________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૦૫
ઉત્તર ઃ તમારા મતે સંસારી કે મુક્ત બંને આત્મા એકાન્તે અકર્તા છે. એમાં કોઈપણ પ્રકારનાં અતિશયનું આધાન પણ થતું નથી. તો આવા અનાધેય-અતિશયવાળા, એકાન્તે અકર્તા એવા આત્મા પ્રત્યે તો પ્રકૃત્યાદિનો વિયોગ પણ સાવ અકિંચિત્કર=નકામો જ બની રહે છે.
(આ પદાર્થ દૃષ્ટાન્ત દ્વારા સમજીએ. કોઠારમાં પડેલા બીજમાંથી અને નદીકિનારે પડેલ કાંકરામાંથી... બેમાંથી એકેયમાંથી અંકુરાની ઉત્પતિ થતી જ નથી એ તો બધા જ 7 જાણે છે. હવે આ બીજ અને કાંકરાને ખેતરમાં જમીન અંદર નાંખી ખાતર-પાણી વગેરે 7 મો પૂરું પાડવામાં આવે તો બીજમાંથી અંકુરો થશે, પણ કાંકરામાંથી અંકુરો નથી થતો. આવું ૬ શા માટે ? જો બીજમાંથી અંકુરો થવાની પાત્રતા હતી, તો કોઠારમાં રહેલા બીજમાંથી 5 = અંકુરો શા માટે થતો ન હતો ? કોઠારસ્થ કે ક્ષેત્રસ્થ બેય બીજ તો એક જ છે તે ? તો સ્ત્ર એકમાંથી અંકુરો ન થાય અને એકમાંથી અંકુરો થાય એવું શા માટે ?
H
જો એમ કહીએ કે કોઠારસ્થ બીજને ખાતર-પાણી વગેરે સહકારી કારણો મળેલા ન હતા, એટલે એમાંથી અંકુરો ન થયો, અહીં બધા સહકારી કારણો મળી જવાથી અંકુરો, 7 થયો.”
તો પ્રશ્ન એ થાય કે કોઠારસ્થબીજ કોઠારમાં જેવું, હતું એવું ને એવું જ ખેતરમાં સહકારિકારણો મળ્યા પછી છે ? કે એમાં કંઈક વિશેષતા આવી છે ? જો એમાં કોઈપણ વિશેષતા ન આવી હોય તો તો એ જેમ કોઠારમાં અંકુરને ઉત્પન્ન કરનાર ન હતું, એ રીતે અહીં અંકુરને ઉત્પત્તિ કરનાર ન જ બનવું જોઈએ. કેમકે એ તો બેય જગ્યાએ એક
न
न
સરખું જ છે. જેમ કાંકરો કિનારે હતો કે ખેતરમાં હતો એમાં કોઈ જ ફેરફાર થયો નથી, શા માટે જ તો એ અંકુરાને ઉત્પન્ન કરતું નથી. સહકારી મળવા છતાં કામ કરતુ નથી. કેમકે શા મૈં એમાં કોઈપણ વિશેષતા આવી નથી. તો એ જ પ્રમાણે બીજમાં પણ જો વિશેષતા ન F ના આવી હોય તો સહકારિકારણો મળવા છતાં પણ અંકુરો ન જ થવો જોઈએ, પણ અંકુરો 4 થાય તો છે જ. એટલે એમ માનવું જ જોઈએ કે કોઠા૨સ્થ અંકુરમાં જે વિશેષતા, અતિશય ય ન હતો, સહકારિકા૨ણોએ બીજમાં એ અતિશય ઉત્પન્ન કરી દીધો અને એટલે અતિશયવાળું બીજ અંકુરોત્પાદક બને છે. આમ સહકારિકારણો બીજમાં અતિશયોત્પાદક બને છે, એ વાત નક્કી થઈ.
જેમ વસ્તુનો સંયોગ અતિશયનું આધાન કરવા દ્વારા કાર્યોત્પાદક બને, તેમ વસ્તુનો વિયોગ પણ અતિશયનું આધાન કરવા દ્વારા કાર્યોત્પાદક બને. દા.ત. કુપથ્યસેવન જીવને રોગાદિદુઃખો + તાત્કાલિક સુખ આ બંને આપે છે. જો કુપથ્યસેવન દૂર થાય તો જીવ
૧૯૬
***