SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं तइयं इंदियदारं पंचिंदियपज्जत्तए णं भंते! पंचिंदियपज्जत्तए त्ति कालतो केवचिरं होइ? गोयमाजहन्नेणं अंतोमुहत्तं उक्कोसेणं સારવમયપુદુi Iટૂ-રાપરૂજા (મૂળ) હે ભગવન્! સેન્દ્રિય (ઇન્દ્રિય સહિત) જીવ સેન્દ્રિય' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય?હે ગૌતમ! સેન્દ્રિય બે પ્રકારના છે, તે આ પ્રમાણે–અનાદિ અનન્ત અને અનાદિ સાત્ત. હે ભગવન્! એકેન્દ્રિય “એકેન્દ્રિય” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનન્ત કાલ-વનસ્પતિ કાળ સુધી હોય. હે ભગવન્! બેઈન્દ્રિય “બેઇન્દ્રિય એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતો કાળ હોય. એ પ્રમાણે તે ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય પંચેન્દ્રિય” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક હજાર સાગરોપમ સુધી હોય. અનિષ્ક્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્! સેન્દ્રિય અપર્યાપ્તા સેન્દ્રિય અપાયમા રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્તા સુધી જાણવું. હે ભગવન્! સેન્દ્રિય પર્યાપ્ત સેન્દ્રિય પર્યાપ્ત' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક શતપૃથક્વ (બસોથી નવસો) સાગરોપમ સુધી હોય. હે ભગવન્! પર્યાપ્ત એકેન્દ્રિય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વરસો સુધી હોય. બેઈન્દ્રિય પર્યાપ્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વરસો સુધી હોય. તેઈન્દ્રિય પર્યાપ્ત સંબંધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા દિવસો હોય. હે ભગવન્! ચઉરિન્દ્રિય પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ પર્યન્ત હોય. હે ભગવન્! પંચેન્દ્રિય પર્યાપ્ત પંચેન્દ્રિય પર્યાપ્તિ’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી શતપૃથક્વ (બસોથી નવસો) સાગરોપમ સુધી હોય. દ્વાર. ૩ //પ૩૪ll." (ટીવ) “ફંતિ અંતે'! ઇત્યાદિ. ઇન્દ્રિય સહિત હોય તે સેન્દ્રિય. ઇન્દ્રિયો બે પ્રકારની છે–દૂબેન્દ્રિય અને ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિયના પણ બે પ્રકાર છે–લબ્ધીન્દ્રિય અને ઉપયોગેન્દ્રિય. તેમાં લબ્ધિરૂપ ઇન્દ્રિય લેવી, કારણ કે તે વિગ્રહગતિમાં પણ હોય છે અને ઇન્દ્રિય પર્યાપ્તાને પણ હોય છે. તેથી ઉત્તરસૂત્ર ઘટી શકે છે, નહિ તો તે ન ઘટી શકે. ઉત્તરસૂત્ર કહે છે-હે ગૌતમ'! ઇત્યાદિ. અહીં જે સંસારી છે તે અવશ્ય સેન્દ્રિય હોય છે. અને સંસાર અનાદિ છે, માટે સેન્દ્રિય અનાદિ છે. તેમાં પણ જે કોઈ પણ કાળે સિદ્ધ નહિ થાય તે અનાદિ અનન્ત છે, કારણ કે તેને સેન્દ્રિયપણાના પર્યાયનો કદાપિ અભાવ થતો નથી. જે સિદ્ધ થશે તેની અપેક્ષાએ અનાદિ સાત્ત છે, કારણ કે મુક્તિ અવસ્થામાં સેન્દ્રિયપણાના પર્યાયનો અભાવ થાય છે. એકેન્દ્રિય સૂત્રમાં જે કહ્યું છે કે “૩ોસેળ '—ઉત્કૃષ્ટ અનન્ત કાળ છે, તે અનન્તકાળનું વિશેષપણે નિરૂપણ કરે છે–‘વરૂફાતો'જેટલો વનસ્પતિનો કાળ હોય છે, જે આગળ કહેવામાં આવશે તેટલા કાળ સુધી એકેન્દ્રિયપણે રહે. કારણ કે વનસ્પતિકાય એકેન્દ્રિય છે, માટે એકેન્દ્રિય પદમાં તેનું પણ ગ્રહણ થાય છે. તે વનસ્પતિકાળ આ પ્રમાણે છે–કાળથી અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી ક્ષેત્રથી અનન્ત લોક, અથવા અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત જાણવા'. અને તે અસંખ્યાતા પુદ્ગલપરાવર્તો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. બેઇન્દ્રિયસૂત્રમાં સંખ્યાતો કાળ એટલે સંખ્યાતા હજાર વરસો જાણવા. કારણ કે ‘વિત્તિરિયાળ ય વાસસહસા સંવિજ્ઞા'–વિકલેન્દ્રિયોને સંખ્યાતા હજાર વરસો હોય છે. એવું શાસ્ત્રનું વચન છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે સૂત્ર કહેવું. ત્યાં પણ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતો કાળ કહેવો એ ભાવાર્થ છે. અને સંખ્યાતો કાળ સંખ્યાતા હજાર વરસ રૂપ જાણવો. પંચેન્દ્રિયસૂત્રમાં ઉત્કૃષ્ટથી કંઈક અધિક હજાર સાગરોપમ પ્રમાણ છે અને તે નારક, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવભવમાં ભ્રમણ કરવા વડે જાણવો, તેથી અધિક કાળ હોતો નથી, કારણ કે એટલોજ .88
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy