________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૬૦ જો સ્ફટિક પણ પોતાના મૂળસ્વભાવમાં જ હોય, એમાં લેશ પણ ફર્ક ન પડ્યો હોય તો લોખંડની માફક એમાં પણ લાલાશ અનુભવાવી ન જોઈએ.
પ્રસ્તુતમાં પ્રકૃતિમાં રહેલ સુખ-દુઃખાદિ આત્મામાં દેખાય છે, એમ માનીએ તો પણ આવું તો માનવું જ જોઈએ કે આત્મા સ્વયં પણ સુખરૂપે પરિણામ પામેલો જ છે. તો જ એમાં સુખની અનુભૂતિ થાય. અર્થાત્ આત્માનાં પૂર્વસ્વભાવ કરતાં ઉત્તરસ્વભાવ જુદાનો બન્યો જ છે. તો જ એમાં પૂર્વે સુખ ન હોવું અને પછી સુખ હોવું એ સંગત ” થાય.)
न
मा પ્રશ્ન : ચાલો, માની લઈએ કે પૂર્વે અસુખી આત્મા તેવા પ્રકારે સુખરૂપે પરિણમે મો ૬ છે... બોલો. હવે તો સુખાદિ પદાર્થ વાસ્તવિક કહેવાશે ને ? હવે તો એ કાલ્પનિક નહિ સ્તુ ને ?
स्त
त
屈
स्मै
ઉત્તર : બરાબર પણ આ રીતે “પૂર્વે અસુખી આત્મા સુખરૂપે પરિણમે છે” એમ સ્વીકારશો, તો તો તમારો જે અભ્યપગમ-મત છે કે આત્મા નિત્ય છે. તેની ક્ષતિ-હાનિ ૐ થાય. કેમકે અસુખી આત્મા સુખી થાય તો એ નિત્ય ન રહ્યો, અનિત્ય બની ગયો. આમ પ્રકૃતિના ઉપધાનની આત્માને સુખદુઃખ માનવાની વાત બરાબર નથી. જે બુદ્ધિના પ્રતિબિંબની માન્યતાવાળો પક્ષ છે, તેમાં પણ આ જ વાંધો આવે કે આત્મા તો નિત્ય, અવિચલિત છે. એટલે તે કાયમ માટે એકજ સ્વભાવવાળો રહે. અને એટલે જો એમાં બુદ્ધિનું પ્રતિબિંબ માનો તો કાયમ માટે એકજ પ્રકારનું પ્રતિબિંબ માનવાની આપત્તિ આવે. કેમકે જો પ્રતિબિંબ બદલાય તો તો પૂર્વે જુદા પ્રતિબિંબવાળો न આત્મા હવે અલગ પ્રતિબિંબવાળો બન્યો, અને તો પછી એ નિત્ય જ ન ગણાય. એટલે એને નિત્ય માનવો હોય તો કાયમ માટે એકજ પ્રતિબિંબ માનવું જરૂરી બને. અને તો મેં પછી કાં તો માત્ર સુખનું કે માત્ર દુઃખનું જ પ્રતિબિંબ માનવું પડે. અને તો પછી આત્મા ના માત્ર સુખી કે માત્ર દુ:ખી જ માનવો પડે. જે માન્ય નથી.
जि
जि
મ
शा
शा
म
ना
य
હવે જો અહીં પણ એમ માનો કે “આત્મા પૂર્વે સુખપ્રતિબિંબવાળો હોવાથી ય સુખસ્વભાવવાળો અને પછી દુ:ખ પ્રતિબિંબવાળો બનવાથી દુઃખસ્વભાવવાળો બને છે. આમ એનો સ્વભાવ બદલાઈ જાય છે, અને એ રીતે આત્મામાં સુખ અને દુઃખ બંને સંગત
થાય.”
પણ આ રીતે જો સ્વભાવભેદ માનશો તો એ આત્મા અનિત્ય માનવાનો પ્રસંગ
આવે.
૧૬૦