SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ** : : - ૫ આ દશવૈકાલિકસૂમ ભાગ-૨ મા અધ્ય. ૪ ભાણ-૧૮ ; છેત્યાં સર્વત્ર વદ્વિ-અભાવ છે. એટલે આ હેતુ સામાન્યવિરુદ્ધ ગણાય. પ્રસ્તુતમાં પરાર્થવાભાવ એ સાધ્યાભાવ બને. હવે જ્યાં જ્યાં સંઘાતત્વ ત્યાં ત્યાં જ | પરાર્થવાભાવ... એ વ્યાપ્તિ તો ખોટી જ છે. કેમકે શયનાસનાદિમાં સંઘાતત્વ છે, | પરાર્થત્વ પણ છે. એટલે આ સામાન્ય વિરુદ્ધ ન બને. પરંતુ તમામ આત્મારૂપી પદાર્થમાં | સંઘાતત્વ છે. અને પરાર્થત્વાભાવ પણ છે. એટલે આત્મસંઘાતત્વ રૂપ વિશેષ = " | સંઘાતત્વસામાન્યનો એક અંશ એ તો પરાર્થવાભાવને વ્યાપ્ય છે જ. એટલે આ |વિશેષવિરુદ્ધ કહેવાય. જ્યાં જયાં આત્મસંઘાતત્વ છે. ત્યાં ત્યાં પરાર્થવાભાવ છે. - આ રીતે પદાર્થ સમજવો...) ઉત્તર અમે શુદ્ધ આત્માને સંઘાતરૂપ નથી માન્યો, પરંતુ કર્મથી બંધાયેલા આત્માને | જ સંઘાતરૂપ માનેલો છે. આમ આ સંઘાતત્વ હેતુ વિશેષવિરુદ્ધ નહિ બને. E (ભાવાર્થ : શુદ્ધ આત્મા પરાર્થ નથી, પરંતુ કર્મસંબદ્ધ આત્મા તો શુદ્ધાત્મામાં કષાયાદિ વિકારોરૂપ કાર્ય કરે જ છે. એટલે કર્મસંબદ્ધ આત્મા તો પરાર્થ છે જ. હવે આ |a| રીતે માનીએ તો જ્યાં જ્યાં સંઘાતત્વ છે, ત્યાં ત્યાં બધે જ પરાર્થત્વ છેજ. કર્મસંબદ્ધ તે ન આત્મામાં સંઘાતત્વ, પરાર્થત્વ બને છે જ. કર્મમુક્ત આત્મામાં સંઘાતત્વ, પરાર્થત્વાદિ | નથી. આમ હવે આ હેતુ વિશેષવિરુદ્ધ રહેતો નથી.) ઈન્દ્રિયદ્વાર પૂર્ણ થયું. ' હવે બંધાદિ ધારો કહે છે. કર્મનું ગ્રહણ કરનાર, કર્મને ભોગવનાર, કર્મનો ક્ષય કરનાર કર્મથી જુદો છે. જેમકે , આહારમાં... તેમાં ગ્રહણ એટલે કર્મનો બંધ, વેદન એટલે કર્મનો ઉદય, નિર્જરા એટલે | કર્મનો ક્ષય... | યથા માહારે નો અર્થ એ છે કે આહાર સંબંધી ગ્રહણ-વેદન, નિર્જરા કર્તાદિ વિના " થતા નથી, એમ કર્મનાં પણ ગ્રહણાદિ કર્યા વિના થતાં નથી. (આહાર હાથમાં લેવો એ ગ્રહણ, મોઢામાં મૂકી સ્વાદ લેવો એ વેદના અને સ્થડિલ વાટે બહાર કાઢવો એ નિર્જરા...) - આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો આ છે ફર્વ ર્મ વિદામાનમોઝુવ પ્રદનિર્નર સિદ્ધાવાત, * માથાવત્ આ કર્મનો ભોક્તા વિદ્યમાન છે. કેમકે કર્મનું ગ્રહણ, વેદના અને નિર્જરણ * ર થાય છે. દા.ત. આહારના ગ્રહણાદિ થાય છે, તો આહારનો ભોફતા પણ છે જ. તો 45 LIFE = 5 5 E F F IF = R * * * * ૨૯ 8
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy