SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं परिणामाहिगारो श्री प्रज्ञापना सूत्र भांग २ (મૂળ) હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યાને પામી તપપણે, તદ્વર્ણપણે, તદ્ગન્ધપણે, તદ્સપણે અને તત્ત્પર્શપણે વારંવાર પરિણમે? હા ગૌતમ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને, યાવત્ શુક્લલેશ્યાને પામી તદ્રુપપણે, તāર્ણપણે, તદ્ગન્ધપણે તદ્દસપણે અને તત્સ્યપણે વારંવાર પરિણમે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘કૃષ્ણલેશ્યા નીલલેશ્યા યાવત્ શુક્લલેશ્યાને પામી તદ્રુપણે યાવત્ વારંવાર પરિણમે છે'? હે ગૌતમ! જેમ કોઇ વૈસૂર્ય મણિ હોય અને તે કાળા સૂત્રમાં, લીલા સૂત્રમાં, રાતા સૂત્રમાં કે ધોળા સૂત્રમાં પરોવ્યો હોય તો તદ્નપણે યાવત્ વારંવાર પરિણમે છે, તે કારણથી એમ કહું છું કે કૃષ્ણલેશ્યા નીલલેશ્યા યાવત્ શુક્લલેશ્યાને પામીને તરૂપપણે વારંવાર યાવત્ પરિણમે છે. II૩૨।।૫૦૬ से नूणं भंते! नीललेस्सा किण्हलेस्सं जाव सुक्कलेस्सं पप्प तारूवत्ताए जाव भुज्जो २ परिणमइ ? हंता गोयमा ! एवं चेव, एवं काउलेस्सा किण्हलेस्सं नीललेस्सं तेउलेस्सं पम्हलेस्सं सुक्कलेस्सं, एवं तेउलेस्सा किण्हलेस्सं नीलस्सं काउलेस्सं पम्हलेस्सं सुक्कलेस्सं, एवं पम्हलेस्सा किण्हलेस्सं नीललेस्सं काउलेस्सं तेउलेस्सं सुक्कलेस्सं पप्प जाव भुज्जो २ परिणमइ ? हन्ता गोयमा ! तं चेव । से नूणं भंते! सुक्कलेस्सा किण्हलेस्सं नीललेस्सं काउलेस्सं तेउलेस्सं पम्हलेस्सं पप्प जाव भुज्जो २ परिणमइ ? हंता गोयमा ! एवं [तं] चेव ।। सू०-३३ ।। ५०७।। (મૂળ) હે ભગવન્! અવશ્ય નીલલેશ્યા કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યાને પામી તદ્પપણે યાવત્ વારંવાર પરિણમે? હા ગૌતમ! એમજ છે. કાપોતલેશ્યા કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યાને પામી, એ પ્રમાણે તેજોલેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત, પદ્મ અને શુક્લલેશ્યાને પામી, એમ પદ્મલેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત, તેજસ્ અને શુક્લલેશ્યાને પામી યાવત્ વારંવાર પરિણમે? હા ગૌતમ! તેમજ છે. હે ભગવન્! શુક્લલેશ્યા કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા અને પદ્મલેશ્યાને પામી યાવત્ વારંવાર પરિણમે? હા ગૌતમ! તેમજ છે. I૩૩૫૦૭૫ (ટી) એમ પૂર્વ પૂર્વ લેશ્યાનું પછી પછીની લેશ્યાને આશ્રયી તે રૂપે પરિણમન કહ્યું. હૅવે એક એક લેશ્યાનું અનુક્રમે બાકીની બધી લેશ્મારૂપે યથાસંભવ પરિણમન કહે છે—‘સે મૂળ મંતે! જોસ્સા નીલનેસ્સું જાત્તેસ્સું’-‘હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યા અને કાપોતલેશ્યા વગેરેને પામી તે રૂપે પરિણમે? ઇત્યાદિ. અહીં વા શબ્દ બધે કહ્યો નથી છતાં જાણી લેવો. એટલે નીલલેશ્યા અથવા કાપોતલેશ્યા યાવત્ શુક્લલેશ્યાને પામી તે રૂપે પરિણત થાય છે, કારણ કે એક લેશ્યાનો પરસ્પર વિરુદ્ધપણે એક સમયે અનેક લેશ્યારૂપે પરિણામ થવો અસંભવિત છે. બાકી અક્ષરાર્થ પૂર્વની પેઠે જાણવો. આ વિષયમાં દૃષ્ટાંત કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—‘મે કેળ અંતે'! હે ભગવન્! એમ શાથી કહો છો? ઇત્યાદિ સુગમ છે. પરંતુ જેમ ‘વૈડૂર્યમણિ એક જ છતાં તે તે ઉપાધિ (નિમિત્ત) રૂપ દ્રવ્યના સંબન્ધથી તે તે રૂપપણે પરિણમે છે, તેમ તે કૃષ્ણલેશ્યાયોગ્ય દ્રવ્ય પણ તે તે નીલાદિલેશ્યાયોગ્ય દ્રવ્યના સંબન્ધથી તે તે રૂપે પરિણમે છે, તેટલા અંશે આ દૃષ્ટાંત છે, પણ જેમ વૈડૂર્યમણિ પોતાના સ્વરૂપનો ત્યાગ નહિ કરતાં તે તે ઉપાધિ-નિમિત્તરૂપ દ્રવ્યના સંબન્ધથી તે તે આકાર માત્રને ધારણ કરવા વડે તે તે રૂપે પરિણમે છે, તેમ આ કૃષ્ણલેશ્યાયોગ્ય દ્રવ્યો પણ પોતાના સ્વરૂપને નહિ છોડતાં તે તે નીલાદિલેશ્યાયોગ્ય દ્રવ્યના સંબન્ધથી તેના તેના આકાર માત્રને ધા૨ણ ક૨વા વડે તે તે રૂપે પરિણમે છે' એટલા અંશે દૃષ્ટાન્ત નથી, કારણ કે તિર્યંચ અને મનુષ્યોને લેશ્યાદ્રવ્યોનો સર્વથા તરૂપપણે પરિણામ સિદ્ધાંતસંમત છે. જો એમ ન હોય તો ના૨ક અને દેવો સંબન્ધી લેશ્યાદ્રવ્યોની પેઠે તિર્યંચ અને મનુષ્યોને પણ લેશ્યાદ્રવ્યો સર્વથા પોતાના સ્વરૂપનો ત્યાગ નહિ કરવા વડે તેઓનો લાંબા કાળ સુધી રહેવાનો સંભવ થાય, જેથી એઓની ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની સ્થિતિ અન્ય સ્થળે કહી છે તેની સાથે વિરોધ થાય, કેમકે મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ હોવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ યાવત્ ત્રણ પલ્યોપમની પણ સંભવે. એ પ્રમાણે તે સિવાયની અન્ય પાંચ લેશ્યાના પરિણામને આશ્રયી કૃષ્ણલેશ્યા સંબન્ધુ સૂત્ર કહ્યું. એમ નીલાદિ લેશ્યા સંબન્ધે પણ 63
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy