________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ નિયુક્તિ-૨૮૦
છે. એટલે એ ભાષા મૃષા છે.
મિથ્યાદષ્ટિ આત્મા પણ શ્રુતમાં ઉપયોગવાળો કે ઉપયોગ વિના પણ જે બોલે, તે મૃષા જ છે.
Iના
પ્રશ્ન : મિથ્યાર્દષ્ટિ આત્મા શ્રુતમાં ઉપયોગવાળો હોય અને “કથંચિત્ સાત નારક છે” એ પ્રમાણે સ્યાદ્વાદ ગર્ભિત વચન બોલે તો એ તો સાચું જ છે. એને શા માટે ખોટું કહો છો ?
ઉત્તર ઃ ઘુણાક્ષરન્યાય પ્રમાણે સંવાદ હોય, તો પણ સત્ અને અસમાં વિશેષતા ન હોવાથી તેનું વચન (સાચું દેખાય તો પણ) મૃષા છે. તથા એ સ્વચ્છંદપણે ઉપલબ્ધિબોધ કરતો હોવાથી તેનું વચન મૃષા છે. જેમકે ઉન્મત્ત પાગલ. (લાકડામાં ઉત્પન્ન સ્તુ થતો કીડો લાકડાના ભાગને કોરી ખાતો હોય છે. એમાં ક્યારેક એ ઘુણકીડા દ્વારા સ્તુ ખવાતો ભાગ એવી રીતે ખવાય કે એમાં ક, ખ... એવો અક્ષરનો આકાર ઉપસ્થિત થાય. એના દ્વારા કોઈ એમ કહે કે ધુણે ‘ક’ કોતર્યો, એટલે એ ‘ક’ વગેરેનો જ્ઞાતા છે, તો એ વાત ન મનાય. કેમકે કોતરેલા ‘ક’ કે એ સિવાયનો ગમે તેવો આકાર... એ
त
त
બધો જ એ ઘુણમાટે તો સરખો જ છે. ઘુણને એ ખબર જ નથી કે આ ‘ક’ એ અક્ષર છે અને બીજી કોતરણીઓ અક્ષર નથી... એમ મિથ્યાત્વી આત્મા જે વચન બોલે એ સંવાદી પણ લાગે, અર્થાત્ એ વચનનો અર્થ શાસ્ત્રાનુસારી પણ લાગે... પણ એ મિથ્યાત્વી તો કયા પદાર્થો સત્ = સાચા = ઉપાદેય અને કયા પદાર્થો અસત્ ખોટા અનુપાદેય એ બે વચ્ચેનો સાચો ભેદ સમજતો નથી. ઉલ્ટું એ તો સત્ને પણ અસત્ મૈં અને અસને પણ સન્ માનનારો હોવાથી વધુ દોષપાત્ર બને છે.
जि
=
न
શા બીજીવાત એ કે જેમ ગાંડો માણસ પોતાના મનમાં આવે એ પ્રમાણે જ બોધ કે શા મૈં પ્રવૃત્તિ કરતો હોય છે. એમાં ઘણીવાર એ સારી, સાચી પ્રવૃત્તિ પણ કરે. પણ છતાં એણે ના ડહાપણપૂર્વક પ્રવૃત્તિ કરી કે બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરી, એમ નથી કહેવાતું. એની સારી કે ના ય ખરાબ બધી પ્રવૃત્તિ ગાંડપણના જ એકભાગ તરીકે આલેખાય છે. એમ આ મિથ્યાત્વી ય જે કંઈપણ જ્ઞાન કરે છે કે પ્રવૃત્તિ કરે છે, તે બધી સ્વચ્છંદમતિથી જ કરે છે. આગમને * અનુસારે નહિ. એમાં કેટલુંક આગમને અનુસારી દેખાય પણ એ પણ ખરેખર તો સ્વચ્છંદમતિથી કરાયેલું હોવાથી આગમાનુસારી ન ગણાય.
આ અંગે વિશેષસ્પષ્ટતા મેળવવી હોય તો તત્ત્વાર્થસૂત્રના આ સૂત્રની વૃત્તિ જોવી...)
૨૨૨
=
FE