________________
હુકમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ હુ ક મ અય. ૧ સૂગ-૨ છે. ટીકાર્થ અહીં પ્રશ્ન કરે છે કે દશ અવયવોની નિરૂપણા કરવાની છે, એમાં સૂત્રકારે છે આ પ્રતિજ્ઞા વગેરેને છોડીને સીધું દૃષ્ટાન્ત જ કહ્યું એ શા માટે ? પ્રતિજ્ઞાદિ કેમ ન કહ્યા? | (નિયુક્તિકારે પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુ અને હેતુવિશુદ્ધિ બતાવ્યા છે. સૂત્રકારે તો , , આ બીજા સૂત્રમાં સીધું દષ્ટાન્ત બતાવી દીધું. તો સૂત્રકારે પ્રતિજ્ઞાદિ કેમ ન દર્શાવ્યા ?) .
એનો ઉત્તર એ છે કે “દુષ્ટાન્ત દ્વારા જ હેતુ અને પ્રતિજ્ઞા વિચારી શકાય છે, સમજી [ શકાય છે” એ ન્યાય દેખાડવા માટે સૂત્રકારે પ્રતિજ્ઞાદિ દર્શાવ્યા નથી.
પ્રસંગથી સર્યું. પ્રકૃતપદાર્થને કહીએ છીએ. તેમાં
જે પ્રમાણે દ્રુમનાં પુષ્પોને વિશે ભ્રમર નામનો એક પ્રકારનો ચઉરિન્દ્રિયજીવ મર્યાદા વિડે રસને પીએ છે... આ દૃષ્ટાન્ત છે.
આમાં દ્રમશબ્દનો અર્થ પૂર્વે કહી ગયા છે. પુષ્પશબ્દનો અર્થ પણ પૂર્વે કહી જ ગયા
પ્રશ્ન : ગાથામાં સુમપુત્યુ એમ સમાસ કેમ ન કર્યો ? ડુમસ પુસુ એમ બે પદો * અસમસ્ત = જુદા જુદા કેમ કહ્યા?
ઉત્તર: ગાથામાં ડુમસ અને પુસુ એમ બે અસમસ્તપદોનું કથન કર્યું છે, સમાસ 'ન નથી કર્યો એ ઉપમેયમાં ગૃહસ્થરૂપી વૃક્ષોનો આહારાદિપુષ્પોને આશ્રયીને વિશિષ્ટસંબંધ ન Fછે” એવું પ્રતિપાદન કરવા માટે છે, એમ સમજવું.
હૃમ અને પુષ્પ એ ઉપમા છે. ધુમથી ગૃહસ્થ અને પુષ્પથી આહાર સાથે સરખામણી ના " કરવાની છે. એટલે ગૃહસ્થ અને આહાર આ બે વસ્તુ ઉપમેય છે. છઠ્ઠી વિભક્તિનો અર્થ = ના સંબંધ છે. બે વસ્તુ વચ્ચે સંબંધ બતાવવો હોય ત્યારે ષષ્ઠી વિભક્તિ વપરાય. પ્રસ્તુતમાં ના
સુમ પુખે, એમાં છઠ્ઠી વિભક્તિ કરી છે. આમ તો આ બે પદોનો સમાસ પણ કહી ! | શકાત. પણ સૂત્રાકારે ગૃહસ્થ અને આહાર વચ્ચે વિશિષ્ટ સંબંધ દર્શાવવો છે, એટલે તુમસ 8 શબ્દ જુદો રાખી છઠ્ઠી વિભક્તિ દર્શાવી છે.)
પ્રશ્ન : એ વિશિષ્ટ સંબંધ ક્યો છે ?
ઉત્તર : અન્યાય વડે ઉપાર્જન કરાયેલ વિત્તનું ધનનું=વસ્ત્ર, પાત્ર, ભોજનાદિનું ! ગૃહસ્થ દાન કરે તો પણ ત્યાં એ ગ્રહણ કરવું નિષિદ્ધ જ છે. આશય એ છે કે ગૃહસ્થ