________________
અને દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહુ જ અય. ૧ નિયુક્તિ - ૬૦
પ્રશ્ન : આ રીતે આત્માને નિત્ય માનવામાં અનેક આપત્તિ આવે છે, તો અમે આ આ આત્માને અનિત્ય જ માનશું.
ઉત્તરઃ આ રીતે અનિત્ય-એકાન્તનો સ્વીકાર ન થઈ જાય એ માટે હવે કહે છે કે એકાન્ત અનિત્યતા માનવામાં પણ સુખદુઃખની કલ્પના અસંગત બને છે.
ગાથામાં તુચ્છેગંધિ શબ્દ લખેલ છે. એનો અર્થ આ પ્રમાણે કરાય કે કાન્તન - સર્વથા સત્ પ્રબળતાથી છેઃ વિનાશ એટલે એકાન્ત-ઉચ્છેદ. અર્થાત્ નિરવય-નાશ.
(નાશ બે પ્રકારનો છે, સાન્વયનાશ અને નિરવયનાશ સુવર્ણઘટ તોડીને સુવર્ણમુકુટ || " કરાય, તો સુવર્ણમુકુટમાં ઘટનો નાશ છે, પણ સુવર્ણઘટમાં જે સુવર્ણ છે, એ તો "
સુવર્ણમુકૂટમાં પણ છે. એટલે અહીં સુવર્ણનો અન્વય છે, ઘટનો નાશ છે. તો આ ઘટનાશ | ને સુવર્ણના અન્વયવાળો હોવાથી સાન્વયનાશ કહેવાય. એકાન્ત-અનિત્યવાદીઓ આવો | સાન્વયનાશ નથી માનતા. તેઓ કહે છે કે સુવર્ણઘટમાં જે સુવર્ણ છે અને ઘટ છે, તે
બંને ખતમ થઈ જાય છે. સુવર્ણમુકૂટની ઉત્પત્તિ થાય છે તેમાં મુકૂટ તો નવો છે જ, તે પણ સુવર્ણ પણ તદ્દન નવું જ છે. ઘટનું સુવર્ણ જ મુકૂટ સુવર્ણ રૂપ નથી. ઘરનું સુવર્ણ ત | સર્વથા ખતમ જ થઈ ચૂક્યું છે.
આવા પ્રકારનો નિરન્વયનાશ એ જ એકાન્તોચ્છેદ કહેવાય છે. એ જિનમતને માન્ય | નથી. તે શા માટે? તે જ બતાવે છે કે એકાન્તોચ્છેદમાં સુખ-દુઃખ નથી ઘટતાં, માટે તે | મત માન્ય નથી.”) આ પ્રશ્ન : એકાન્ત-ઉચ્છેદ મતમાં સુખ-દુઃખ નથી ઘટતાં એવું આપશ્રી ક્યા આધારે ' કહો છો ?
ઉત્તર ઃ એકાન્તનિત્યવાદની જેમ એકાન્તોચ્છેદમતમાં પણ વાંધો એ આવે કે સુખાદિનો અનુભવ કરનાર જે છે, તેનો તો તે જ ક્ષણે - સુખાનુભાવસ્થળે જ સંપૂર્ણપણે આ | ઉચ્છેદ થઈ જાય છે. હવે એનો સંપૂર્ણપણે ઉચ્છેદ થઈ જાય તો પછી ઉત્તરક્ષણની ઉત્પત્તિનું ના કારણ કોણ બને? કોઈ હાજર ન હોવાથી કારણ કોણ ગણાય? આમ ઉત્તરક્ષણની ઉત્પત્તિ થ હેતુ વિના જ થયેલી માનવી પડે. હેતુ વિના તો વસ્તુની ઉત્પત્તિ ન જ ઘટે. આમ | ઉત્તરક્ષણ અહેતુક બની જતી હોવાથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ સંગત થતી નથી. કે કે હવે જો ઉત્તરક્ષણની ઉત્પત્તિ પણ સંગત ન થાય તો પછી તેનું વિકલ્પન તો ઘટે જ છે :: શી રીતે ? છે (દા.ત. પ્રથમ સમયે આત્મા સુખને અનુભવે છે, તો એ આત્મા પોતે સુખ કહેવાય.
|
E
E
E
F
G