SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं वण्णाहिगारो श्री प्रज्ञापना सूत्र भाग २ નિષેધ કરવા માટે કહે છે–‘મપ્રિયતર' અત્યંત અપ્રિય છે. આજ કારણથી ‘અમનોજ્ઞરિદ્ભવ' અત્યન્ત અમનોજ્ઞ છે, કારણ કે વસ્તુતઃ યથાર્થ પરિજ્ઞાન થવાથી જરાપણ ઉપાદેયરૂપે તેમાં મનની પ્રવૃત્તિ થતી નથી. અત્યંત અમનોજ્ઞ છતાં કંઇક મધ્યમ હોય, તેથી અત્યન્ત પ્રકૃષ્ટમાં પ્રકર્ષવિશેષનું પ્રતિપાદન કરવા માટે કહે છે-“મના પરિવ' અત્યન્ત મનને પ્રાપ્ત નહિ થનાર, “મનસિ મનોતિ' મનને પ્રાપ્ત થાય, એટલે મનને વશ કરે તે મનાપ કહેવાય, એવી ન હોય તે ‘મનાપરિયા' અત્યંત અમનોજ્ઞ. [અહીં મણામ શબ્દ મનોજ્ઞવાચી રૂઢ છે.] એટલે અત્યંત અમનોહર એવા પ્રકારની વેશ્યા વર્ણવડે કહેલી છે. કપાપ૦૮. नीललेस्सा णं भंते! केरिसिया वन्नेणं पन्नत्ता? गोयमा! से जहानामए भिंगए इ वा भिंगपत्ते इ वा चासे इ वा चासपिच्छए इ वा सुए इ वा सुयपिच्छे इ वा सामा इ वा वणराई इ वा उच्चंतए इ वा पारेवयगीवा इ वा मोरगीवा इ वा हलहरवसणे इ वा अयसिकुसुमे इ वा वणकुसुमे [बाणकुसुमए] इवा अंजणकेसियाकुसुमे इ वा नीलुप्पले इ वा नीलासोए इ वा नीलकणवीरए इ वा नीलबंधुजीवे इ वा, भवेयारूवे? गोयमा! णो इणढे समठे। एत्तो जाव મમMIમરિયા વ વને પુનત્તા સૂ૦-રૂTIબ૦૧| (મૂળ) હે ભગવન્! નીલલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કોઈ ભંગ, ભૃગની પાંખ, ચાસ, ચાસપિચ્છ, શુક, શુક્રપિચ્છ, શ્યામા-પ્રિયંગુ, વનરાજિ, ચિંતક-દાંતનો રંગ, પારેવાની ગ્રીવા, મોરની ગ્રીવા, બલદેવનું વસ્ત્ર, અલસી, પુષ્પ, વણનું કુસુમ, અંજનકેશિકાનું કુસુમ, નીલોત્પલ, નીલાશોક, લીલું કણવીર, અને લીલું બંધુબીજક છે, એવા પ્રકારની નીલલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એથી વધારે મનને ન ગમે તેવી વર્ણ વડે કહેલી છે. /૩૫//૫૦૯. (ટીવ) “નીલસી નં અંતે'! હે ભગવન્! નીલલેશ્યા વર્ણવડે કેવા પ્રકારની છે? ઇત્યાદિ અક્ષરાર્થ પૂર્વની પેઠે જાણવો. પરન્તુ ભૂંગ-પાંખવાળું પક્ષીવિશેષ છે, મૂંગપત્ર-તે ભૃગ પલિની પાંખ; ચાસ-એક જાતનું પક્ષી, ચાસપિચ્છ-ચાસપક્ષીની પાંખ, શુક-પોપટ, શુકપિચ્છ-પોપટની પાંખ, શ્યામા-પ્રિયંગુલતા, વનરાજિ-વનની ઘટા પ્રસિદ્ધ છે, ઉચ્ચત્તક-દાંતનો રંગ, એ સંબધે મૂલ ટીકાકાર કહે છે-“વંતો વંતરો મનફ' ચિંતકને દાંતનો રંગ કહેવાય છે. પારેવાની અને મોરની ગ્રીવા-ડોક પ્રસિદ્ધ છે. હલધરવાસન-બલદેવનું વસ્ત્ર, તે લીલું હોય છે માટે ગ્રહણ કર્યું છે. અલસીપુષ્પ અને વણનું ફૂલ પ્રસિદ્ધ છે. અંજનકેશિકા-વનસ્પતિવિશેષ, તેનું કુસુમ-પુષ્ય, નીલોત્પલ-લાલ-લીલું કમળ, નીલ અશોક, નીલ કણવીર અને નીલ બન્યુબીજ એ બધા અમુક પ્રકારના વૃક્ષો છે. li૩પી૫૦૯ll काउलेस्सा णं भंते! केरिसिया वन्नेणं पन्नत्ता? गोयमा! से जहानामए खदिरसारए इ वा कइरसारए इ वा धमाससारे इ वा तंबे इ वा तंबकरोडे इ वा तंबच्छिवाडियाए इ वा वाइंगणिकुसुमे इ वा कोइलच्छदकुसुमे इ वा जवासाकुसुमे इ वा, कलकुसुमे इ वा] भवेयारूवे? गोयमा! णो इणढे समठे। काउलेस्सा णं एत्तो अणिट्ठयरिया जाव अमणामयरिया चेव वन्नेणं पन्नत्ता ।।सू०-३६।।५१०॥ (મૂ૦) હે ભગવન્! કાપોતલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની કહી છે? હે ગૌતમ! જેમ કોઈ ખરસાર, કરીરસાર, ધમાસાસાર, તંબતામ્ર, તંબકરોડ–તામ્રકોટક, તંબઈવાડિયા, (તાંબાની કટોરી), વેંગણીના પુષ્પ, કોકિલચ્છદ (તેલકંટક) પુષ્પ અને જવાસાકુસુમ છે કાપોતલેશ્યા એવા પ્રકારની હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. કાપોતલેશ્યા એથી અનિષ્ટકર, યાવત્ મનને ન ગમે તેવી વર્ણ વડે હોય છે. ૩૬/પ૧ ll (ટી) “ડિસ્લેક્ષા મં!' હે ભગવન્! કાપોતલેશ્યા વર્ણવડે કેવા પ્રકારની છે? ઇત્યાદિ. અહીં પણ અક્ષરાર્થ પૂર્વની પેઠે જાણવો. ખદિરસાર–ખરસાર અને ધમાસાસાર લોકપ્રસિદ્ધ છે. તંવે રૂ વા તંવરોડ રૂ વા તંવછવાડિયા ફુવા' એ - 65
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy