SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૪૮ तवस्सी नाम जो उग्गतवचरणरओ, गिलाणो नाम रोगाभिभूओ, सिक्खगो णाम जो अहुणा पव्वइओ, साहम्मिओ णाम एगो पवयणओ ण लिंगओ, एगो लिंगओ ण पवयणओ, एगो लिंगओ वि पवयणओ वि, एगो ण लिंगओ ण पवयणओ, कुलगणसंघा पसिद्धा चेव । હવે વૈયાવચ્ચ કહેવાય છે. મ તેમાં વ્યાવૃતભાવ એટલે વૈયાવચ્ચ. ટુંકમાં ગુર્વાદિના કાર્યોમાં વિશેષથી પરોવાઈ જવું, વ્યાપારિત થઈ જવું એ વ્યાવૃતભાવ કહેવાય. કહ્યું છે કે ‘(૧) વૈયાવચ્ચ એટલે વ્યાવૃતભાવ ! આ જિનશાસનમાં ધર્મને સાધવાને માટે વિધિપૂર્વક અન્નાદિનું દાન કરવું, સંપાદન કરવું તે વૈયાવચ્ચ છે. આ પ્રમાણે વૈયાવચ્ચશબ્દનો ભાવાર્થ છે. (ગુર્વાદિને અન્નાદિ આપીએ, તો એમાં આપણાં પણ ધર્મની સિદ્ધિ થાય અને ગુર્વાદિને પણ શરીરાદિ સ્વસ્થ થવાથી ધર્મ કરવામાં અનુકૂળતા આવે. આમ એમના પણ ધર્મની સિદ્ધિ થાય. આમ બંને રીતે ધર્મને સાધવાને માટે આ | વૈયાવચ્ચ કરાય.. त T અથવા તો એવો અર્થ પણ થાય કે ધર્મનું સાધન શરીર છે, અને તેનું નિમિત્ત વૈયાવચ્ચ છે. અન્નાદિસંપાદનરૂપ વૈયાવચ્ચ દ્વારા ગુર્વાદિનું શરીર ટકે છે, એ સ્પષ્ટ છે.) (૨) તે વૈયાવચ્ચ અહીં આચાર્ય-ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, ૐ સાધર્મિક, કુલ, ગણ અને સંઘસંબંધી કરવાનું છે. અર્થાત્ આચાર્યદિનું વૈયાવચ્ચ કરવાનું નિ = છે.” (એ આચાર્યાદિનું જ અત્રે વર્ણન કરે છે.) न • તેમાં આચાર્ય પાંચ પ્રકારનાં છે. शा न मा S તે આ પ્રમાણે (૧) દીક્ષા આપનાર આચાર્ય ना (૨) જેનું દિગ્લંધન થાય, તે દિગાચાર્ય (અર્થાત્ જે આચાર્યનાં શિષ્ય તરીકે નામ ય જાહેર થાય તે.) (૩) સૂત્રનો ઉદ્દેશો કરાવે તે ઉદ્દેશાચાર્ય. (૪) સૂત્રનો સમુદ્દેશ કરાવે તે સમુદ્દેશાચાર્ય (૫) વાચના આપનાર વાચનાચાર્ય. • ઉપાધ્યાય તો પ્રસિદ્ધ જ છે. ૧૧૯ स * * *
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy