________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः २ तत्रान्यत्रकर्मवेदनं ७७ सूत्रम्
अथ द्वितीयस्थानकाध्ययने द्वितीयः उद्देशः
અહિં પ્રથમ ઉદેશકમાં દ્વિત્વવિશિષ્ટ જીવ તથા અજીવના ધર્મો કહ્યા. હવે બીજા ઉદેશકમાં તો દ્ધિત્વવિશિષ્ટ જ જીવના ધર્મો કહેવાય છે. આ સંબંધ વડે પ્રાપ્ત થયેલ આ ઉદેશકનું પ્રથમ સૂત્રजे देवा उड्ढोववन्नगा' कप्पोववनगा विमाणोववन्नगा चारोववनगा चारद्वितीया गतिरतिया गतिसमावनगा, तेसि णं देवाणं सता समितं जे पावेकम्मे कज्जति तत्थगता वि एगतिया वेदणं वेति, अन्नत्थगता वि एगतिया તેમાં વેતિ (૨) णेरइयाणं सता समियंजे पावे कम्मे कज्जति तत्थगता वि एगतिया वेयणं वेदेति अन्नत्थगता वि एगतिआ वेयणं वेदेति, जाव पंचेंदियतिरिक्खजोणियाणं। मणुस्साणं सता समितं जे पावे कम्मे कज्जति इहगता वि एगतिता वेयणं वेयंति अन्नत्थगता वि एगतिया वेयणं वेयंति, मणुस्सवज्जा सेसा एक्कगमा (२) ।। सू० ७७।। (મૂ૦) જે દેવો ઊલોકમાં ઉત્પન્ન થયેલા છે, તે બે પ્રકારે છે–૧ કલ્પપત્રક—સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થયેલા અને ૨
વિમાનોપપત્રક-નૈવેયકાદિમાં ઉત્પન્ન થયેલા. બીજા પણ કહે છે–ચારોપપત્રક–જ્યોતિષ્કો, તેના પણ બે ભેદ છે૧ ચારસ્થિતિક-સ્થિર જયોતિષ્કો, તે અઢીદ્વીપની બહાર છે, જે ગતિરતિક-ગતિસમાપત્રકો જે અઢીદ્વીપમાં રહેલા છે. તે દેવો વડે નિરંતર જે પાપકર્મ કરાય છે બંધાય છે તે પાપના ફલને દેવભવમાં રહ્યા છતાં જ કેટલાએક દેવો ભોગવે છે, અને કેટલાએક પાપના લને ભવાંતરમાં વેદે છે (૧), નૈરયિકોને સદા-નિરંતર જે પાપકર્મ બંધાય છે તે ત્યાં રહ્યા છતાં પણ કેટલાએક નારકો પાપના ફળને વેદે છે. અને કેટલાએક ભવાંતરમાં ગયા છતાં પાપના ફળને વેદે છે. એવી રીતે યાવતું પંચેદ્રિયતિર્યંચો સુધી જાણવું. મનુષ્યોને સદા-નિરંતર જે પાપકર્મ બંધાય છે તે અહિં જ. રહ્યા છતાં કેટલાએક મનુષ્યો પાપના ફળને ભોગવે છે, અને કેટલાએક ભવાંતરમાં પણ પાપકર્મના ફળને ભોગવે છે. મનુષ્યને છોડીને શેષ વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકો છે તે એક અભિલાષવાળા છે—સમાન પાઠવાળા છે (૨).
/૭૭ll (ટી) ને વે'ત્યાદિઆ સૂત્રનો પૂર્વે કહેલ સૂત્ર સાથે સંબંધ છે. પ્રથમ ઉદેશકના છેલ્લા સૂત્રમાં પાદપોપગમન અનશન કહ્યું, તેનાથી કેટલાએક જીવોને દેવપણું પ્રાપ્ત થાય છે, તે કારણથી દેવ વિશેષ કહેવા વડે તેના કર્મબંધન અને વેદનનું પ્રતિપાદન કરતા થકા કહે છે–ને 'ત્યાદિ જે સુરો–આગળ કહેવામાં આવશે તે વૈમાનિક દેવો, અનશન વગેરેથી ઉત્પન્ન થાય છે, તે કેવા છે—'સદ્ધ'ત્તિ ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા તે ઊર્ધ્વપપત્રકો બે પ્રકારે છે–૧ કલ્પપપત્રકોસૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થયેલા, તથા ૨ વિમાનોપપત્રકો–શૈવેયક અને અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા વિમાનોપપત્રકો કલ્પાતીત છે. બીજા બે પ્રકાર પણ કહે છે—'વારોવવઝ'ત્તિ પતિજ્યોતિષ્કના વિમાનો જ્યાં ભ્રમણ કરે છે તે ચાર, તે સમસ્ત જ્યોતિશ્ચક્ર ક્ષેત્ર છે. કારણ? માત્ર વ્યુત્પત્યર્થની અપેક્ષા કરીને શબ્દની પ્રવૃત્તિના નિમિત્તનો આશ્રય કરવાથી, તેમાં ઉત્પન્ન થયેલા તે ચારોપપત્રકો—જ્યોતિષ્ઠો છે. પાદપોપગમન વગેરે કરવાથી જ્યોતિષ્કપણું પ્રાપ્ત ન થાય એમ ન કહેવું, કારણ કે પરિણામવિશેષથી તેમ પણ થાય છે. જ્યોતિષ્કો પણ બે પ્રકારે છે, તે આ પ્રમાણે ચાર–જ્યોતિક્ર ક્ષેત્રમાં 1. બાબૂવાળી પ્રતમાં તે સુવિદ પં તં—આવો પાઠ છે, સમિતિની પ્રતમાં નથી.
88