________________
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૧ ન કરવી. વળી પિત્રે સવિત્રે હૈં... વગેરે વિચિત્રપ્રયોગોનું પણ દર્શન થાય જ છે. અહીં ના અવ્યય નથી, છતાં નમનક્રિયાના યોગમાં પિતૃ શબ્દ અને વિસ્તૃ શબ્દને ચતુર્થીવિભક્તિ કરેલી દેખાય છે.
પ્રશ્ન ઃ સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને શું કરશો ? ઉત્તર : “દશકાલિક નિર્યુક્તિને કીર્તિશ.”
હવે આમાં જે કાળવડે બનેલું હોય તે કાલિક કહેવાય. અહીં કાલવડે એટલે પ્રમાણકાળવડે એમ અર્થ સમજવો. (આ શાસ્ર સાંજના સમય રૂપ પ્રમાણકાલ વડે બનેલ હોવાથી એ કાલિક કહેવાય. કાળનાં વિવિધ નિક્ષેપો-ભેદો અને પ્રમાણકાળની સમજણ 7 માટે જુઓ આવ.નિ.)
હવે આ શાસ્ત્રમાં અધ્યયનનાં દશ ભેદો છે. એટલે આ શાસ્ત્ર દશઅધ્યયનસ્વરૂપ છે, અને એટલે દશપ્રકારનું જે કાલિક તે દશકાલિક કહેવાય. સમાસમાં પ્રકાર શબ્દનો લોપ થવાથી દશકાલિક નામ પડે.
મ
અથવા તો આ ષષ્ઠીવિભક્તિ ચતુર્થીનાં અર્થમાં ન સમજવી, પણ કર્મમાં ષષ્ઠી સમજવી. અર્થાત્ એ બીજીવિભક્તિનો જ અર્થ દર્શાવનાર સમજવી. હ્વા ના યોગમાં તો બીજીવિભક્તિ લાગે જ છે. સર્વસિદ્ધો નમનક્રિયાનું કર્મ બન્યા છે. એટલે એ અર્થમાં જ અહીં ષષ્ઠી વિભક્તિ છે.
न
જોકે આમ તો વશવાનિ એમ નામ છે. પણ એમાં જે વિ શબ્દ છે. (વિ નો નિ મૈં જ થૈ થયો છે.) તેનો અર્થ અમે આગળ કહેશું.
न
शा
‘આ દશકાલિકશાસ્ત્રને વિશે નિર્યુક્તિને કહીશ.
지
शा
=
ना
જે સૂત્ર અને અર્થો પરસ્પર નિર્યુક્ત જ છે નિશ્ચિતસંબંધવાળા જ છે. તે F નિર્યુક્તસૂત્રાર્થોની યુક્તિ ક્રમશઃ જોડાણ કરવું એ નિર્યુક્તયુક્તિ કહેવાય. હવે ખરેખર તો નિર્યુક્તયુક્તિ એમ શબ્દ વાપરવો જોઈએ, પણ વચ્ચેના યુતશબ્દનો લોપ થવાથી નિર્યુક્તિ શબ્દ બને. ટુંકમાં વિપ્રકીર્ણ, સૂત્રથી છૂટા-છવાયા રહેલા એવા અર્થોની યોજનાને હું કહીશ.
ય
य
=
ત
(ક્યા સૂત્રોનો શો અર્થ છે એ તો નિશ્ચિત જ છે. એટલે એ બે વચ્ચે પરસ્પર સંબંધ પાકો જ હોવાથી તે નિર્યુક્ત કહેવાય. પણ આપણે એ નથી જાણતા કે “કયા સૂત્રનો કયા અર્થ સાથે સંબંધ છે ? એટલે ભદ્રબાહુસ્વામી તે તે સૂત્રોને તે તે અર્થો સાથે ક્રમશઃ જોડી આપે છે, કે જેથી આપણને બોધ થાય. આમ તેઓ નિર્યુક્ત સૂત્રાર્થોની યુક્તિ,
૧૨