________________
૫
Sલ દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૬૮ સ્થાપનાવતારમ, ક ટીકાર્થ : વ્યભિચારવાળો જે હેતુ હોય તે સવ્યભિચાર હેતુ કહેવાય. હેતુ એટલે કે - સાધ્યધર્મના અન્વયાદિ લક્ષણવાળો પદાર્થ. (જો કે વ્યભિચારવાળો છે, એટલે સાચોહેતુ » નહિ બને... અહીં તો માત્ર હેતુ શબ્દની વ્યાખ્યા બતાવવાની છે, એટલે હેતુનું વાસ્તવિક |
લક્ષણ દર્શાવ્યું છે.) | વ્યભિચારવાળો હેતુ તે જ ક્ષણે કહીને તે જ ખોટા હેતુને બીજા હેતુઓ વડે અનેક આ પ્રકારે વિસ્તારતો પુષ્ટ કરતો સાધુ તે ખોટા હેતુની ઉપબૃહણા કરે. પણ આ કામ પોતાનું , * પ્રજ્ઞાબલ અને સામેવાળાનું પ્રજ્ઞાબલ જાણીને જ કરે. (પોતાનું પ્રજ્ઞાબલ એવું હોય કે પોતે ' ખોટા પણ હેતુને સાચો સાબિત કરી શકે અને પૂર્વપક્ષનું પ્રજ્ઞાબલ એવું હોય કે એ આપણી નું યુક્તિઓને તોડી ન શકે તો જ એ સાધુએ આ ખોટા હેતુને બીજા હેતુઓ વડે પુષ્ટ કરવાનું | કામ કરવું. નહિ તો તો જો પૂર્વપક્ષ બળવાન હોય તો આ ખોટાહેતુને સખત રીતે તોડી
નાંખે. લોકમાં આ સાધુ મૃષાવાદી તરીકે સાબિત થાય.. એ મોટું પાપ લાગે. ત, શાસનહીલના ભયંકર થાય.)
ગાથામાં રહેલા શબ્દથી પરહ્ય લેવાનું છે. ભાવાર્થ આ પ્રમાણે છે.
દ્રવ્યાસ્તિકાય વગેરે અનેક નયોથી ભરેલા એવા પ્રવચનને જાણનારા સાધુએ એ વિના પ્રવચનની સ્થાપના કરવા માટે બીજા નયનાં મતની અપેક્ષાએ વ્યભિચારવાળા એવા નિ|
હેતુને કહીને પછી પ્રતિપક્ષનયમતનાં અનુસાર તેવી રીતે એ હેતુનું સમર્થન કરવું કે જેથી Mા શ્રોતાને સમ્યમ્ રીતે અનેકાન્તવાદની પ્રતિપત્તિ થાય. M. (આ પદાર્થ સ્પષ્ટ કરીએ. જ્ઞાનનયવાદી શ્રોતાઓ હોય, તેઓ જ્ઞાનને જ મુખ્ય | - ગણે, ક્રિયાને ન માને. હવે “મોક્ષનું કારણ ક્રિયા છે,” એ ક્રિયાવાદીનો મત છે. આ ના I. વાતને સિદ્ધ કરવા ક્રિયાનય અમુક હેતુઓ આપે જ છે. એ હેતુઓમાં જ્ઞાનનયની
અપેક્ષાએ વ્યભિચાર આવતો હોય. પણ ક્રિયાનયની અપેક્ષાએ વ્યભિચાર આવતો નથી. | . હવે જ્ઞાનનયની અપેક્ષાએ જે હેતુ વ્યભિચારવાળો છે, ગીતાર્થ સાધુ એ જ હેતુ * જ્ઞાનવાદીઓની સામે રજુ કરે. જ્ઞાનવાદીઓ એ હેતુમાં વ્યભિચાર આપવા પ્રયત્ન કરે, * પણ ગીતાર્થ સાધુ પ્રતિપક્ષનય- ક્રિયાનયને અનુસારે એ હેતુનું એવું જોરદાર સમર્થન કરે * છે કે જ્ઞાનવાદીઓએ એ વાત માનવી જ પડે કે “મોક્ષ માટે ક્રિયા પણ અત્યંત જરૂરી છે.” છે. હવે જ્ઞાનવાદીઓ મોક્ષ માટે જ્ઞાનને તો અત્યંત જરૂરી માનતા જ હતા. તેઓ હવે
F
F
=