SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ દશવૈકાલિકસૂર ભાગ-૧ હરિહર અધ્ય. ૧ નિયુક્તિ - ૩૦ ૬ ) ટીકાર્થ : (૧) આ સમાનાર્થીઓમાં જે દ્રુમપુષ્પના ઉદાહરણથી યુક્ત હોય તે જ (દુમપુષ્પિકા કહેવાય. મૂળસૂત્રમાં આગળ કહેશે કે “જે રીતે દુમનાં પુષ્પો વિશે...” વગેરે. આ [ (૨) આહારની એષણા તે આહાર ગણા. અહીં એ પણાના ગ્રહણ દ્વારા) rગવેષણાદિનો સ્વીકાર કરવો. (૩) અહીં જોર શબ્દ શાસ્ત્રાનુસારી શબ્દ છે, (વ્યાકરણાનુસારી નહિ) એટલે અર્થ આ પ્રમાણે થાય કે ગાયની જેમ ચરવું એ ગોચર. જો આ શબ્દ સામયિક ન લેતાં I'વ્યાકરણ પ્રમાણે લેવો હોય તો ગોચર નહિ, પણ ગોચાર થાય. એ અર્થને સૂચવનાર 11 ન હોવાથી આ પ્રસ્તુત વિશેષઅધ્યયન પણ ગોચર કહેવાય. આ રીતે આગળ પણ બધે Fi વિચારણા કરી લેવી. ભાવાર્થ તો આ પ્રમાણે છે કે જે રીતે ગાય ચરે, એમ સાધુએ પણ !! - અવિશેષ પણે ઘરોમાં ફરવું. અર્થાત્ બધા જ ઘરોને એકસમાન ગણીને વિચરવું. પણ તું વૈિભવની અપેક્ષાએ ઉત્તમ,અધમ અને મધ્યમ એવા કુલોને વિશે ન વિચરવું. (અર્થાત્ વૈભવવાળા કુલોમાં ગોચરી જવું, બાકીના કુલો હીન ગણી ત્યાં ન જવું... આવી રીતે સાધુ ન વિચરે.) રે અથવા તો વાણિયાનાં વાછરડાનાં દષ્ટાનત વડે સાધુ વિચરે. (પોતાને ચારો આપનારી રૂપવતી પુત્રવધુઓ ઉપર વાછરડાની લેશ પણ નજર નથી. પરંતુ માત્ર ભોજન ઉપર દૃષ્ટિ છે. એમ સાધુ ગોચરી વહોરાવનાર સ્ત્રી વગેરે તરફ નજર ન નાંખે, પણ માત્ર ભોજન ઉપર ઉપયોગ રાખે.) ' (૪) ફોતરા જેવું અસાર ખાવું “આ પ્રમાણે અર્થને સૂચવનાર હોવાથી આ અધ્યયન ' પણ ત્વફ કહેવાય છે. પરમમુનિઓ વડે કહેવાયું છે કે ચાર ઘુણો કહેવાયેલા છે. તે આ ' * પ્રમાણે (અ) ત્વચા-ઉપરનો જ ભાગ ખાનાર. (બ) છાલ ખાનાર (ક) લાકડું ખાનાર (ડ) માં IF સારપદાર્થ ખાનાર. (લાકડામાં થતાં કીડાઓ ઘુણ કહેવાય છે. એમાં કેટલાક કીડા | - લાકડાનો માત્ર ઉપરનો ભાગ, ચામડી જ ખાનારા હોય, કેટલાક વૃક્ષની ઉપરની છાલ ના ખાઈ જાય. કેટલાક છાલની પણ અંદરનું લાકડું ખાઈ જાય. કેટલાક લાકડામાં રહેલા સારભૂત, કડક ભાગ હોય તે ખાઈ જાય.) એ જ રીતે ચાર ઘુણો કહેવાયેલા છે. (અ) ત્વચાને ખાનાર (બ) છાલને ખાનાર 8 (ક) કાષ્ઠને ખાનાર (ડ) સારને ખાનાર. કેટલાંક એવા છે કે જે ત્વચાને ખાનાર છે, પણ સારને ખાનારા નથી. કેટલાંક એવા છે કે જે સારને ખાનાર છે, પણ ત્વચાને ખાનારા નથી. rrr " Aa * * *
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy