________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
આવે ત્યારે યદચ્છાદાન માનેલું છે.
આવું જે યદચ્છાદાન છે, એનો તો અમે નિષેધ કરતાં જ નથી, પણ અ આવા પ્રકારનું નથી, તેનો જ પ્રતિષેધ કરાયેલો છે. અર્થાત્ સાધુ-સંતોને આપવાની ઈચ્છાથી પહેલેથી જે વધારે બનાવવામાં આવે તેનો જ નિષેધ કરેલો છે.
પ્રશ્ન : પણ એનો નિષેધ શા માટે ?
ઉત્તર : ગૃહસ્થે એ ભોજનાદિ બનાવવામાં આરંભ કર્યો, તેમાં નિચિત્ત બનવાના કારણે એ આરંભનો દોષ સાધુને લાગે માટે તેનો નિષેધ કરેલો છે.
न
પ્રશ્ન : તો યદચ્છાદાનમાં આરંભદોષ સાધુને ન લાગે ?
ય
અધ્ય. ૫.૧ સૂત્ર-૪૯, ૫૦
ઉત્તર ઃ યદચ્છાદાનમાં તો સાધુ સંતાદિના અભાવમાં પણ પેલો ગૃહસ્થ આરંભની પ્રવૃત્તિ કરે જ છે. પોતાના માટે રાંધે જ છે. એટલે એ આરંભ ‘સાધુ માટે થયેલો છે’ સ્તુ એમ ન કહેવાય. એટલે જ અહીં સાધુને આરંભદોષ ન લાગે.
વળી બીજી વાત એ કે સૂતકાદિમાં જેમ સર્વને પ્રદાનરહિત એવી શિષ્ટ તરીકે મૈં મનાયેલાઓની પણ પાકપ્રવૃત્તિ થાય છે, એમ ક્યારેક સર્વને પ્રદાનરહિત એવી શિષ્ટ ત મે તરીકે મનાયેલાઓની પણ પાકપ્રવૃત્તિ દેખાય જ છે.
स्मै
न
(જેમ સૂતકઘરમાં જે.કંઈ રસોઈ બનાવાય, એ બધી ઘર માટે જ બનાવાય છે. કેમકે લૌકિક રિવાજ પ્રમાણે સૂતકમાં કોઈને ભોજનાદિ આપી શકતા નથી. એટલે તે વખતે તમામે તમામને – દરેકે દરેકને ભોજનદાન વિનાની એવી જ પાકપ્રવૃત્તિ થાય છે. માત્ર ઘરવાળાઓ જ જમે. એટલે અહીં તો સ્વોચિત આરંભમાં પણ કોઈપણ પ્રકારનો આશય નથી. એમ સૂતકની જેમ જંગલમાંથી પસાર થતાં ગૃહસ્થો કે રાત્રે રસોઈ બનાવતા ગૃહસ્થો કોઈ પણ દાનાદિ આપવાની ભાવનાવાળા નથી હોતા. કારણ કે ત્યારે કોઈ દાન લેવા આવનારનો એમના મનમાં તો સંભવ જ નથી. એટલે બધી જ પાકપ્રવૃત્તિમાં શિષ્ટ પુરુષોનો આશય હોય જ એવું માનવાની જરૂર નથી.
न
शा
शा
स
स
ना
य
વળી બીજી વાત એ કે “ગૃહસ્થે સ્વભોગ્ય ભોજન બનાવ્યું હોય, વધારે ન બનાવ્યું હોય તો એમાં એને કુશલ ભાવ હોય તો પણ એ વહોરી શકાય એવું શાસ્ત્રમાં કહેલું છે. * એટલે આવું વહોરવું એ શાસ્ત્રવિહિત અનુષ્ઠાન છે. અને એમ હોવાથી જ તેવા પ્રકારનું * વહોરવામાં દોષ નથી.
न
વિસ્તારથી સર્યું.
આ પ્રયાસ માત્ર અક્ષરગમનિકા માત્ર ફલવાળો જ છે. (અર્થાત્ મૂળસૂત્રોના
૬૧
→ F
E