छिज्जा, एवं सव्वदेवा (१)। पुढविकाइया दुगतिया दुयागतिया पन्नत्ता, तंजहा–पुढविकाइए पुढविकाइएसु उववज्जमाणे पुढविकाइएहितो वा णोपुढविकाइएहिंतो वा उववज्जेज्जा,सेचेवणं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए वा णोपुढविकाइयत्ताए वा गच्छेज्जा, एवं जाव मणुस्सा (२) ॥ सू० ७८॥ (મૂળ) નરયિકો બે ગતિમાં જનારા અને બે ગતિમાંથી આવનારા કહેલ છે, તે આ પ્રમાણે–નરયિક (નરકાયુના ઉદયવાળો),
નરયિકોને વિષે ઉત્પન્ન થયો થકો મનુષ્યોમાંથી અથવા પંચેન્દ્રિયતિયચયોનિકોમાંથી ઉત્પન્ન થાય તેથી નૈરયિક, નરયિકપણાને • 1. નરકાયુના ઉદયવાળો તે નૈરયિક કહેવાય. આ પ્રમાણે જુસૂત્રનયના અભિપ્રાયથી દરેક દડકમાં સમજવું.
_ 89