SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं वण्णाहिगारो પ્રત્યેકના તે સિવાયની અન્ય પાંચ લશ્યાના પરિણામને આશ્રયી પાંચ સૂત્રો કહેવાં. એમ તિર્યંચ અને મનુષ્યોને ભવાન્તર પ્રાપ્તિ સમયે અને બાકીના કાળે વેશ્યાદ્રવ્યોનો પરિણામ કહ્યો. દેવ અને નારક સંબન્ધી વેશ્યાદ્રવ્યો પોતાના ભવપર્યન્ત અવસ્થિત હોય છે. તેથી અન્ય વેશ્યાદ્રવ્યના સંબન્ધથી તેનો આકારમાત્ર ધારણ કરે છે, તે અહીં કહેવામાં આવશે. તેથી પરિણામરૂપ અધિકાર કહ્યો. ૩૩૫૦૭ી. || વાહિયારી ||. कण्हलेस्सा णं भंते! वन्नेणं केरिसिया पन्नत्ता? गोयमा! से जहानामए जीमूते इ वा अंजणे इ वा खंजणे इ वा कज्जले इ वा गवले इ वा गवलवलए इ वा जंबूफले इ वा अद्दारिठ्ठपुप्फे इ वा परपुढे वा भमरे इ वा भमरावली इ वा गयकलभे इ वा किण्हकेसरे इ वा आगासथिग्गले इ वा किण्हासोए इ वा कण्हकणवीरए इ वा कण्हबंधुजीवए इ वा, भवे एतारूवे? गोयमा! णो इणढे समढे, कण्हलेस्सा णं इत्तो अणिट्ठयरिया चेव अकंतयरिया चेव अप्पियतरिया चेव अमणुन्नतरिया चेव अमणामतरिया चेव वन्नेणंपन्नत्ता ।। सू०-३४।।५०८।। (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યા વર્ણથી કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કોઈ મેઘ, અંજન, ખંજન-દીવાના કોડીયાનો મેલ, કાજળ, ગવલ-પાડાનું શીંગડું, ગવલવલય-વલયની આકૃતિવાળું પાડાનું શીંગડું, જાંબુ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભ્રમર, ભ્રમરની પંક્તિ, હાથીનું બચ્ચું, કૃષ્ણ કેસર-કાળું બકુલનું ઝાડ, આકાશ થિન્ગલ-મેઘાચ્છાદિત આકાશખંડ, કૃષ્ણ અશોક, કાળી કણેર અને કાળો બંધુજીવક છે, શું એવા પ્રકારની કૃષ્ણલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ– યુક્ત નથી. કૃષ્ણલેશ્યા એથી વધારે અનિષ્ટ, અત્યંત અકાંત, અત્યન્ત અપ્રિય, અતિઅમનોજ્ઞ, અને મનને ન ગમે તેવી વર્ણ વડે કહેલી છે. ૩૪ll૫૦૮ (ટી0) હવે વર્ણાધિકાર કહે છે–“વ્હલ્લેસા માં અંતે! વvi રિસિયા પન્ના'–હે ભગવન્! કૃષ્ણલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે–ઇત્યાદિ. કૃષ્ણદ્રવ્યરૂપ લેશ્યા તે કૃષ્ણલેશ્યા એટલે કૃષ્ણલેશ્યાયોગ્ય દ્રવ્યો. કારણ કે તેઓને જ વર્ણાદિનો સંભવ છે, પરન્તુ કૃષ્ણદ્રવ્યથી ઉત્પન્ન થયેલ ભાવરૂપ કૃષ્ણલેશ્યા ન લેવી, કારણ કે તેઓને વર્ણાદિનો સંભવ નથી. તે કૃષ્ણલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે? ભગવાનું કહે છે“હે ગૌતમ! “યથાનામ:' લોકપ્રસિદ્ધ ‘નીમૂતઃ' મેઘ, તે અહીં વર્ષાઋતુના પ્રારંભકાળનો જલથી ભરેલો જાણવો, કારણ કે પ્રાયઃ તેનામાં જ અતિશય કાળાશ હોય છે. ઇતિ શબ્દ ઉપમાનભૂત વસ્તુઓના નામની સમાપ્તિ ઘાતક છે. વા શબ્દ બીજા ઉપમાનોની અપેક્ષાએ સમુચ્ચયના અર્થમાં છે. એમ બધે ‘તિ' અને ‘વા' શબ્દ જાણવા. અંજન-સૌવીરાંજન, સુરમો, અથવા શ્યામ વર્ણવાળું રત્નવિશેષ, ખંજન-દિવાના કોડીયાનો મેલ, અથવા તેલાદિસ્નેહયુક્ત ગાડાની ધરીના ઘસારાથી ઉત્પન્ન થયેલ મેલ એમ બીજા આચાર્યો કહે છે. “વનન' કાજળ પ્રસિદ્ધ છે, ગવલ-પાડાનું શીંગડું, અને તે પણ ઉપરની ત્વચાના ભાગને દૂર કરેલું સમજવું, કારણ કે ત્યાંજ વિશિષ્ટ કાળાશનો સંભવ છે. જાંબુ પ્રસિદ્ધ છે, અરિષ્ટ-અરીઠાં, પરપુષ્ટ-કોયલ, ભ્રમર-ભમરો, ભમરાની પંક્તિ, ગજકલભ-હાથીનું બચ્ચું, કૃષ્ણ કેસરકાળી બોરસલી, આકાશથિગ્નલ-શરદઋતુમાં મેઘવડે આચ્છાદિત આકાશનો ખંડ, તે પણ ઘણોજ કાળો લાગે છે માટે કહ્યું છે. કૃષ્ણ અશોક, કૃષ્ણ કણવીર-કણેર, કૃષ્ણ બંધુજીવક-બપોરીઓ-એ બધા અમુક પ્રકારના વૃક્ષો છે. અશોકાદિ વૃક્ષો જાતિભેદથી પાંચ વર્ણના હોય છે તેથી બાકીના વર્ણનો નિષેધ કરવા કૃષ્ણનું ગ્રહણ કર્યું છે. એટલું કહ્યું એટલે ગૌતમ કહે છે–વે થારૂવા'? હે ભગવન્! કૃષ્ણલેશ્યા વર્ણ વડે એવા સ્વરૂપવાળી હોય? ભગવાનું ઉત્તર આપે છે–હે ગૌતમ! એવા રૂપવાળી કૃષ્ણલેશ્યા હોય એ અર્થ સમર્થ–યુક્ત નથી, પરન્તુ તે કૃષ્ણલેશ્યા આ જીમૂતાદિ–મેઘ વગેરેથી કૃષ્ણ વર્ણવડે અત્યન્ત અનિષ્ટ છે. અહીં કિંચિત્ અનિષ્ટ હોવા છતાં સ્વરૂપથી કાન્ત–મનોહર હોય છે માટે કાન્તપણાનો નિષેધ કરવા માટે કહે છે–અત્યન્ત અકાન્ત હોય છે. કેટલાકને કંઈક અનિષ્ટ છતાં અને સ્વરૂપથી અકાન્ત છતાં બીજાને પ્રિય હોય છે માટે સર્વથા પ્રિયપણાનો 64
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy