________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૧૫
संधि:-चितं क्षत्रम्, ‘उदकभवनानि' पानीयगृहाणि चरन् भिक्षार्थं न 'विनिध्यायेत्' विशेषेण पश्येत्, शङ्कास्थानमेतदवलोकादि अतो विवर्जयेत्, तथा च तत्राशङ्कोपजायत इति सूत्रार्थः ॥ १५ ॥
ટીકાર્થ : અવલોક નિયૂહક વગેરે રૂપ છે. (આજે જેમ ફલેટોમાં બારણાઓમાં કાણા હોય છે. ત્યાં કાચ લગાડેલો હોય છે, તેમાંથી બહારની તરફ જોઈ શકાય કે કોણ આવ્યું છે ? આવા કાણા વગેરે નિયૂહક કહેવાય. જુના કાળમાં ભલે આવા કાણા ન હોય. પણ લાકડાના દરવાજાઓમાં તિરાડ હોય, સાંકળાદિના સ્થાનોમાં કાણા હોય... એ સંભવિત છે. એમાંથી અંદર નજર કરી શકાય.)
न
R
S થિન્ગલ એટલે ચિતદ્વારાદિ. (જ્યાં પહેલા બારણું હોય એટલે એ ભાગ આખા ઘરમાં મોટા કાણા જેવો જ છે, હવે એ જગ્યાએ બારણું બંધ કરી દીધુ એટલે એ થિગડું કહેવાય. એમ એવા મોટા ગાબડાઓ ઢાંકવા પણ લાકડા વગેરે મુકાયા હોય તો એ પણ
થિન્ગલ કહેવાય. ટુંકમાં જેમ વસ્ત્રમાં કોઈક ભાગ ફાટી જાય, કાણું-ગાબડું પડે એને બીજા તા વસ્ત્રથી પૂરી દેવામાં આવે એમ ઘરમાં તે-તે સ્થાને રહેલા ગાબડાને બારણાદિ દ્વારા ત મેં પૂરવામાં આવે તે થિન્ગડ. ત્યાં અમુક અમુક જગ્યામાંથી અંદર તરફ જોઈ શકાય એ શક્ય સ્મ
છે.)
સંધિ એટલે ચિતક્ષત્ર. (ચોર વગેરેએ ચોરી કરવા માટે ઘરનો કોઈ ભાગ તોડી ř પાડયો હોય તો એ ખાતર પાડેલું કહેવાય છે. એનું નામ જ ક્ષત્ર. આવો ભાગ ફરી નિ માટી-છાણાદિ દ્વારા પૂરી દેવામાં આવે તો એ ચિતક્ષત્ર કહેવાય. આજ સંધિ. આમાંય અમુક ભાગમાં નાના-નાના છિદ્રો રહી જાય, તો એમાંથી અંદર,જોઈ શકાય.)
न
न
शा
शा
स
ઉદક ભવન એટલે પાણીના ઘરો = પાણિયારું (પાણી ભરેલા ઘડાઓની વચ્ચે વચ્ચે જે જગ્યા હોય, એમાંથી સામેની તરફના દશ્યો જોઈ શકાય.)
स
ना
ना
य
ભિક્ષા માટે ચરતો સાધુ આ બધાને વિશેષથી ન જુએ. (અર્થાત્ આ બધા य સ્થાનોમાંથી “ઘરની અંદર કોણ છે ? શું કરે છે ? રસોઈ બની છે ?” વગેરે જોવાનો પ્રયત્ન બિલકુલ ન કરે.)
આ અવલોકાદિ એ શંકાના સ્થાનો છે, માટે સાધુ એને વર્ષે.
આ શંકાસ્થાન આ રીતે કે જો સાધુ આવી રીતે જુએ, અને લોકો સાધુને આ રીતે જોતો જોઈ જાય અને પછી જો એ જ ઘરમાં કોઈ વસ્તુ નષ્ટ થાય=ચોરાઈ જાય કે ખૂન થાય... તો ત્યાં સાધુ ઉપર બધાને શંકા જાય કે સાધુ આવી રીતે છાની રીતે, ધારી ધારી
૨૬