________________
BCA દશવૈકાલિકસૂર ભાગ-૨
અધ્ય. 3 નિયુક્તિ ૧૮૧ થી ૩૮૦૦ વાપરેલો છે. તિનિશિલતાદિ એ દ્રવ્ય છે, અને નામનાદિ આચારથી અભિન્ન છે, માટે છે ( આચાર છે. એટલે એ દ્રવ્યાચાર કહેવાય.
પ્રશ્ન : તિનિશલાદિમાં જે નામનાદિ આચાર છે, એ હકીકતમાં તો તે તે દ્રવ્યોનો પર્યાય, પરિણામ છે, એટલે એ તો ભાવ જ કહેવાય ને? તો આને દ્રવ્યાચાર કેમ કહેવાય | I? આ તો ભાવાચાર જ કહેવો જોઈએ ને ?”
ઉત્તર : તથા આચરણપરિણામ = નામનાદિ પરિણામ ભાવરૂપ છે, તો પણ | | - જ્ઞાનાદિ ગુણો જ ભાવાચારરૂપ ગણેલા હોવાથી અને એ ગુણોનો આ દ્રવ્યોમાં અભાવ Fી હોવાથી એને ભાવાચાર ન કહેવાય, પરંતુ દ્રવ્યાચાર જ કહેવાય. (અથવા તો દ્રવ્યમાં "
ગુણ અને પર્યાય બે વસ્તુ હોય છે. તિનિશિલતાદિમાં જે નામનાદિ આચાર છે, એ પરિણામ = પર્યાયરૂપ હોવાથી ભાવાત્મક છે, છતાં એ ગુણરૂપ નથી. દ્રવ્યમાં જે સદા - રહે તે ગુણ કહેવાય. નામનાદિ આચારો તિનિશિલતાદિમાં સદા નથી રહેતાં. એટલે એ ગુણરૂપ નથી. અત્રે ગુણ ન હોવારૂપ અપેક્ષાએ એ ભાવરૂપ નથી, માટે એ દ્રવ્યાચાર | કહેવાય...)
દ્રવ્યાચાર કહ્યો.
साम्प्रतं भावाचारमाहदंसणनाणचरित्ते तवआयारे य वीरियायारे । एसो भावायारो पंचविहो होइ नायव्वो ॥१८१॥ निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह थिरीकरणे जि वच्छल्लपभावणे अट्ठ ॥१८२॥ अइसेसइड्डियायरियवाइधम्मकहींखमगनेमित्ती । विज्जारायागणसंमया य तित्थं पभाविति ॥१८३|| काले विणए बहुमाणे उवहाणे तह य शा अनिण्हवणे । वंजणअत्थतदुभए अट्ठविहो नाणमायारो ॥१८४॥ पणिहाणजोगजुत्तो पंचहि - समिईहिं तिहि य गुत्तीहिं । एस चरित्तायारो अट्ठविहो होई नायव्वो ॥१८५॥ बारसविहम्मिवि तवे सब्भितरबाहिरे कुसलदिढे । अगिलाइ अणाजीवी नायव्वो सो तवायारो ॥१८६॥ अणिगूहियबलविरियो परक्कमइ जो जहुत्तमाउत्तो । जुंजइ अ जहाथामं | नायव्वो वीरियायारो ॥१८७॥ હવે ભાવાચાર કહે છે.
નિર્યુક્તિ-૧૮૧ ગાથાર્થ : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપાચાર, વીર્યાચાર આ પાંચ પ્રકારનો ભાવાચાર જાણવો.