SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं गंधाहिगाराइ अहिगारछक्कं श्री प्रज्ञापना सूत्र भाग २ છે, કારણ કે પ્રાકૃતમાં લિંગ અનિયત હોય છે. ‘ચંદ્રપ્રભા’ ચંદ્રના જેવી પ્રભા–આકૃતિ જેની છે એવી, મણિની શિલા જેવી તે મણિશિલાકા, શ્રેષ્ઠ એવી શીધુ (અપક્વ તથા પક્વ ઇક્ષુરસ વડે જે આસવ થાય તે), શ્રેષ્ઠ વારુણી-મદિરા, પત્ર-ધાવડીના પાંદડા વડે આસવ થાય તે પત્રાસવ, એ પ્રમાણે પુષ્પાસવ અને ફલાસવનો વિચાર કરવો. ચોય–સુગંધી દ્રવ્ય, તેનો જે આસવ થાય તે ચોયાસવ, પત્રાદિ સિવાયનો જે આસવ તે આસવ કહેવાય છે. મધુ, મૈરેય અને કાપિશાયન–એ અમુક પ્રકારની મિદરા છે. ખજૂરના મૂલ, પાંદડાં અને સાર ભાગ વડે બનેલો આસવ તે ખજૂંરસા૨. મૃદ્ધિકા-દ્રાક્ષા, તેના સાર વડે બનેલો આસવ સ્મૃદ્ધિકાસારાસવ. પક્વ ઇક્ષુના રસ વડે બનેલો સુપક્વઇક્ષુરસ, શાસ્ત્ર પ્રસિદ્ધ આઠ પ્રકારના પિષ્ટ વડે નિષ્પન્ન અષ્ટપિષ્ટનિષ્ટિત આસવ કહેવાય છે, જાંબુના ફળની પેઠે કાળી મદિરા તે જંબૂલકાલિકા, શ્રેષ્ઠ એવી પ્રસન્ના તે વરપ્રસન્ના, આ બધા મદિરાના ભેદ છે. તે પૂર્વ કાળે લોકમાં પ્રસિદ્ધ હતી, અત્યારે પણ બીજા શાસ્ત્રથી અને લોકથી તેનું સ્વરૂપ જાણવું. તેમાં શ્રેષ્ઠ પ્રસન્ના મદિરાના વિશેષણો કહે છે—‘મંસા’ઉપચિત રસવાળી, ‘પેશા’ મનોજ્ઞ અને મનોજ્ઞ હોવાથી ‘વાવલંવિની' ઇષત્–જરા ઓષ્ઠને વિષે અવલંબન ક૨વાના–લાગવાના સ્વભાવવાળી અને ત્યાર પછી અત્યંત સ્વાદિષ્ટ હોવાથી આગળ ચાલી જાય એવી, તથા ‘રૂપવ્યવછેટુળા' ઇષત્–જરા પીધા પછી બંધ પડતાં એલચી વગેરે દ્રવ્યના સંબન્ધથી કટુકતીખી, એટલે જેનો તિક્ત સ્વભાવ જણાય છે એવી. ઇષત્–કંઇક તામ્ર-લાલ આંખ કરનારી, કારણ કે પ્રાયઃ બધી મદિરાઓ એવાજ સ્વભાવની હોય છે. ‘૩ોસમયપત્તા’ ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત થયેલી, એનુંજ વર્ણાદિ વડે સમર્થનપ્રતિપાદન કરે છે–ઉત્કૃષ્ટ મદની સાથે નિયત રહેવાવાળા પ્રશસ્ત વર્ણ વડે, ઘ્રાણેન્દ્રિયને સુખકારક ગન્ધ વડે, પરમ સુખ આપના૨ રસ વડે અને મદના પરિપાકની સાથે અવ્યભિચારી (નિયત રહેલા) સ્પર્શ વડે યુક્ત, આ હેતુથી આસ્વાદ કરવા યોગ્ય, વિશેષતઃ સ્વાદ કરવા લાયક, ‘પ્રીળનીયા' પ્રીતિ ઉત્પન્ન કરનારી, એ પ્રમાણે દર્પ ઉત્પન્ન કરનારી, મદ ઉત્પન્ન કરનારી, સર્વ ઇન્દ્રિય અને સર્વ શરીરને સુખ આપનારી એવા પ્રકારની શ્રેષ્ઠ પ્રસન્ના મદિરા છે, એ પ્રમાણે કહ્યું એટલે ભગવાન્ ગૌતમ પૂછે છે—‘હે ભગવન્! આવા પ્રકારના રસવાળી પદ્મલેશ્યા છે? ભગવાન્ ઉત્તર આપે છે—‘આ અર્થ યુક્ત નથી' ઇત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. ૪૫૫૧૯॥ सुक्कलेसाणं भंते! केरिसिया अस्साएणं पन्नत्ता ? गोयमा ! से जहानामए गुले इ वा खंडे इ वा सक्करा इ वा मच्छंडिया इ वा पप्पडमोदए इ वा भिसकंदर इ वा पुप्फुत्तरा इ वा पउमुत्तरा इ वा आदंसिया इ वा सिद्धत्थिया इ वा आगासफालितोवमा इ वा उवमा इ वा अणोवमा इ वा भवेतारूवा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, सुक्कलेसा एत्तो इट्ठतरिया चेव [कंततरिया चेव] पियतरिया चेव मणामयरिया चेव आसाएणं पन्नत्ता । सू० - ४६ ।। ५२०।। (મૂળ) હે ભગવન્! શુક્લલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કોઇ ગોળ, ખાંડ, સાકર, મત્સંડિકા, પર્પટમોદક, વીસકન્દ, પુષ્પોત્તરા, પદ્મોત્તરા, આદર્શિકા, સિદ્ધાર્થિકા, આકાશસ્ફટિકોપમાં, ઉપમા અને અનુપમા હોય, એવા પ્રકારની શુક્લલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. શુક્લલેશ્યા એથી વધારે ઇષ્ટ, વધારે પ્રિય અને અધિક મનને ગમે તેવી આસ્વાદ વડે છે. ૪૬૫૨૦ા (ટી) ‘સુ લેસ્સા નું મંતે'! હે ભગવન્! શુક્લલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે—ઇત્યાદિ. ગોળ અને ખાંડ પ્રસિદ્ધ છે, શર્કરા–સાકર કાશ વગેરેથી ઉત્પન્ન થયેલી, મત્સ્યડી-ખંડશર્કરા-ખાંડની બનેલી સાકર, પર્પટમોદક વગેરે સંપ્રદાયથી જાણી લેવા. બાકી બધુ સુગમ છે. એ પ્રમાણે લેશ્યાદ્રવ્યોનો રસ કહ્યો. ૪૬૫૨૦ા || ગંધાહિનારાડુ મહિનારાં || कइ णं भंते! लेस्साओ दुब्भिगंधाओ पन्नत्ताओ ? गोयमा ! तओ लेस्साओ दुब्भिगंधाओ पन्नत्ताओ, तं जहाकण्हलेस्सा, नीललेस्सा, काउलेस्सा। कइ णं भंते! लेस्साओ सुब्भिगंधाओ पन्नत्ताओ ? गोयमा ! तओ 71
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy