SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ II. દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ य ટીકાર્થ : સંયમઘરમાંથી મન બહાર ન નીકળે એ માટે તું આતાપના કર. પ્રશ્ન : શું માત્ર આતાપના કરવાનું જ વિધાન કર્યું ? ઉત્તર : “એકનાં ગ્રહણમાં તજાતીયનું ગ્રહણ થઈ જાય” એ ન્યાયપ્રમાણે યથાનુરૂપ ઉણોદરતાદિનું પણ વિધાન સમજી લેવું. (ચથાનુરુપ નો ભાવ એ છે કે મન કામવિકારોવાળું બનતું અટકાવવા માટેનાં જે જે બાહ્યઉપાયો હોય, તે બધા જ સમજી લેવા.) અધ્ય. ૨ સૂત્ર-૫ આતાપના કરવાનું વિધાન કરવા દ્વારા આત્મસમુત્થદોષનો પરિહાર કહ્યો. (સાધુને પોતાને જ જે વિકાર જાગે, એ આત્મસમુત્થ છે, આતાપનાદિ દ્વારા એ દોષનો પરિહાર કરી શકાય છે.) “સુકુમારતાને છોડી દે” આ કહેવા દ્વારા ઉભય સમુત્યદોષનો પરિહાર કહ્યો. તે આ પ્રમાણે સુકુમારતાથી ત કામેચ્છા પ્રવૃર્ત છે. અને સુકુમારતાનાં લીધે સાધુ સ્ત્રીઓને પ્રાર્થનીય બને છે. (સાધુ અત્યંતસુકુમાર હોય, તો સ્ત્રીઓને તે ખૂબ પ્રિય લાગે. આમ સુકુમારતા સાધુમાં પણ વિકાર જન્માવે અને સ્ત્રીમાં - પ૨માં પણ વિકાર જન્માવે, સાધુ સુકુમારતા છોડી દે તો ઉભયદોષનો પરિહાર થાય.) હવે કામનું ઉલ્લંઘન કરવાની આંતરિકવિધિને બતાવે છે. (અથવા તો આંતરિક કામ છે, તેનું ઉલ્લંઘન કરવાનું વિધાન = કથન કરે છે.) દ્વેષને છેદો. રાગને દૂર કરો. પ્રશ્ન : આ બે ને શી રીતે દૂર કરવા ? ૪ न जि આ રીતે આતાપના + સુકુમારતાત્યાગ આ બે વસ્તુનાં આસેવન દ્વારા તું પૂર્વે નિ - દર્શાવેલા સ્વરૂપવાળા કામોને = વિષયસુખોને ઉલ્લંઘી જા. કેમકે તેનું ઉલ્લંઘન થયું એટલે 7 શા દુ:ખોનું ઉલ્લંઘન થઈ જ ગયું સમજો. “દુ:સ્તું ાનં મતિ' એમ મતિ પદ શેષ છે. જ્ઞા (બહારથી લાવવું.) स ना પ્રશ્ન ઃ કામ જાય, એટલે દુઃખ જાય જ એવું કેમ ? ઉત્તર : કેમકે દુઃખ કામરૂપ કારણથી જ થાય છે. ઘુ શબ્દ અવધારણમાં છે. (ન્તિમેવ એમ એનો અર્થ જોડી દીધો છે.) 怎 છ ત E ना X X X
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy