SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं परिणामहिगारो-पदेसाहिगारो श्री प्रज्ञापना सूत्र भाग २ પછીની ત્રણ વેશ્યાઓ સ્નિગ્ધ અને ઉષ્ણસ્પર્શવાળી છે. અહીં વેશ્યાદ્રવ્યોને બીજા પણ કર્કશાદિ સ્પર્શે છે, કારણ કે વેશ્યાધ્યયનમાં કહ્યું છે કે जह करवयस्स फासो गोजिब्भाए व सागपत्ताणं। एत्तो वि अणंतगुणो लेस्साणं अप्पसत्थाणं।। જેમ કરવાનો, ગાયની જીભનો અને સાગના પાંદડાનો સ્પર્શ હોય એથી પણ અનન્તગુણ (કર્કશ) સ્પર્શ અપ્રશસ્ત લેશ્યાદ્રવ્યોનો છે.. जह बूरस्स व फासो नवणीयस्स व सिरीसकुसुमाणं। एत्तो वि अणंतगुणो पसत्थलेस्साण तिण्हंपि ॥ .. જેમ બરુ, નવનીત–માખણ, અને શિરીષના ફૂલનો સ્પર્શ છે, તેથી પણ અનન્તગુણ (મૃ૬) સ્પર્શ ત્રણ પ્રશસ્ત વેશ્યાઓનો છે. તો પણ પ્રથમની ત્રણ લેશ્યાઓનો શીત અને રૂક્ષ સ્પર્શ ચિત્તની અસ્વસ્થતા ઉત્પન્ન કરવામાં અને પછીની ત્રણ વેશ્યાઓનો સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શ પરમ સંતોષ ઉત્પન્ન કરવામાં અત્યંત સાધક છે તેથી તે બન્ને જુદા જુદા સાક્ષાત્ કહ્યા છે, માટે તેમાં દોષ નથી. સૂત્રપાઠ પૂર્વની પેઠે જાણવો- હે ભગવન્! કેટલી લેક્ષાઓ શીતરૂક્ષ છે'ઇત્યાદિ. હવે ગતિદ્વાર કહે છે—‘તમો તુષારૂ મળીયો, તમો સુપરૂ Irfમળીગો'આદિની ત્રણ વેશ્યાઓ દુર્ગતિમાં લઇ જવાના સ્વભાવવાળી છે, કારણ કે સંક્લિષ્ટ અધ્યવસાયનો હેતુ છે, પછીની ત્રણ લેશ્યાઓ સુગતિમાં લઈ જવાના સ્વભાવવાળી છે, કારણ કે પ્રશસ્ત અધ્યવસાયનો હેતુ છે. સૂત્રપાઠ પૂર્વની પેઠે જાણવો–“હે ભગવન્! કેટલી વેશ્યાઓ દુર્ગતિગામી-દુર્ગતિમાં લઈ જનારી છે' ઇત્યાદિ. l૪૭ી/પ૨૧l. | રામદવારો II. कण्हलेस्सा णं भंते! कतिविहं परिणामं परिणमति? गोयमा! तिविहं वा नवविहं वा सत्तावीसविहं वा एक्कासीतिविहं वा बेतेयालसतविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमइ, एवं जाव सुक्कलेसा Iટૂ–૪૮ ૨૨il (મૂ૦) હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામ વડે પરિણમે છે? હે ગૌતમ! ત્રણ પ્રકારના નવ પ્રકારના, સત્યાવીશ પ્રકારના, એકાશી પ્રકારના, બસો તેતાલીસ પ્રકારના, બહુ અને બહુ પ્રકારના પરિણામ વડે પરિણમે છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. //૪૮ પરચ// (ટી૦) હવે પરિણામકાર કહે છે_*ધ્વજોના ને અંતે! “વિટું પરિણા'—અહીં પ્રાકૃત હોવાથી તૃતીયાના અર્થમાં દ્વિતીયા વિભક્તિ સમજવી. જેમ આચારાંગ સૂત્રમાં અને ર વતુ પુટ્ટા' અગ્નિ વડે સ્પર્શ કરાયેલા-એ અર્થ છે. તેથી આ અર્થ થાય છે—હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામ વડે પરિણમે છે? ભગવાન્ ઉત્તર આપે છે–‘ોયમા! તિવિહં વા'... હે ગૌતમ!ત્રણ પ્રકારના પરિણામ વડે ઈત્યાદિ પરિણમે છે. અહીં વેશ્યાનો જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ વડે ત્રણ પ્રકારનો પરિણામ છે. જ્યારે એ જઘન્યાદિ પરિણામની સ્વસ્થાનના તારતમ્યના વિચારમાં પ્રત્યેકને જઘન્યાદિ ત્રણ વડે ગુણીએ ત્યારે નવ પ્રકારનો પરિણામ થાય, એમ ફરી ફરી ત્રણ વડે ગુણતાં સત્યાવીશ પ્રકાર, એકાશી પ્રકાર, બસો તેંતાલીશ પ્રકાર, એમ બહુ અને બહુ પ્રકારના પરિણામનો વિચાર કરવો. અહીં બધે તૃતીયાના અર્થમાં દ્વિતીયા વિભક્તિ છે. તેથી ત્રણ પ્રકારના પરિણામ વડે, નવ પ્રકારના પરિણામ વડે પરિણમે છે એમ પદોની યોજના કરવી. ‘પૂર્વ નાવ સુક્ષત્તેસા' એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. એટલે કૃષ્ણલેશ્યા સંબધી પ્રકાર વડે નીલાદિ લેશ્યાઓ પણ યાવત્ શુક્લલેશ્યા સુધી કહેવી. સૂત્રપાઠ સુગમ હોવાથી સ્વયં વિચારવો. l૪૮ીપરા || પહેરતાદિવારો || कण्हलेस्सा णं भंते! कतिपदेसिया पन्नत्ता? गोयमा! अणंतपदेसिया पन्नत्ता, एवं जाव सुक्कलेसा।।।
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy