________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૧ સૂત્ર-૩૬
આમાં સંસૃષ્ટહાથ, સંસૃષ્ટભાજન અને સાવશેષદ્રવ્ય આ પહેલો ભાંગો ઉત્તમ છે. બાકીના પણ સાત ભાંગાઓમાં જયાં સાવશેષદ્રવ્ય છે, ત્યાં ગ્રહણ કરાય. નિરવશેષદ્રવ્યમાં ગ્રહણ ન કરાય. કેમકે ત્યાં પશ્ચાત્કર્મનો દોષ લાગે.
(ભાવાર્થ : એક વાસણમાં ઘીથી લથપથ રોટલીઓ છે. એટલે ભાજન સંસૃષ્ટ છે. એ ઘી ચોપડાનારાનો હાથ પણ ઘી વગેરેથી ખરડાયેલો છે. એટલે હાથ પણ સંસૃષ્ટ છે. એ પોતાના હાથેથી વાસણમાંથી ચાર રોટલી લઈ બે રોટલી વહોરાવે છે... એટલે મૈં વાસણમાં અને હાથમાં બંનેમાં રોટલી બાકી છે, એટલે અહીં સાવશેષ દ્રવ્ય છે. આ રીતે 1 મો વહોરાવે તો કલ્પે. કેમકે આમાં સાધુ નિમિત્તે પશ્ચાત્કર્મ દોષ ન થાય. એ હાથમાં રહેલી મો ડ બે રોટલી વાસણમાં મૂકે અને પછી હાથ ધુએ તો એમાં સાધુને દોષ નહિ...
S
બીજા ભાંગામાં-વાસણમાં ૮ રોટલી છે, હાથમાં ૪ લઈ ચારેચાર વહોરાવે તો અહીં સ્તુ વાસણમાં સાવશેષ દ્રવ્ય હોવા છતાં હાથમાં નિરવશેષ દ્રવ્ય છે. એટલે એ તરત હાથ ધુએ તો સાધુને દોષ. ધારોકે ૮ રોટલી લઈ બધી જ વહોરાવી દે. તો પછી હાથ અને વાસણ બંને ધુએ તો સાધુને દોષ. ૮ લઈ ચાર વહોરાવી ચાર પાછી વાસણમાં મૂકે તો અહીં વાસણમાં પણ પછીથી ચાર બાકી રહી અને હાથમાં પણ બાકી રહેલી હોવાથી સાવશેષ દ્રવ્ય કહેવાય. એમાં દોષ નહિ.
त
આ રીતે બધા ભાંગા વિચારી લેવા, સાર એટલો જ કે સાધુ નિમિત્તે ચોખ્ખો હાથ કે ચોખ્ખું વાસણ બગાડે, ખરડાવે એનો વાંધો નથી. પણ એમાં નિરવશેષ વહોરી લે= થોડું પણ બાકી ન રાખે તો દોષ લાગે.
રોટલીની માફક બીજા પણ દ્રવ્યોમાં યથાસંભવ વિચારી લેવું.)
किंच
to
IR
न
ત્રીજા ભાંગામાં - ઘીથી લથપથ હાથ હતાં જ, સાધુને વહોરાવવા માટે વાસણમાં પડેલી પુષ્કળ રોટલીઓમાંથી આઠ દસ રોટલી ચોખ્ખી નાનીથાળીમાં કે છીબામાં લે, તો એ વાસણ નવું બગડ્યું એટલે એ અસંસૃષ્ટ જ કહેવાય. હવે એમાં જો હાથ અને થાળી છીબામાં સાવશેષ રહે એ રીતે વહોરે તો દોષ નહિ. પણ જો નિરવશેષ કરે, તો દોષ શા લાગે. એમાં પણ છીબામાં આઠ રોટલી લીધી. એ પછી સાધુ પાસે આવી આઠે આઠ F રોટલી હાથમાં પકડી, એમાંથી ચાર વહોરાવી અને બાકીની ચાર છીબામાં મુકવાના ના બદલે સીધી જ મોટા વાસણમાં મૂકી દે. તો છીબું સીધું ધોવા જવાની સંભાવનાને ના ૐ આશ્રયીને પશ્ચાત્કર્મદોષ ગણાય.
યા
૪.
ส