________________
8 બ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ : અધ્ય. ૧ નિયુક્તિ - ૨૧ થી ૨૩ છે. ગુરુજનો તમને એ આચાર કહેશે ” એમ આ સાધુએ કહેવું જોઈએ. એટલે સાધ્વાચાર IS ( રૂપી અર્થનાં અધિકારવાળું જ છઠું અધ્યયન છે.
ગાથામાં કહ્યું જ છે કે “છટ્ટા અધ્યયનમાં અર્વાધિકાર – આચારકથા છે. તે પણ | મોટી. નાની નહિ. જે કથા વિશિષ્ટપર્ષદાને ઉચિત છે.”
આગળ કહેશે કે “ગોચરી માટે પ્રવેશેલો સાધુ ક્યાંય પણ બેસે નહિ. કે ઉભો રહીને * પણ કથાને, વાતચીતને પ્રકર્ષથી ન બાંધે (અર્થાત્ લાંબો કાળ સુધી વાતચીત ન કરે.)” |
ઉપાશ્રયમાં રહેલા એવા પણ તે સાધુએ કે ગુરુએ વચનનાં દોષ અને ગુણોના - જ્ઞાનવાળા છતાં નિરવઘવચન વડે જ આચાર કહેવો... એટલે નિરવદ્યવચનરૂપી અર્થના || | અધિકારવાળું જ સાતમું અધ્યયન છે. ગાથામાં કહ્યું છે કે વચનવિભક્તિ એ અર્થાધિકાર || નુ છે. વચનની વિભક્તિ એટલે વચનવિભક્તિ. વિભાગ કરવો એ વિભક્તિ. આવા | |પ્રકારનું વચન અનવદ્ય છે અને આવા પ્રકારનું વચન એ સાવદ્ય છે... વગેરે. ગાથામાં
જે પુનઃશબ્દ છે, તે બાકીના અધ્યાયનોનાં અર્વાધિકારો કરતાં આ પ્રસ્તુત તે વચનવિભક્તિરૂપ અર્થાધિકારની વિશેષતા દર્શાવવા માટે છે એટલે સાતમા અધ્યયનમાં તે આ અર્વાધિકાર કહેવાયો..
કહ્યું છે કે “સાવદ્ય અને નિરવઘવચનોના વિશેષને, ભેદને જે જાણતો નથી. તેને | તો બોલવું પણ ઉચિત નથી. તો પછી દેશના કરવાની તો વાત જ શી ?” - હવે આવું નિરવઘવચન તો આચારમાં પ્રણિધાનવાળાને હોય છે એટલે ! આ પ્રણિધાનરૂપી અર્થના અધિકારવાળું જ આઠમું અધ્યયન છે. કહ્યું છે કે, આઠમા
અધ્યયનમાં પ્રણિધાન અર્થાધિકાર તરીકે કહેવાયેલ છે. પ્રણિધાન એટલે ચિત્તનો || " વિશિષ્ટધર્મ. (સંકલ્પ | નિશ્ચય)
કહ્યું છે કે “(આચારમાં) પ્રણિધાનરહિત સાધુનું અહીં નિરવદ્ય પણ વચન સાવદ્યતુલ્ય || rી જાણવું.” (મધ્યાભાર્થીને સંવૃત્ત ?) વગેરે. | આચારપ્રણિધાનવાળો તો ઉચિત વિનયસંપન્ન સાધુ જ બની શકે. એટલે વિનયરૂપી વ
અર્થનાં અધિકારવાળું જ આ નવમું અધ્યયન છે. ગાથામાં કહ્યું છે કે “નવમા અધ્યયનમાં - વિનય અર્વાધિકાર છે” કહ્યું છે કે તે બુધ આચારપ્રણિધાનમાં સમ્યફ રીતે વર્તે છે, કે || * વિચિકિત્સા, ફલશંકા, સંયમચંચળતા વિનાનો જે સાધુ મોક્ષને માટે જ્ઞાનાદિમાં # વિનયવાળે બનેલો હોય.”
આ નવ અધ્યયનાર્થોમાં જે વ્યવસ્થિત હોય તે સમ્યભિક્ષુ છે... આમ આ સંબંધ છે
?
45
પ
=
-
=
=
=
=