________________
अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं पढमं जीवदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ || अट्ठारसमं कायठिइपयं ||
| ત્યાદિનીરવવM II. जीव गतिदिय''काए जोए वेए कसायलेस्सा या सम्मर्तणाणदंसर्ण संजय उवओगे आहारे ॥१॥ भासँगपरित पनत्त सुहुँम सैनी भवऽत्थिं चैरिमे या एतेसिं तु पदार्थ कायठिई होइ णायव्वा ।।२।।
અઢારમું કાયસ્થિતિ પદ, ૧ જીવ, ૨ ગતિ, ૩ ઇન્દ્રિય, ૪ કાય, ૫ યોગ, ૬ વેદ, ૭ કષાય, ૮ લેશ્યા, ૯ સમ્યક્ત, ૧૦ જ્ઞાન, ૧૧ દર્શન, ૧ર સંયત, ૧૩ ઉપયોગ, ૧૪ આહાર, ૧૫ ભાષક, ૧૬ પરિત્ત, ૧૭ પર્યાપ્ત, ૧૮ સૂક્ષ્મ, ૧૯ સંજ્ઞી, ૨૦ ભવસિદ્ધિક, ૨૧ અસ્તિકાય અને ૨૨ ચરમ એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા યોગ્ય છે.
|| વંદનંનીવવારે IT जीवे णं भते! जीवेत्ति कालतो केवचिरं होइ? गोयमा! सव्वद्धं। दारं १ ।।सू०-१।।५३२।। (મૂળ) હે ભગવન્! જીવ “જીવ” એ સ્વરૂપે કાલને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સર્વ કાળ હોય.
૧ દ્વાર./૧//૫૩૨ // (ટી) એ પ્રમાણે સત્તરમું પદ કહ્યું. હવે અઢારમા પદનો પ્રારંભ થાય છે તેનો આ સંબન્ધ છે–અહીં પૂર્વના પદમાં લશ્યાનો પરિણામ કહ્યો, હવે પરિણામના સમાનપણાથી કાયસ્થિતિ પરિણામ કહે છે. તેમાં અધિકાર-વિષય પ્રતિપાદક આ બે ગાથાઓ છે–નીવરિયા' ઇત્યાદિ. ૧ પ્રથમ જીવપદને ઉદેશી કાયસ્થિતિ કહેવાની છે. તે પછી અનુક્રમે ૨ ગતિપદ, ત્યાર પછી ૩ ઇન્દ્રિય પદ, તે પછી ૪ કાયપદ, ત્યાર બાદ ૫ યોગપદ, તે પછી ૬ વેદપદ, તે પછી ૭ કષાયપદ, ત્યારબાદ ૮ વેશ્યાપદ, તે પછી ૯ સમ્યક્તપદ, તે પછી ૧૦ જ્ઞાનપદ, તે પછી ૧૧ દર્શનપદ, ત્યાર બાદ ૧૨ સંયતપદ, તે પછી ૧૩ ઉપયોપદ, ત્યાર બાદ ૧૪ આહારપદ, તે પછી ૧૫ પરિત્તપદ, તે પછી ૧૬ ભાષકપદ, ત્યારબાદ ૧૭ પર્યાપ્ત પદ, ત્યારબાદ ૧૮ સૂક્ષ્મપદ, તે પછી ૧૯ સંજ્ઞીપદ. તે પછી ૨૦ ભવસિદ્ધિકપદ, ત્યારબાદ ૨૧ અસ્તિકાય અને ૨૨ ચરમપદ-એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા યોગ્ય છે. જે પ્રમાણે તે જાણવા યોગ્ય છે તે પ્રમાણે ઉદેશના ક્રમ પ્રમાણે નિર્દેશ કરવામાં આવશે. કાયસ્થિતિનો શબ્દાર્થ શો છે? કાયશબ્દ અહીં પર્યાયના અર્થમાં ગ્રહણ કરવો, તે પર્યાય કાય–શરીરના જેવો હોવાથી ઉપમાનથી કાય કહેવાય છે. તે બે પ્રકારે છે–સામાન્યરૂપ અને વિશેષરૂપ, તેમાં વિશેષણ રહિત જીવત્વ સ્વરૂપ પર્યાય તે સામાન્યરૂપ કાય અને નૈરયિકતાદિ રૂપ પર્યાય તે વિશેષરૂપ કાય. તે કાયની સ્થિતિ-તે રૂપે રહેવું તે કાયસ્થિતિ. તાત્પર્ય એ છે કે સામાન્યરૂપ અને વિશેષરૂપ પર્યાય વડે વિવક્ષિત જીવનું નિરંતરપણે રહેવું તે કાયસ્થિતિ. તેથી પ્રથમ સામાન્યરૂપ પર્યાય વડે વિવક્ષિત જીવન નિરંતર રહેવું તેનો વિચાર કરે છે–“ની મત્તે'—ઇત્યાદિ, હે ભગવન! અહીં જીવપર્યાય સહિત હોય તે જીવ કહેવાય છે, તેથી પ્રશ્ન કરે છે કે જીવ નીવ' એ રૂપે એટલે જીવનપર્યાય વિશિષ્ટપણે વાતતઃ' કાળને આશ્રયી ‘
ઈન્નિર' કેટલા કાળ સુધી હોય? ભગવાનું કહે છે-હે ગૌતમ! “સબ્રહ્મા'–સર્વદા-સર્વકાળ પર્યન્ત હોય. કેવી રીતે હોય? અહીં પ્રાણોને ધારણ કરવા એ જીવન કહેવાય છે. પ્રાણો બે પ્રકારના હોય છે-દ્રવ્યપ્રાણી અને ભાવપ્રાણી. તેમાં પાંચ ઇન્દ્રિયો, મન, વચન અને કાયબલ એ ત્રણ બલ, ઉચ્છવાસ-નિઃશ્વાસ અને આયુષ્ય કર્મના અનુભવ કરવારૂપ દ્રવ્ય પ્રાણો કહેવાય છે અને જ્ઞાનાદિજ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય વગેરે ભાવપ્રાણી છે. તેમાં સંસારી જીવોને આયુષ્યકર્મના અનુભવરૂપ પ્રાણનું ધારણ કરવું હંમેશાં અવસ્થિત છે. કારણ કે સંસારી જીવોની એવી કોઈ અવસ્થા નથી કે જેમાં આયુષ્યકર્મનો અનુભવ ન હોય. મુક્ત જીવોને જ્ઞાનાદિરૂપ ભાવપ્રાણને ધારણ કરવું અવસ્થિત છે. કારણ કે મુક્તોને પણ જ્ઞાનાદિરૂપ પ્રાણી છે, જે ભાવપ્રાણો વડે મુક્ત જીવ પણ “જીવે છે એમ કહેવાય છે. તે જ્ઞાનાદિ પ્રાણો મુક્ત જીવોને શાશ્વત હોય છે. તેથી સંસારી અવસ્થામાં અને
83