SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂટા ભાગ-૨ સુરત માં અધ્ય. ૩ નિયુક્તિ ૧૮૪ છે. તે અત્યંત રૂપવતી હતી. તે બધા ગાયોને ચરાવવા માટે અન્યત્ર પ્રત્યન્ત ગામોમાં = ( ( સામાન્ય ગામોમાં જાય છે. તે છોકરીના પિતાનું ગાડું બધા ગાડાઓની આગળ ચાલે છે. તે I તે છોકરી તે ગાડાનાં આગળનાં ભાગમાં = મુખ ઉપર બેઠેલી હોય છે. યુવાનોએ વિચાર્યું "T " કે “પાછળ રહેલા આપણાં ગાડા છોકરીનાં ગાડાની સમાન કરીને છોકરીને જોઈએ.” * તેઓએ આગળ જવા માટે ગાડાઓને ઉન્માર્ગે આગળ વધાર્યા. ત્યાં વિષમસ્થાનોમાં એ Tગાડાઓ આમ તેમ પડીને ભાગી ગયા. તેથી લોકોએ તે સ્ત્રીનું નામ અશકટા પાડ્યું. તે છોકરીના પિતાનું નામ અશકટપિતા થયું. તે પિતાને આ પ્રસંગ જ વૈરાગ્ય કરનારો ન માં બન્યો. તે છોકરી એક પુરુષને પરણાવીને એણે દીક્ષા લીધી, છેક ઉત્તરાધ્યયનમાં રારિ : : પરમંા એ ત્રીજું અધ્યયન સુધી ભણી લીધું. ચોથા અસંખ્ય અધ્યયનનો ઉદ્દેશો થયો, : ને ત્યારે પૂર્વભવનું જ્ઞાનાવરણીયકર્મ ઉદયમાં આવ્યું. સાધુ ભણે છે, છતાં કંઈ યાદ રહેતું કે નથી. આચાર્યે કહ્યું કે “છઠ્ઠ કરી લે, તને આની અનુજ્ઞા કરાવી દઉં.” (આ અપવાદમાર્ગ હતો.) તે સાધુ કહે “આનો જોગ કેવા પ્રકારનો છે?” આચાર્ય કહે “(ઉત્સર્ગમાર્ગ તો) - જયાંસુધી આ અધ્યયન ન ભણાય ત્યાંસુધી આંબિલ કરવા પડે.” તે કહે “હું આ રીતે, તે જ ભણીશ.” આ રીતે ભણતા એણે ૧૨ વર્ષે બાર શ્લોક મોઢે કર્યા. ત્યાં સુધી આંબિલ કર્યું. (અધ્યયનનાં કુલ ૧૩ શ્લોક છે.) ત્યારે તેનું જ્ઞાનવરણીયર્મ ક્ષય પામ્યું. આમ જે રીતે અશકટપિતાએ આગાઢયોગ પાળ્યો, તે રીતે સમ્યફરીતે યોગ પાળવો જોઈએ. ઉપધાનદ્વાર પૂર્ણ થયું. Hિ (૫) અનિધવનઃ શ્રતને ગ્રહણ કરી ચૂકેલાએ વિદ્યાગુરુનો નિતવ ન કરવો. જે શ્રત ITI જેની પાસે ભણ્યું હોય, ત્યાં તેનું જ નામ લેવું. બીજાનું નહિ. જો બીજાનું નામ આપે || તો ચિત્તની મલિનતા પ્રાપ્ત થાય. " આમાં દષ્ટાન્ત છે – એક હજામની અસ્ત્રાની સામગ્રી વિદ્યાનાં સામર્થ્યથી આકાશમાં 5 ના અદ્ધર રહે છે. એક પરિવ્રાજક તેને ઘણી સેવાઓથી સેવીને તેની પાસેથી તે વિદ્યા મેળવી ના ૨ પછી અન્ય સ્થાને જઈને પોતાના ત્રિદંડને આકાશમાં રાખે છે, એના કારણે મહાજન એની # પૂજા કરે છે. રાજાએ પૂછયું કે “ભગવાન્ ! શું આ વિદ્યાનો અતિશય છે ? કે તપનો , અતિશય છે?” તે કહે છે કે “વિદ્યાનો અતિશય છે.” રાજાએ પૂછયું “કોની પાસેથી ? આ મેળવ્યો?” તે કહે છે કે “હિમાલય ઉપર ફલાહાર કરનારા ઋષિની પાસેથી મેં આ કે | મેળવી છે.” આ પ્રમાણે એ બોલ્યો કે તરત જ સંકુલેશની દુષ્ટતાનાં કારણે તે ત્રિદંડ ધ , Uા કરતું પડી ગયું. Sો આ પ્રમાણે જે આત્મા અલ્પજ્ઞાનવાળા આચાર્યનો અપલાપ કરી (એમનું નામ છે [5 E E
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy