SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અમ દશવૈકાલિકસૂગ ભાગ-૨ અદેય. 4 સૂગ - 1 એ સ્વાનુભવસિદ્ધ નથી, એટલે એમાં તો સર્વજ્ઞવચનની જ પ્રામાણિકતા અનુસારે બોલવું પડે..) : પ્રશ્ન : શા માટે સર્વજ્ઞ પાસેથી પદાર્થનો નિશ્ચય કર્યા વિના અસર્વન્ને દેશના ન | આપવી ? ઉત્તર : કેમકે એમાં વિપર્યય થવાનો સંભવ છે. (જેમ અસર્વજ્ઞ એમ કહે કે “યજ્ઞમાં પશુવધ કરવાથી સ્વર્ગ મળે” અને એ પ્રમાણે બધા પશુવધ કરે, તો તેઓ બિચારા સ્વર્ગને | બદલે નરક જ પામે... આ મોટો વિપર્યય જ છે ને ?) મને કહ્યું છે કે “આનાથી વધારે શું મોટું પાપ છે? કે સમ્યફ રીતે ધર્મના સદ્દભાવને - = સાચા ધર્મને નહિ જાણી ચૂકેલો પણ આત્મા કુદેશના દ્વારા બીજાને દુ:ખદાયી પાપમાં નું પાડે છે...” અથવા તો સૂત્રનાં એક ભાગનું બીજી પદ્ધતિથી વ્યાખ્યાન કરાય છે. માડ તેvi = આયુષ્યન્તેન એમ બે શબ્દ જુદા ન પાડવા. પરંતુ મા સંતે એ એકજ પદ લેવું અને એ મજાવતા શબ્દનું વિશેષણ સમજવું. અર્થાત્ “ચિરકાળ જીવનારા જ એવા ભગવાન વડે...” એમ અર્થ થાય. આ રીતે ભગવાન માટે ચિરકાળજીવી પદ વાપરવું. એ મંગલવચન છે. અથવા તો “આયુષ્યમાન્ એટલે કે સાક્ષાત્ જીવતાં એવા ભગવાને આ વાત કરી છે...” એમ પણ અર્થ થાય. આ છેલ્લા અર્થ દ્વારા ન ગણધરપરંપરાગમનો અને જીવનરહિત અનાદિશુદ્ધ વક્તાનો નિષેધ કહ્યો. (પરમાત્માનો કે . બોધ પરમાત્મા માટે આત્માગમ કહેવાય. એ પ્રભુ સાક્ષાત્ ગણધરોને પોતાનો બોધ , દેશના દ્વારા આપે, એટલે ગણધરો માટે એ અનંતરાગમ કહેવાય, અને ગણધરો પોતાના IT શિષ્યોને આપે તો ગણધરશિષ્યો માટે એ બોધ પરંપરાગમ કહેવાય. પરંતુ કેટલાંકો તો | | ગણધરોને જ પરંપરાગમ માને છે. અર્થાત્ “ગણધરોને સાક્ષાત્ ભગવાન પાસેથી બોધન મળેલો છે” એ વાત તેઓ નથી માનતાં. પ્રભુ દેશના આપતાં જ નથી. માત્ર એક ધ્વનિ 1 વ જ નીકળે છે, એ ધ્વનિનો અર્થ દેવો સમજે છે અને પછી દેવો એનો અર્થ કરીને બધાને ન કહે છે. આમ ગણધરો માટે આ બોધ પરંપરાગમ છે... આમ કેટલાંકો માને છે. પરંતુ * અહીં “સાક્ષાત્ ભગવાને આ કહ્યું છે” એના દ્વારા ગણધરો માટે આ અનંતરાગમ જ છે : બને છે. પરંપરાગમ નહિ... એ વાત દર્શાવી. છે તથા જૈનેતરો ઈશ્વરને અનાદિશુદ્ધ અને જીવનરહિત એવા વક્તારૂપ માને છે. ઉપર જ છે. ભગવાનને જીવનવાળા કહેવા દ્વારા જૈનેતરોની વાતનું ખંડન કર્યું.) S E F * *
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy