________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं गंधाहिगाराइ अहिगारछक्कं लेस्साओ सुब्भिगंधाओ पन्नत्ताओ, तं जहा-तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा, एवं तओ अविसुद्धाओ, तओ विसुद्धाओ, तओ अप्पसत्थाओ, तओ पसत्थाओ, तओ संकिलिट्ठाओ, तओ असंकिलिट्ठाओ, तओ सीतलुक्खाओ, तओ निद्धण्हाओ, तओ दुग्गतिगामियाओ, तओ सुगतिगामियाओ ।।सू०-४७।।५२१।। (મૂળ) હે ભગવન્! કેટલી વેશ્યાઓ દુરભિગંધવાળી છે? હે ગૌતમ! ત્રણ લેશ્યાઓ દુરભિગંધવાળી છે. તે આ પ્રમાણે
કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. હે ભગવન્! કેટલી વેશ્યાઓ સુરભિગંધવાળી છે? હે ગૌતમ! ત્રણ લેશ્યાઓ સુરભિગન્ધવાળી છે. તે આ પ્રમાણે-તેજાલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા. એ પ્રમાણે ત્રણ અવિશુદ્ધ વેશ્યાઓ છે અને ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ છે. ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓ છે અને ત્રણ પ્રશસ્ત વેશ્યાઓ છે. ત્રણ સંક્લેશવાળી લેશ્યાઓ છે અને ત્રણ અસંક્લેશવાળી વેશ્યાઓ છે. ત્રણ શીત-રૂક્ષ લેશ્યાઓ છે અને ત્રણ સ્નિગ્ધ-ઉષ્ણ લેશ્યાઓ છે. ત્રણ દુર્ગતિગામી (દુર્ગતિમાં લઈ જનારી) લેશ્યાઓ છે અને ત્રણ સુગતિગામી (સુગતિમાં લઈ જનારી) લેશ્યાઓ
છે. //૪૭પર૧// (ટી) હવે ગંધાધિકાર કહે છે_ અંતૈિ! સામો ટુમ્પિધાગો'? હે ભગવન્! કેટલી વેશ્યાઓ દુરભિગંધવાળી છે? ઇત્યાદિ. પરન્તુ કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા દુરભિગંધવાળી છે, કારણ કે મરી ગયેલ ગાય વગેરેના કલેવરથી અનન્તગુણ દુરભિગન્ધયુક્ત છે. તેજોલેશ્યા, પદ્મશ્યા અને શુક્લલેશ્યા એ સુરભિગન્ધવાળી છે, કારણ કે પીસવામાં આવતા સુગન્ધી-સુવાસિત દ્રવ્યો અને સુગન્ધી કુસુમાદિથી પણ અનન્તગુણ સુરભિગન્ધસહિત છે. એ સંબધે ઉત્તરાધ્યયનના વેશ્યાધ્યયનમાં કહ્યું છે–
जह गोमडस्स गन्धो णागमडस्स व जहा अहिमडस्स। एत्तो उ अणंतगुणो लेस्साणं अप्पसत्थाणं।। : जह सुरभिकुसुमगंधो गन्धवासाण पिस्समाणाणं। एत्तो उ अणंतगुणो पसत्थलेस्साण तिण्हंपि।।
જેમ મરી ગયેલ ગાયની, મરી ગયેલા હસ્તીની અને મરી ગયેલા સાપની ગબ્ધ હોય છે એથી અનન્તગુણ દુર્ગન્ધ અપ્રશસ્ત લેશ્યાઓની જાણવી. જેમ સુગન્ધી પુષ્પોની ગબ્ધ અથવા પીસાતા સુવાસિત દ્રવ્યોની ગબ્ધ હોય તેથી અનન્તગુણ ગન્ધ ત્રણ પ્રશસ્ત લેશ્યાઓની જાણવી. ગન્ધપરિણામ કહ્યો. હવે શુદ્ધાશુદ્ધપણું બતાવવા માટે કહે છે–‘પર્વ તો વસુદ્ધાગો, તો વસુદ્ધાગો' એ પ્રમાણે-ઉપર કહ્યા પ્રમાણે આદિની ત્રણ લેશ્યાઓ અશુદ્ધ કહેવી, કારણ કે અપ્રશસ્ત વર્ણ, ગબ્ધ અને રસસહિત છે. પછીની ત્રણ વેશ્યાઓ વિશુદ્ધ છે, કારણ કે પ્રશસ્ત વર્ણ, ગન્ધ અને રસયુક્ત છે. તેથી એમ કહેવું જોઈએ— નું મંત! તેસારો વિશુદ્ધાગો પુનત્તાગો'? હે ભગવન્! કેટલા પ્રકારની અવિશુદ્ધ વેશ્યાઓ છે? હે ગૌતમ! ત્રણ અવિશુદ્ધ વેશ્યાઓ છે. તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. હે ભગવન્! કેટલી વિશુદ્ધ વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ કહી છે, તે આ પ્રમાણે તેજલેશ્યા, પમલેશ્યા અને શુક્લલેશ્યા. એમ શુદ્ધપણું અને અશુદ્ધપણું કહ્યું. હવે પ્રશસ્તપણું અને અપ્રશસ્તપણું જણાવે છે–'તમો અપસસ્થાગો તો સત્યાગો' આદિની ત્રણ લેશ્યાઓ અપ્રશસ્ત છે, કારણ કે વેશ્યા યોગ્ય દ્રવ્યો અપ્રશસ્ત હોવાથી અપ્રશસ્ત અધ્યવસાયનું કારણ છે. પછીની ત્રણ લેશ્યાઓ પ્રશસ્ત છે, કેમકે પ્રશસ્ત દ્રવ્ય હોવાથી પ્રશસ્ત અધ્યવસાયનું કારણ છે. સૂત્રપાઠ પૂર્વની પેઠે જાણવો–“ નું મંત! તે સામો ગણત્યાગો નાગો'? હે ભગવન્! કેટલી વેશ્યાઓ અપ્રશસ્ત છે–ઇત્યાદિ. એમ પ્રશસ્તપણું અને અપ્રશસ્તપણું કહ્યું. હવે સંક્લિષ્ટપણું અને અસંમ્પિષ્ટપણે જણાવે છે—‘તમો સંવિત્તિો , તો વિનિામો'–પ્રથમની ત્રણ લેશ્યાઓ સંક્લિષ્ટ છે, કારણ કે સંક્લિષ્ટ એવા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના અધ્યવસાયસ્થાનનો હેતુ છે. પછીની ત્રણ લેશ્યાઓ અસંક્લિષ્ટ છે, કારણ કે સંક્લેશરહિત ધર્મધ્યાન અને શુક્લધ્યાનના અધ્યવસાયસ્થાનનું કારણ છે. અહીં પણ સૂત્રપાઠ પૂર્વની પેઠે જાણવો– હે ભગવન્! કેટલી વેશ્યાઓ સંક્લિષ્ટ છે' ઇત્યાદિ. હવે શીત અને ઉષ્ણ સ્પર્શનું પ્રતિપાદન - કરવા માટે કહે છે–‘તમો સૌ સુવqામો, તો ઉદ્ધષ્ટાગો' આદિની ત્રણ વેશ્યાઓ શીત અને રૂક્ષસ્પર્શવાળી છે અને
* 72