SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિર્યુક્તિ - ૪૦ કર્યું કહેવાય. શરીરને શાતા આપી કહેવાય. પણ આ તો કોઈપણ ચેષ્ટા કરતો જ નથી. એટલે ચેષ્ટાની દૃષ્ટિએ તે સંપૂર્ણપણે નિષ્પતિકર્મશરીરવાળો છે. તથા જેમ વૃક્ષ પોતાની મેળે કંઈપણ હલન-ચલન ન કરે, એમ આ સાધુ પણ પોતાની મેળે કંઈપણ હલનચલનાદિ ન કરે. માટે એ પાદપનું અત્યંત સદેશ વર્તન, ઉપગમન કરનાર છે.) આ પાદપોપગમન બે પ્રકારે છે. (અ) વ્યાઘાતવત્ (બ) નિર્વ્યાઘાતવત્. મ મા તેમાં વ્યાઘાતવત્ એટલે સિંહ વગેરેના ઉપદ્રવરૂપ વ્યાઘાત થાય ત્યારે જે જે અનશન કરાય તે કહ્યું છે કે સિંહ વગેરે વડે અભિભૂત થયેલો સ્થિરચિત્તવાળો સાધુ જો પોતાનું આયુષ્ય પૂર્ણાહૂતિ પામતું હોય તો એ જાણીને પાદપોપગમન કરે. પણ આ માત્ર ગીતાર્થ મ ૐ જ સાધુ કરે. (આશય એ કે સિંહ વગેરેનો ઉપદ્રવ આવે અને ગીતાર્થ સાધુ જ્ઞાનથી જાણે સ્તુ કે “હું આમાંથી બચી શકવાનો જ નથી.” તો પછી તે આ અનશન સ્વીકારી લે. મ્યુ અગીતાર્થ આ ન સ્વીકારે. કેમકે ગમે તે કારણે જો એ સિંહ તેને ન મારે, તો પછી એ સાધુ શું કર? હવે મરવું જ પડે. કેમકે પાદપોપગમનમાં કોઈ આગાર-છૂટ નથી. એટલે અગીતાર્થો તો તે વખતે સાગાર અનશન કરે કે “આ ઉપદ્રવમાંથી મુક્ત ન થાઉં ત્યાં સુધીનું મારે અનશન...”) ત 位 નિર્વ્યાઘાતવાળું અનશન તો તે છે કે જે સૂત્ર, અર્થ, તદુભયમાં નિષ્ઠા પામે, સાધુ શિષ્યોને તૈયાર કરીને ઉત્સર્ગમાર્ગે બાર વર્ષ સુધી પરિકર્મ, સંલેખના કરી ચૂકેલો છતો યોગ્યકાલે જ કરે. કહ્યું છે કે પહેલા ચાર વર્ષ વિચિત્ર પ્રકારના તપ કરે. (પણ પારણાઓમાં વિગઈઓ વાપરી શકે.) બીજા ચાર વર્ષ વિગઈનો સંપૂર્ણ ત્યાગ કરે. TM (વિચિત્રતપ પણ કરે...) પછી બે વર્ષ એકાંતરે આંબિલ કરે. પછી છ માસ અતિજોરદાર મૈં शा ત H તપ (અક્રમાદિ) ન કરે અને પરિમિત આંબિલ કરે. (અર્થાત્ આ છમાસ ઉપવાસ-છઠ્ઠ મૈં કરે અને પારણા કરે ત્યારે ઉણોદરીવાળા આંબિલ કરે...) એ પછી બીજા છ માસ વિકૃષ્ટ |ા = અક્રમ વગેરે તપ કરે. (કુલ ૪-૪-૨-છમાસ-છમાસ=૧૧ વર્ષ થયા.) પછી એક વર્ષ ન 4 સુધી કોટિસહિત આંબિલ કરે. અર્થાત્ આંબિલના પા૨ણે આંબિલ કરે. એટલે કે ૩૬૦ ૧ દિન સળંગ આંબિલ કરે. (કોટિસહિતનો અર્થ જ આ છે.) આ પ્રમાણે ક્રમશઃ કરીને પછી પર્વતની ગુફામાં જઈને પાદપોપગમન અનશનને કરે. (૨) ઈંગિતમરણ : ઈંગિત નિશ્ચિત કરાયેલ પ્રદેશમાં મરણ તે ઈંગિતમરણ કહેવાય. = પ્રશ્ન ઃ આ અનશન કોણ કરી શકે ? (શક્તિના અભાવે) ૧૦૪
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy