________________
ઇલ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ હિ . અધ્ય. ૧ નિયંતિ - ૧૧ જુક છે. શબ્દાર્થવાળો જ છે. બીજો કાલશબ્દ (પહેલા) એ સામયિક = શાસ્ત્રીય છે. '
શાસ્ત્રીય પરિભાષામાં કાલ એટલે મરણ કહેવાય છે. મરણક્રિયાનું કલન થવું એ * મરણકાલ કહેવાય.
ગાથામાં ચ શબ્દ છે, તે સમુચ્ચય અર્થમાં છે.
(૭) પ્રમાણકાલ : દિવસવગેરે રૂપ એક વિશેષ પ્રકારનો અદ્ધાકાળ જ પ્રમાણકાલ * |કહેવાય છે. (સમય, આવલિકા, એ બધો અદ્ધાકાળ છે. દિવસ-પક્ષ વગેરે પણ અદ્ધાકાળ 1 છે. પણ આ દિવસાદિ રૂપ અદ્ધાકાળ પ્રમાણ કાળ તરીકે ઓળખાય છે. લોકમાં ન - સમયાદિકાળવડે વ્યવહાર થતો નથી, માટે એ પ્રમાણભૂતકાળમાં નથી ગણાતા. પણ ન | દિવાસાદિ કાળ એ લોકવ્યવહારમાં ઉપયોગી છે, માટે એ પ્રમાણકાળ કહેવાય છે.) : = (૮) વર્ણકાળ ઃ વર્ણરૂપી કાલ એ વર્ણકાલ. કાળો રંગ-વર્ણ એ વર્ણકાળ કહેવાય. તું
(૯) ભાવકાલઃ સાદિ-સાંત, સાદિ-અનંત વગેરે ભેદોથી જુદા જુદા પ્રકારનો એવો | ઔદયિકાદિભાવકાળ કહેવો. (સિદ્ધ થાય તેઓને ક્ષાયિકભાવ સાદિ-અનંત છે. એટલે R એ સાદિ અનંતરૂપી કાળ એ ક્ષાયિકભાવકાળ કહેવાય. એમ અન્યભાવોમાં પણ સમજી તે ન લેવું.)
ભાવકાલવડે પ્રકૃતિ છે. (દશકાલિક સૂત્ર એ ક્ષાયોપથમિકભાવ છે, એટલે એનો કાળ એ ભાવકાલ કહેવાય.) અહીં રાતિ શબ્દમાં આવેલા વાત શબ્દમાં તો દિવસપ્રમાણકાલવડે અધિકાર છે. તેમાં પણ ત્રીજીપોરિસીવડે અધિકાર છે. તેમાં પણ કે ઘણી પસાર થઈ ચૂકેલી ત્રીજીપોરિસીવડે અધિકાર છે. (શäભવસૂરિએ દિવસના , ત્રીજાપ્રહરના અંતરૂપી પ્રમાણકાળમાં આ દશાધ્યાયનાત્મક ગ્રન્થ રચ્યો છે. એટલે પ્રમાણકાલવડે બનેલો આ ગ્રન્થ હોવાથી અહીં પ્રમાણકાળનો અધિકાર જ ગણાય.) *
પ્રશ્ન : ગાથામાં લખેલ છે કે ભાવકાલવડે અધિકાર છે, અને તમે કહો છો કે દિવસપ્રમાણ કાલવડે અધિકાર છે. તો આ બે વાત શું પરસ્પર વિરોધી નથી લાગતી ? ના
ઉત્તર : બે ય કાળ લઈ શકાય છે. શäભવસૂરિએ ક્ષાયોપથમિકભાવકાલમાં રહીને ૨ આ ગ્રન્થ પૂર્વોમાંથી ઉદ્ધર્યો છે. એટલે ભાવકાળ પણ લેવાય અને એ ત્રીજીપોરિસીનાં
અંતભાગરૂપ પ્રમાણ કાલમાં ઉદ્ધર્યો છે એટલે પ્રમાણકાળનો અધિકાર પણ ગણાય. એટલે કે * કોઈ વિરોધ નથી.
અથવા તો બીજો ઉત્તર એ કે પ્રમાણકાલ પણ ભાવકાલ જ છે. કેમકે પ્રમાણમાલ છે એ (સમય-આવલિકાદિ સ્વરૂપ) અદ્ધાકાળરૂપ જ છે અને અદ્ધાકાલ તો ચન્દ્રસૂર્યાદિક્રિયાત્મક