________________
* *
૪૯ ૪૯
*
*
-
_
-
દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહુ અધ્ય. ૧ નિયુક્તિ - ૬૦ ૩
ટીકાર્થ : સમ્યગુ એવો પ્રયોગ અથવા તો સંગત થાય તેવો પ્રયોગ તે સંપ્રયોગ ( તે કહેવાય. એનો ભાવાર્થ એ કે અકાલ્પનિક, વાસ્તવિક,
અકલ્પિત સુખદુઃખ ન ઘટે. પ્રશ્ન : શેમાં ન ઘટે ?
ઉત્તર : નિત્યવાદનો સ્વીકાર કરીએ તો અકલ્પિત સુખાદિ ન ઘટે, કલ્પિત તો તેઓના મતમાં છે જ. કેમકે નિત્યવાદીઓ કહે છે કે પ્રકૃતિના ઉપધાનથી, સંબંધથી, II સામીપ્યથી પુરુષને સુખ અને દુઃખ થાય છે. જેમ સ્ફટિકમાં રક્તતાદિ થાય છે તેમ ન - કેટલાકો એમ કહે છે કે બુદ્ધિના પ્રતિબિંબથી પુરુષને સુખ-દુઃખાદિ થાય છે. • (જેમ F"|
સ્ફટિક તદ્દન નિર્મળ છે, પણ એની નજીકમાં લાલ વસ્ત્ર મુકીએ તો એના કારણે સ્ફટિક | ન લાલ થાય. એમ આત્મા-પુરુષ સુખદુઃખાદિ વિનાનો છે. પરંતુ પ્રકૃતિતત્ત્વ એની સાથે
જોડાય એટલે પુરુષમાં સુખ-દુઃખાદિ દેખાય. જેમ સ્ફટિકમાં દેખાતી લાલાશ ખરેખર તો | વસ્ત્રની જ છે, તેમ પુરુષમાં દેખાતા સુખદુઃખાદિ એ ખરેખર તો પ્રકૃતિના જ છે. આપણે જેમ કાર્મણવર્ગણાદિ પદાર્થો માનીએ છીએ, એમ સાંખ્યો પ્રકૃતિ વગેરે પદાર્થોની કલ્પના ત કરે છે. તેમના જ મતમાં કેટલાકો એમ કહે છે કે જેમ દર્પણ નિર્મળ છે, એની સામે ને (કોઈ માણસ ઉભો રહે તો એના મુખનું પ્રતિબિંબ દર્પણમાં પડે. હવે એ મુખ ઉપર જે સારા-નરસા ડાઘો હોય તે પેલા દર્પણમાં પણ દેખાય. એમ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિતત્ત્વમાં જ સુખ અને દુઃખ રહેલા છે. આત્મા દર્પણ જેવો છે, પણ એ બુદ્ધિતત્ત્વનું | "ી આત્મામાં પ્રતિબિંબ પડે છે, એટલે બુદ્ધિમાં રહેલા સુખ અને દુઃખ આત્મામાં પણ દેખાય ન
Yr 5 E
F
- પ્રશ્ન : પણ એમણે માનેલા આ સુખ-દુઃખ ખોટા છે = કાલ્પનિક છે = વાસ્તવિક FIનથી. એમ ક્યા આધારે કહી શકાય ?
ઉત્તર : એમના મનમાં સુખ-દુઃખાદિ કલ્પિત જ બને છે, કેમકે જો આત્મા સ્વયં = પરમાર્થથી સુખરૂપે પરિણામ પામતો ન હોય તો એને સુખાદિનો અભાવ જ માનવો પડે.
દા.ત. લાલ વસ્ત્રાદિરૂપ ઉપધાનની સન્નિધિ થવા છતાં પણ જેમ અન્ધ-પત્થરમાં રક્તતાદિ | નથી થતાં તેમ. (આશય એ છે કે સ્ફટિક અને લોખંડ, આ બેયની પાસે લાલવસ્ત્ર કે મૂકવામાં આવે તો સ્ફટિકમાં લાલાશ જણાય છે, લોખંડમાં લાલાશ થતી નથી. આનો છે. આ અર્થ જ એ કે એ વખતે લોખંડ અને સ્ફટિકમાં ચોક્કસ કોઈક ભેદ તો છે જ. એટલે એમાં છે
માનવું જોઈએ કે સ્ફટિક પોતે પોતાનો શુદ્ધસ્વભાવ બદલીને રક્તસ્વભાવને કોઈક રીતે ન » ગ્રહણ તો કરે જ છે. લોખંડમાં એવું થતું નથી, માટે એ રક્તતાને ધારણ કરતો નથી.