SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं परिणामाहिगारो નીલલેશ્યાને યોગ્ય દ્રવ્યોને પામીને એટલે પરસ્પર એકબીજાના અવયવનો સ્પર્શ પ્રાપ્ત કરી ‘તદ્રુપતા’તદ્રુપપણે–નીલલેશ્યારૂપપણે, અહીં રૂપશબ્દ સ્વભાવવાચી છે એટલે નીલલેશ્યાના સ્વભાવપણે ‘ભૂયો ભૂય:’ વારંવાર પરિણમે? તેનો સ્વભાવ તેના વર્ણાદિરૂપે હોય છે, તેથી કહે છે કે ‘તદ્વતિયા, તત્રસતયા તાન્યતયા, તત્ત્પર્શતયા'—તેના વર્ણરૂપે, તેના રસરૂપે, તેના ગન્ધરૂપે અને તેના સ્પર્શરૂપે, અહીં બધે તત્ (તે) શબ્દવડે નીલલેશ્યા યોગ્ય દ્રવ્યને ગ્રહણ કરે છે એટલે નીલલેશ્યા દ્રવ્યના સ્વભાવપણે ‘મૂક્યો ભૂય:' અનેકવાર તિર્યંચ અને મનુષ્યોને તે તે ભવાન્તરની પ્રાપ્તિમાં અથવા બાકીના સમયે પરિણમે છે? આ હકીકત તિર્યંચ મનુષ્યોને આશ્રયી જાણવી. એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ ઉત્તર આપે છે—‘હન્તા ગોયમા'! હા ગૌતમ! ઇત્યાદિ. અહીં ‘હન્તા’ એ અનુમતિના અર્થમાં છે. હે ગૌતમ! એ મને અનુમત છે કે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તદ્રુપપણે પરિણમે છે. અહીં આ ભાવાર્થ છે—જ્યારે કૃષ્ણલેશ્યાના પરિણામવાળો તિર્યંચ કે મનુષ્ય ભવાન્તરમાં જવાની ઇચ્છાવાળો હોય અને નીલલેશ્યા યોગ્ય દ્રવ્યને ગ્રહણ કરે ત્યારે નીલલેશ્યા યોગ્ય દ્રવ્યના સંબંધથી તે કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યો તેવા પ્રકારના જીવના પરિણામરૂપ સહકારી કારણ પ્રાપ્ત કરી નીલલેશ્યા દ્રવ્યરૂપે પરિણમે છે. કારણ કે પુદ્ગલોને તે તે રૂપે પરિણામ પામવાનો સ્વભાવ છે. તેથી તે કેવળ નીલલેશ્યા યોગ્ય દ્રવ્યના પ્રાધાન્યથી નીલલેશ્યાના પરિણામવાળો થઇ કાળ કરી ભવાન્તરમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે ‘નìસ્સારૂં (બારૂં પરિયાત્તા ાતું રેફ તોલ્સે સવવન્ગર્'—જે લેશ્યાદ્રવ્યોને ગ્રહણ કરી કાળ કરે છે તે લેશ્યાના પરિણામવાળો ઉત્પન્ન થાય છે. તથા તેજ તિર્યંચ અને મનુષ્ય તેજ ભવમાં વર્તતો જ્યારે કૃષ્ણલેશ્યાના પરિણામવાળો થઇને નીલલેશ્યાપણે પરિણત થાય છે ત્યારે પણ કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્યો તે કાળે ગ્રહણ કરેલા નીલલેશ્યા યોગ્ય દ્રવ્યના સંબન્ધથી નીલલેશ્યા યોગ્ય દ્રવ્યરૂપે પરિણત થાય છે. આજ અર્થનો દૃષ્ટાન્ત વડે વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ પ્રશ્નસૂત્ર કહે છે—‘સે જેદેળ અંતે!' ઇત્યાદિ. હે ભગવન્! એમ શાથી કહો છો ઇત્યાદિ પ્રશ્ન સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે—‘ગોયમા! સે નહાનામદ્ વીરે' ઇત્યાદિ. ‘યથાનામ' લોકપ્રસિદ્ધ જેમકે ગોક્ષીર–ગાયનું દૂધ, બકરીનું દૂધ, ભેંસનું દૂધ-ઇત્યાદિ નામવાળું દૂધ હોય તે ‘તૂસી' દેશી શબ્દ હોવાથી દૂષ્ય-વલોવેલી છાશને પ્રાપ્ત કરી પરસ્પર અવયવના સ્પર્શ વડે એકમેક થઇને, તથા શુદ્ધ-મેલરહિત વસ્ત્ર, કારણ કે મલિન વસ્ત્રને રંગવામાં આવે તો પણ તેવા પ્રકા૨નો રંગ લાગતો નથી. માટે શુદ્ધ વસ્ત્ર કહ્યું છે. રાગ–મજીઠ વગેરેનો રંગ પ્રાપ્ત કરીને ‘તદ્રુપતયા’ મજીઠ વગેરે રંગના સ્વભાવરૂપે એટલે ‘તદ્દઽતયા’ ઇત્યાદિ. તેના વર્ણાદિરૂપે પરિણમે છે, તે પ્રમાણે કૃષ્ણલેશ્યાયોગ્ય દ્રવ્યો નીલલેશ્યા યોગ્ય દ્રવ્યોને પ્રાપ્ત કરી તે રૂપે પરિણમે છે. અહીં આ ભાવાર્થ છે—જેમ દૂધરૂપ કારણની અન્દર રહેલા વર્ણાદિ છાશના (દહીંના) વર્ણાદિ ભાવે પરિણમે છે, અથવા શુદ્ધ વસ્ત્રરૂપ કારણમાં રહેલા વર્ણાદિ મજીઠ વગેરે રંગદ્રવ્યના વર્ણાદિભાવે પરિણત થાય છે તેમ કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્યરૂપ કારણમાં રહેલા વર્ણાદિ નીલલેશ્યા યોગ્ય દ્રવ્યના વર્ણાદિપણે પરિણમે છે. ‘સે તેદેખ્ખું' તે કારણથી ઇત્યાદિ ઉપસંહાર વાક્ય સુગમ છે. એ પ્રમાણે ‘નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને' ઇત્યાદિ ચારે સૂત્રોનો વિચાર કરવો. ૫૩૧||૫૦૫॥ भंते! कण्हस्सा नीललेस्सं काउलेस्सं तेउलेस्सं पम्हलेस्सं सुक्कलेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तांगंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो २ परिणमइ ? हंता गोयमा ! कण्हलेस्सा नीललेस्सं पप्प जाव सुक्कलेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए ताफासत्ताए भुज्जो २ परिणमइ । से केणट्टेणं भंते! एवं बुच्चs - 'कण्हलेस्सा नीललेस्सं जाव सुक्कलेस्सं पप्प तारूवत्ताए जाव भुज्जो २ परिणमइ' ? गोयमा ! से जहानामए वेरुलियमणी सिया कण्हसुत्तए वा नीलसुत्तए वा लोहियसुत्तए वा हालिद्दसुत्तए वा सुक्किल्लसुत्त वा आइए समाणे तारूवताए जाव भुज्जो २ परिणमइ, से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - 'कण्हलेस्सा नीललेस्सं जाव सुक्कलेस्सं पप्प तारूवत्ताए भुज्जो २ परिणमति ॥ सू०-३२ ।।५०६ ।। 62
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy