________________
મ
.
મૂહ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હરિ હુ અધ્ય. ૨ નિયુકિત - ૧૫૦ દક્ષ * अप्रतिबद्धविहारित्वात्, इत्थमुरगादिसमश्च यतो भवति ततः श्रमण इति गाथार्थः । - પાછા | ટીકાર્થ : | (૧) સાધુ સાપ જેવો હોય. કેમકે સર્પ જેમ બીજાએ બનાવેલા દરમાં રહે, પોતે દર નિ બનાવે. એમ સાધુ પણ બીજાએ બનાવેલા ઘરમાં રહે, પોતે ન બનાવે. તથા સર્પ જેમ | આહારનો આસ્વાદ ન કરે, એમ સાધુ પણ આહારનો આસ્વાદ ન કરે. સર્પ જેમ છે,
એકાગ્રદષ્ટિવાળો હોય તેમ સાધુ પણ સંયમમાં જ એકમાત્ર દષ્ટિવાળો હોય. TT (૨) સાધુ પર્વત જેવો હોય. કેમકે પર્વત જેમ પવનો દ્વારા કંપી ન ઊઠે, એમ સાધુ
ગમે એટલા પરીષહરૂપ પવનો આવે તો પણ સંયમમાં કંપ ન પામે. : (૩) સાધુ, અગ્નિ જેવો હોય. અગ્નિમાં જેમ ખૂબ તેજ હોય, તેમ સાધુ પણ
તપરૂપી તેજની પ્રધાનતાવાળો હોય. અગ્નિમાં ગમે એટલું ઘાસ વિ. બળતણ નાંખો તો પણ જેમ અગ્નિને કદિ સંતોષ ન થાય. એમ સાધુ સૂત્રાર્થને વિશે સદામાટે અતૃપ્તિવાળો હોય. અગ્નિ જેમ સામાન્ય કાગળ કે સો રૂપિયાની નોટોનું બંડલ... | બધામાં એક સરખી પ્રવૃત્તિવાળો હોય, એમ સાધુ નિર્દોષ અશન, પાનાદિમાં એક | સરખી પ્રવૃત્તિવાળો હોય. એમાં ભાવતું વહોરે અને અણભાવતું ત્યાગે... એવી
વિશેષ પ્રવૃત્તિવાળો ન હોય. R (૪) સાધુ સાગર જેવો હોય. કેમકે એ સાગરની જેમ ગંભીર હોય. સાગર જેમ તિ તે રત્નોનો ભંડાર છે, એમ સાધુ જ્ઞાનાદિ રત્નોનો ભંડાર છે. સાગર જેમ પોતાની મર્યાદાનું તે - ઉલ્લંઘન ન કરે, એમ સાધુ પોતાની સંયમમર્યાદાનું ઉલ્લંઘન ન કરે.
. (૫) સાધુ આકાશતલ જેવો છે કેમકે જેમ આકાશને ક્યાંય આલંબનની જરૂર નથી.
તેમ સાધુ સર્વત્ર આલંબનરહિત હોય છે. (“આ વસ્તુ જોઈએ જ, એના વિના ન જ ચાલે છે. એવી રાગપ્રેરિત પરાધીનતા ન હોય.).
(૬) સાધુ વૃક્ષગણ જેવો છે. કેમકે જેમ વૃક્ષો ફલની ઈચ્છાવાળા પક્ષીઓનાં નિવાસસ્થાનરૂપ છે. એમ સાધુ મોક્ષરૂપી ફલની ઈચ્છાવાળા જીવો રૂપી પક્ષીઓનું | આશ્રયસ્થાન છે. તથા જેમ વૃક્ષને કોઈ વાસી = કરવતથી કાપે કે ચંદન લગાડે તો પણ * વૃક્ષ બંનેમાં સમાન છે. એમ સાધુ પણ વાસીથી શરીર કપાય કે શરીર પર ચંદન લાગે... | એ બધામાં સમાન હોય. છે. (૭) સાધુ ભ્રમર જેવો છે કેમકે જેમ ભમરો અનિયતવૃત્તિવાળો છે, જુદા જુદા
H
+
H
*
*
B