________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं बीयं गइदारं હોય તેનો વિચાર કરે છે–નેરા માં અંતે –હે ભગવન્! નરયિક “નરયિક એ રૂપે કેટલા કાળ સુધી હોય-ઇત્યાદિ સૂત્ર સંગમ છે. પરન્ત નરયિકો તેવા પ્રકારના સ્વભાવથી પોતાના ભવથી એવી તરતજ ફરી નૈરયિકપણે ઉત્પન્ન થતા નથી. તેથી, તેનું જે ભવસ્થિતિનું પરિમાણ છે તે જ કાયસ્થિતિનું પણ પરિમાણ ઘટે છે. માટે ઉપર કહ્યા પ્રમાણે જઘન્યથી દસ હજાર વરસની અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની કાયસ્થિતિ છે. નિરિવરનોfog i અંતે –હે ભગવન્! તિર્યંચયોનિક તિર્યચપણે કેટલા કાળ સુધી હોય-ઇત્યાદિ. તેમાં જ્યારે દેવ, મનુષ્ય કે નૈરયિક તિર્યચોમાં ઉત્પન્ન થાય અને ત્યાં અન્તર્મુહૂર્ત રહીને પુનઃ પોતાની ગતિમાં કે બીજી ગતિમાં જઈ ઉત્પન્ન થાય ત્યારે જઘન્યથી અન્તર્મુહૂર્ત પ્રમાણ કાયસ્થિતિ અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ સુધી હોય છે. તે અનન્ત કાળની પ્રરૂપણા કાળથી અને ક્ષેત્રથી એમ બે પ્રકારની છે. તેમાં કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી છે. ઉત્સર્પિણી અને અવસર્પિણીનું પ્રમાણ નદિસૂત્રની ટીકાથી જાણી લેવું. કારણ કે ત્યાં સવિસ્તર કહેલું છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે. તાત્પર્ય એ છે કે અનન્ત લોકાકાશમાં પ્રતિસમય એક એક પ્રદેશનો અપહાર કરતાં એટલે અસત્કલ્પનાથી એક એક આકાશપ્રદેશ લેતાં જેટલો કાળ થાય તેટલી અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી તિર્યંચ તિર્યચપણે રહે છે. એજ કાળના પરિણામને પગલપરાવર્તની સંખ્યા વડે નિરૂપણ કરે છે–પુદ્ગલપરાવર્તની ગણના વડે ‘અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત કાળ હોય છે”. પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ પંચ સંગ્રહની ટીકામાં સવિસ્તર કહ્યું છે ત્યાંથી જાણી લેવું. અહીં ગ્રન્થ વધી જવાના ભયથી કહેતા નથી. (પેજ નં.૫ નું ટીપ્પણ જોવું.) અસંખ્યાતા પણ કેટલા પુદ્ગલપરાવર્તે છે? આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, એટલે આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમય થાય તેટલા પ્રમાણ અસંખ્યાતા પગલપરાવર્તે છે. આ કાયસ્થિતિનું પરિમાણ વનસ્પતિની અપેક્ષાએ સમજવું, પણ બાકીના તિર્યંચની અપેક્ષાએ ન સમજવું. કારણ કે વનસ્પતિ સિવાય બાકીના તિર્યંચોને એટલી કાયસ્થિતિનો સંભવ નથી. ‘તિવિહુનોળી નાં અંતે'!–હે ભગવન્! તિર્યંચ શ્રી તિર્યંચસ્ત્રીપણે કેટલા કાળ સુધી હોય-ઇત્યાદિ. અહીં અને પછીના સૂત્રમાં જઘન્ય અન્તર્મુહૂર્તનો વિચાર પૂર્વે કહેલ -અન્તર્મુહૂર્તની ભાવનાને અનુસાર સ્વયં કરવો. ઉત્કૃષ્ટ પૂર્વકોટીપૃથક્વ અધિક ત્રણ પલ્યોપમ છે. કેવી રીતે છે? આ પ્રમાણે છે–અહીં સંક્ષી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ઉત્કૃષ્ટથી પણ આઠ ભવની કાયસ્થિતિ છે. કારણ કે “નરતિરિયાળ સત્તખવા"–મનુષ્ય અને તિર્યંચોને સાત આઠ ભવની કાયસ્થિતિ છે-એવું શાસ્ત્ર વચન છે. તેમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિનો વિચાર હોવાથી આઠે ભવો યથાસંભવ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ગ્રહણ કરવા, અસંખ્યાતા વરસના આયુષ્યવાળો મરીને અવશ્ય દેવલોકમાં ઉત્પન્ન થાય છે, પણ તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. માટે પૂર્વકોટીના આયુષ્યવાળા સાત ભવો અને છેલ્લો આઠમો ભવ દેવકુરુ વગેરેનો જાણવો. એમ પૂર્વકોટીપૃથક્વ અધિક ત્રણ પલ્યોપમ થાય છે. પૂર્વ મઘુસે વિ, મyી વિ'—જેમ તિર્યંચીને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે મનુષ્ય અને માનુષી સ્ત્રી સંબન્ધ કહેવું. તાત્પર્ય એ છે કે–મનુષ્યસૂત્રમાં અને માનુષીના સૂત્રમાં જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીપૃથક્વ અધિક ત્રણ પલ્યોપમની કાયસ્થિતિ કહેવી. સૂત્રપાઠ આ પ્રમાણે છે– 'मणुस्से णं भंते! मणुस्स त्ति कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं तिन्नि પત્તિમોવમા પુષ્યોડિપુદુત્તમમ્મરિયા મધુસી માં મંત! મજુિિત્ત તો વિરે ટ્રોફ'-ઇત્યાદિ. હે " ભગવન્મનુષ્ય “મનુષ્ય' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથક્ત
અધિક ત્રણ પલ્યોપમ હોય. હે ભગવન્! માનુષી સ્ત્રી માનુષી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીપૃથક્વ અધિક ત્રણ પલ્યોપમ હોય. દેવ સૂત્રમાં ગદેવ નેu'—જેમ નૈરયિક સંબધે પૂર્વે કહ્યું તેમ દેવસંબન્ધ પણ કહેવું. દેવને પણ જઘન્યથી દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની કાયસ્થિતિ કહેવી. કારણ કે દેવો પોતાના ભવથી આવીને પુનઃ તરતજ દેવપણે ઉત્પન્ન થતા નથી. “ તેવો ૩વવન'–દેવ દેવમાં ઉત્પન્ન થતા નથી–એવું શાસ્ત્રવચન છે. તેથી દેવોની પણ જે ભવસ્થિતિનું પરિમાણ છે તેજ કાયસ્થિતિનું પણ છે. દેવીસૂત્રમાં ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની કાયસ્થિતિ છે, કારણ કે દેવીઓની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પણ એટલી જ છે. આ કથન ઈશાન દેવીની અપેક્ષાએ
. 86