SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं अवगाहा-वग्गणा-ठाणाहिगारो | | અવહિહિરો || कण्हलेस्सा णं भंते! कइपएसोगाढा पन्नत्ता? गोयमा! असंखेज्जपएसोगाढा पन्नत्ता। एवं जाव सुक्कलेस्सा। | ||વવાહિયારી II कण्हलेस्साए णं भंते! केवतियाओ वग्गणाओ पन्नत्ताओ? गोयमा! अणंताओ वग्गणाओ पण्णत्ताओ, एवं जाव સુક્ષનેસાઈ તૂ૦-૪૬ ૧૨રૂા. (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશવાળી છે? હે ગૌતમ! અનન્ત પ્રદેશવાળી છે. એમ શુક્લલેશ્યા સુધી સમજવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશની અવગાહનાવાળી છે? હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશોની અવગાહનાવાળી છે. એમ શુક્લલેશ્યા સુધી સમજવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાની કેટલી વર્ગણાઓ છે? હે ગૌતમ! અનન્ત વર્ગણાઓ છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. //૪૯//પ૨all (ટી૦) હવે પ્રદેશદ્વાર કહેવાની ઇચ્છા વડે સૂત્રકાર કહે છે–“કમ્ફર્તા | અંતે! રૂપસિયા'–હે ભગવન્! “કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશવાળી છે'ઇત્યાદિ સુગમ છે, પરન્ત અનન્ત પ્રદેશવાળી છે. કારણ કે કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યના પ્રદેશો-તેને યોગ્ય પરમાણુઓ અનન્તાનન્ત સંખ્યાવાળા છે. કેમકે અનન્ત પ્રદેશો સિવાયનો કોઈ પણ સ્કન્ધ જીવને ગ્રહણ યોગ્ય નથી. એમ નીલાદિ વેશ્યાઓ પણ કહેવી. એમ શુક્લલેશ્યા સુધી કહેવું. હવે અવગાહનાદ્વાર કહે છે–‘અંતે! પાસોઢા'? હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશોની અવગાહનાવાળી છે? ઇત્યાદિ. અહીં અવગાહનાદ્વારમાં પ્રદેશો એટલે ક્ષેત્રના પ્રદેશો ગ્રહણ કરવા, કારણ કે તેમાં જ અવગાહનાની પ્રસિદ્ધિ છે. તે ક્ષેત્રપ્રદેશો અનન્ત વર્ગણાઓના આધારભૂત અસંખ્યાતા જ જાણવા. કારણ કે સંપૂર્ણ લોકના પણ અસંખ્યાતા પ્રદેશો છે. હવે વર્ગણોદ્ધાર કહે છે–‘વ્હસ્સામાં ! વયાગો વાગો પનામો'?-હે ભગવન્! કૃષ્ણલેશ્યાની કેટલી વર્ગણાઓ છે-ઇત્યાદિ. અહીં વર્ગણા ઔદારિકાદિ શરીરયોગ્ય પરમાણુઓની વર્ગણાની પેઠે કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યના પરમાણુઓની વર્ગણા ગ્રહણ કરવી. અને તે વર્ણાદિના ભેદથી સમાન જાતિવાળાની જ હોવાથી અનન્ત વર્ગણાઓ જાણવી. એમ નીલલેશ્યાદિ પ્રત્યેકની વર્ગણાઓ કહેવી. એ પ્રમાણે સૂત્રકાર કહે છે–‘વુંનાવ સુક્ષત્તેસાણ' ઇતિ એમ શુક્લલેશ્યા સુધી કહેવું.il૪૯પ૨૩ |કાળાદિકનારો || केवतिया णं भंते! कण्हलेस्साठाणा पन्नत्ता? गोयमा! असंखेज्जा कण्हलेस्साठाणा पन्नत्ता। एवं जाव સુક્ષત્તેસ્સ સૂ૦-૧૦I૧૨૪ો. (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યાના કેટલાં સ્થાનો છે? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાના અસંખ્યાતા સ્થાનો છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. //પોપ૨૪ll (ટીવ) હવે સ્થાનદ્વાર કહે છે–“વફા નું અંતે વ્રુત્તેસાતી પન્ના'? હે ભગવન્! કૃષ્ણલેશ્યાના કેટલાં સ્થાનો એટલે વિશુદ્ધિ અને અવિશુદ્ધિના પ્રકર્ષ–અધિકતા અને અપકર્ષ–ન્યૂનતા વડે કરાયેલા સ્વરૂપના ભેદો છે? અહીં સ્થાનશબ્દ ભેદવાચી છે. સૂત્રમાં પુલિંગનો નિર્દેશ પ્રાકૃત હોવાથી થયેલો છે. અહીં જ્યારે ભાવરૂપ કૃષ્ણાદિ લેશ્યાઓનો વિચાર કરીએ ત્યારે એક એક વેશ્યાના વિશુદ્ધિ કે અવિશુદ્ધિના હીનાધિકપણાથી કરાયેલા સ્વરૂપના ભેદરૂપ સ્થાનો કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમય પ્રમાણ છે અને ક્ષેત્રથી અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. કહ્યું છે કે "असंखेज्जाणुसप्पिणीण अवसप्पिणीण जे समया। संखाईया लोगा लेस्साणं होति ठाणाई।।" અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના જે સમયો છે, અથવા અસંખ્યાતા લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા લેશ્યાના સ્થાનો છે. પરન્તુ અશુભલેશ્યાના સંક્લેશરૂપ અને શુભલેશ્યાના વિશુદ્ધરૂપ સ્થાનો છે. એ ભાવલેશ્યાના સ્થાનોના કારણભૂત કૃષ્ણાદિ દ્રવ્યો છે, તેને પણ સ્થાનોજ કહેવાય છે અને તેજ સ્થાનો અહીં ગ્રહણ કરવા, કારણ કે આ ઉદેશકમાં . 74
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy