SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ સૂત્ર-3 ઉત્તર ઃ “તમામે તમામ ભોગો લઈ લેવા છે.” એ માટે બે વાર મોળ શબ્દ લીધો છે. અથવા તો પહેલો મોળ શબ્દ પ્રિય,કાન્ત, પ્રાપ્ત ભોગોને દર્શાવનાર છે. અને બીજો ભોગ શબ્દ જે ભોગો ત્યજી દીધેલા અને પાછા પ્રાપ્ત થયેલા હોય એ ભોગોને સુચવનાર છે. (જે શબ્દાદિનો આ જીવે પૂર્વે ત્યાગ કરેલો હોય, એ જ શબ્દાદિ આને દીક્ષાનો નિર્ણય લીધા બાદ પાછા પ્રાપ્ત થાય, તો એનો પણ આ જીવે ત્યાગ કરવાનો છે... એમાં લપેટાઈ જવાનું નથી. જેમ ચાણક્યને બિંદુસારે ફરીથી મંત્રીપદ સ્વીકારવાની વિનંતિ મૈં કરી. તો એ મંત્રીસંબંધી ભોગો ત્યજ્ઞોપનત બનેલા કહેવાય. ચાણક્યે એનો સ્વીકાર ન કર્યો...) ન જે આવો હોય, તે જ ભરતચક્રી વગેરેની જેમ ત્યાગી કહેવાય. ૐ શબ્દ સ્તુ અવધારણાર્થવાળો હોવાથી “તે જ ” એમ અર્થ લીધો છે. स्त અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો ભરત, જંબુ વગેરે જેઓએ વિદ્યમાન ભોગોને ત્યાગ્યા છે તેઓ જ ત્યાગી હોય, તો આવું બોલનારા તમને આ દોષ છે કે જે કોઈક ધનરૂપ તે સારથી હીન ભિખારી વગેરે દીક્ષા લઈને અહિંસાદિગુણવાળા ધર્મમાં ભાવથી ઉદ્યમવાળા ત્ર – બન્યા છે. તે શું અપરિત્યાગી છે ? (તમારા કહેવા પ્રમાણે તો એ અપરિત્યાગી જ = બનશે.) આચાર્ય કહે છે કે તેઓ પણ કરોડની કિંમતવાળા ત્રણરત્નોને ત્યાગીને જ દીક્ષિત થયા છે (૧) અગ્નિ (૨) પાણી (૩) સ્ત્રી. લોકમાં સારભૂત આ ત્રણ રત્નોને ત્યાગીને जि જ દીક્ષિત થયા છે. માટે તેઓ પણ ત્યાગી કહેવાય. મ આમાં એક દૃષ્ટાંત છે. य યુ એક કઠિયારા પુરુષે સુધર્મસ્વામીની પાસે દીક્ષા લીધી. ભિક્ષા માટે ફરતાં તેને લોકો કહે છે.” આ કઠિયારો દીક્ષિત થયો.” તે કઠિયારો નૂતનદીક્ષિત હોવાથી (આ બધું સહન ना ન થવાના કારણે) આચાર્યને કહે છે કે “મને અન્યસ્થાને લઈ જાઓ. હું આ સહન કરવા સમર્થ નથી.” આચાર્યે અભયને પૃચ્છા કરી કે “અમે જઈએ છીએ.” અભય કહે “શું આ ક્ષેત્ર માસકલ્પ પ્રાયોગ્ય નથી, કે જેથી તમે અકાળે જ અન્યસ્થાને જાઓ છો.” * આચાર્યે કહ્યું “નૂતનને માટે જવું પડે છે.” અભય કહે “તમે નિઃશંક, વિશ્વસ્ત બનીને રહો. હું આ લોકોને ઉપાય દ્વારા (જેમ તેમ બોલતાં) અટકાવું છું. આચાર્ય રોકાયા બીજાદિવસે અભયે ૧-૧ કરોડની ત્રણ રત્નઢગલીઓ સ્થાપી. નગરમાં ઘોષણા
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy