SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૯૨ અહીં માધવ: એ ધર્મીનો પક્ષનો નિર્દેશ છે. બાકી બધું સાધ્યધર્મ છે. (જિનશાસનમાં ધર્મનિષ્પાદન) આ આખો પ્રતિજ્ઞાનિર્દેશ છે. = હવે હેતુનાં નિર્દેશને કહે છે કે હેતુ આ છે કે “જે કારણથી પારમાર્થિક-ઉપચારરહિત એવા અહિંસાદિ પદાર્થોમાં તેઓ યત્ન કરે છે.'' અહિંસાવિ માંના આવિ શબ્દથી મૃષાવાદાદિની વિરતિનું ગ્રહણ કરવું. અહીં અન્યલોકો કહે છે કે “સાધુઓ સદ્ભાવથી અહિંસાદિમાં યત્ન કરે છે. એટલે કે સકલ દુઃખોનાં વાસ્તવિક ક્ષયને માટે જ યત્ન કરે છે.” न મ (સાદ્રાવિષેષુ એ સપ્તમીવાળો શબ્દ અહિંસાવિષ્ણુ નું વિશેષણ બને. એનો ભાવાર્થ એ છે કે સાંખ્ય વગેરે દર્શનોમાં આત્મા એકાન્તે નિત્ય હોવાથી એની હિંસા ખરેખર તો ઘટતી જ નથી, અને એટલે જ અહિંસા પણ નથી ઘટતી. પણ તેઓ વાસ્તવિક હિંસા ન ઘટતી હોવાથી ઔપચારિક હિંસા ઘટાવીને એ રીતે અહિંસાને ઘટાવે છે. * જ્યારે જૈનદર્શનમાં આત્મા કથંચિત્ નિત્યાનિત્ય માનેલો હોવાથી આત્મદ્રવ્યનો તે વિનાશ ન થતો હોવા છતાં એના મનુષ્યાદિ પર્યાયનો વિનાશ તો થાય જ છે, એટલે 1 મેં એ રીતે જૈનદર્શનમાં વાસ્તવિક હિંસા ઘટે છે, અને માટે જ વાસ્તવિક અહિંસા પણ ઘટે છે. = વાસ્તવિક અહિંસાદિમાં યત્નવાળા છે. આમ જૈનસાધુઓ નિરુપચરિત કાલ્પનિક અહિંસાદિમાં યત્નવાળા બને છે. ન સાંખ્યલોકો ઉપરિત હવે જો સત્ત્વવેત્ત એમ તૃતીયાન્ત શબ્દ લઈએ, તો એનો ભાવાર્થ એ છે કે 7 शा निरुपचरितसकलदुःखक्षयाय । T 저 આ શબ્દનાં પણ બે રીતે અર્થ થાય. એમાં નિરુપતિ શબ્દ જો દુઃખનું વિશેષણ F ના લો તો એનો ભાવાર્થ એ કે વાસ્તવિક એવા જે સકલ દુઃખો, તેના ક્ષયને માટે સાધુઓ મૈં યત્ન કરે છે. સાંખ્યમતમાં દુ:ખ વગેરે તો બુદ્ધિનાં ગુણો હોવાથી એ આત્મામાં ઘટતાં વ નથી. તેઓ આત્મામાં દુઃખનો માત્ર ઉપચાર જ કરે છે. એટલે એમના મતે સકલ દુઃખો ઔપચારિક છે. અને એવા દુઃખોનો ક્ષય કરવા તેઓ યત્ન કરે છે. હવે જે ખરેખર દુઃખ છે જ નહિ, એના ક્ષય માટેનો પ્રયત્ન તો મૂર્ખતા જ ગણાય ને ? જૈનદર્શનમાં તો આત્મામાં એ દુઃખો વાસ્તવિક રીતે ઘટે છે. એટલે તેના ક્ષય માટેનો પ્રયત્ન પણ જૈનો કરી શકે. હવે જો નિરુપવૃતિ શબ્દ ક્ષય નું વિશેષણ લો તો એનો ભાવાર્થ આ પ્રમાણે કે ૨૫૬ *
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy