________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૪૮ સંયમ અને તપરૂપ છે. જ્યાં જ્યાં ધર્મશબ્દ લઈએ, ત્યાં અહિંસા, સંયમ અને તપ આવી જ જાય. એટલે એ જુદા બતાવવાની જરૂર નથી. (એટલે ગાથામાં જે અહિંસા સંનમો તવો શબ્દ લખેલો છે, એ ન લખવો જોઈએ. (દા.ત. તીર્થકરો મહાન છે, પ્રભુવીર મહાન છે” એમ બોલીએ એટલે પ્રશ્ન થાય જ કે તીર્થંકરોમાં પ્રભુવીર આવી જ ગયા, તો પછી “પ્રભુવીર મહાન છે” એમ બોલીએ એટલે પ્રશ્ન થાય જ કે તીર્થંકરોમાં પ્રભુવીર આવી જ ગયા, તો પછી પ્રભુવીર મહાન છે” એ બોલવાની જરૂર જ નથી.)
એનો ઉત્તર આપે છે કે તમારી વાત બરાબર નથી. અહિંસા, સંયમ અને તપ એ માઁ ધર્મનાં કારણ છે, અને ધર્મ કાર્ય છે. માટે ધર્મશબ્દ અને અહિંસાદિ શબ્દ... એ બંનેનું મો ગ્રહણ કરવું જ પડે.
S
(પ્રશ્ન : ધર્મકાર્ય છે અને અહિંસાદિ કારણ છે એ વાત સાચી. પણ એટલે બંનેનું સ્તુ ગ્રહણ કરવું જ પડે એવું થોડું છે ? જેમ દીપક કારણ છે, પ્રકાશ કાર્ય છે. છતાં દીપકનું ગ્રહણ કરો તો પ્રકાશ એની મેળે સમજાઈ જ જાય. બંને અભિન્ન જેવા છે...)
ઉત્તર ઃ કાર્ય અને કારણ વચ્ચે કોઈક અપેક્ષાએ ભેદ હોવાથી ધર્મ અને અહિંસાદિનું ત # ગ્રહણ કરવું જરૂરી છે.
न
પ્રશ્ન ઃ કાર્ય અને કારણ વચ્ચે કોઈક અપેક્ષાએ ભેદ છે એવું શી રીતે કહેવાય ? ઉત્તર ઃ ધર્મ એ દ્રવ્યપર્યાય ઉભયરૂપ હોવાથી ધર્મરૂપી કાર્ય અને અહિંસાદિરૂપ કારણો વચ્ચે કથંચિત્ ભેદ સિદ્ધ થાય છે.
जि
મૈં
કહ્યું છે કે “જે કારણથી ઘટ પૃથ્વી-માટીથી જુદો નથી (માટીથી તદ્દન જુદો એવો માટીઘટ અનુભવાતો જ નથી) તે કારણથી ઘટ પૃથ્વીથી અનન્ય અભિન્ન છે. પણ જે કારણથી ઘટ બનતા પૂર્વે એજ માટી “ઘટ” એ પ્રમાણે ન હતી, તે કારણથી ઘટ પૃથ્વીથી જુદો છે.” (અહીં માટી કારણ છે, એ દ્રવ્ય છે. ઘટ કાર્ય છે, એ પર્યાય છે. એ બે વચ્ચે અપેક્ષાએ ભેદ અને અપેક્ષાએ અભેદ છે. એમ પ્રસ્તુતમાં અહિંસાદિ એ કારણ છે અને ધર્મ
ना
य
-
可
એ કાર્ય છે. એ બે વચ્ચે કથંચિર્ભેદ માની શકાય છે. જો કે માટી પણ અપેક્ષાએ પર્યાય છે છતાં અહીં અમુકષ્ટિએ એને દ્રવ્ય કહેલ છે એમ જાણવું)
(પ્રશ્ન ઃ માટીરૂપી કારણ એ દ્રવ્ય છે અને ઘટરૂપી કાર્ય પર્યાય છે જ્યારે અહીં અહિંસાદિરૂપ કારણ એ પર્યાય છે, ધર્મરૂપી કાર્ય એ દ્રવ્ય છે. એટલે માટીઘટનું દૃષ્ટાન્ત # અહીં સંગત થતું નથી. અહિંસા અને ધર્મ વચ્ચે અવયવ-અવયવીભાવ છે. અહિંસાદિ ધર્મના અવયવ છે, ધર્મ અહિંસાદિનો અવયવી છે.)
૧૨૫
E F