________________
सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं परिणामाहिगारो
|| સત્તરસમં પયં – વડોદેરીઓ ||
|| ગે૨સામેયપરુવળ ||
श्री प्रज्ञापना सूत्र भाग २
परिणामवन्नरसगंधसुद्धअपसत्थसंकिलिट्टुण्हा। गतिपरिणामपदेसोगाढवग्गणठाणाणमप्पबहुं ॥ १ ॥ कइणं भंते! लेस्साओ पन्नत्ताओ ? गोयमा ! छल्लेस्साओ पन्नत्ताओ, तं जहा - कण्हलेस्सा जाव सुक्कलेस्सा। || પરિણામહિનારો ||
से.नूणं भंते! कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो २ परिणमति? हंता गोयमा! कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए जाव भुज्जो २ परिणमति । से केणट्टेणं भंते! एवं वुच्चइ - 'कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए जाव भुज्जो २ परिणमति' ? गोयमा ! से जहा नामए खीरे पिप्प सुद्धे वा वत्थे रागं पप्प तारूवत्ताए जाव ताफासत्ताए भुज्जो २ परिणमइ, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - 'कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए जाव भुज्जो २ परिणमइ' । एवं एतेणं अभिलावेणं नीललेस्सा काउलेस्सं पप्प, काउलेस्सा तेउलेस्सं पप्प, तेउलेस्सा पम्हलेस्सं पप्प, पम्हलेस्सा सुक्कलेस्सं पप्प' जाव મુન્ગો ૨ પરિામડ્ IIજૂ-રૂ||૧૦||
ચોથો ઉદ્દેશક
(મૂળ) ૧ પરિણામ, ૨ વર્ણ, ૩ ૨સ, ૪ ગંધ, ૫ શુદ્ધ, ૬ અપ્રશસ્ત, ૭ સંક્લિષ્ટ, ૮ ઉષ્ણ, ૯ ગતિ, ૧૦ પરિણામ, ૧૧ પ્રદેશ, ૧૨ અવગાઢ, ૧૩ વર્ગણા, ૧૪ સ્થાન અને ૧૫ અલ્પબહુત્વ એ પ્રમાણે પંદર અધિકાર ચોથા ઉદ્દેશકમાં છે. હે ભગવન્ કેટલી લેશ્યાઓ છે? હે ગૌતમ! છ લેશ્યાઓ છે. તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા. હે ભગવન્! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તેના રૂપપણે, તેના વર્ણપણે, તેના ગંધપણે, તેના રસપણે અને તેના સ્પર્શપણે વારંવાર પરિણમે? હા ગૌતમ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તદ્રુપપણે, યાવત્−વારંવાર પરિણમે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તદ્રુપપણે યાવત્ વારંવાર પરિણમે છે’? હે ગૌતમ! જેમ દૂધ દૂષ્યછાશને પ્રાપ્ત કરી, અથવા શુદ્ધ વસ્ત્ર રંગને પ્રાપ્ત કરી તદ્રુપપણે, યાવત્ તત્ત્પર્શપણે વારંવાર પરિણમે છે, તે કારણથી હે ગૌતમ! એમ કહું છું કે ‘કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામી તદ્રુપપણે યાવત્ વારંવાર પરિણમે છે’. એ પ્રમાણે એ પાઠ વડે નીલલેશ્યા કાપોતલેશ્યાને પામી, કાપોતલેશ્યા તેજોલેશ્યાને પામી, તેજોલેશ્યા પદ્મલેશ્યાને પામી અને પદ્મલેશ્યા શુક્લલેશ્યાને પામી યાવત્ વારંવાર પરિણમે છે. ૩૧/૫૦૫॥
(ટી૦) ત્રીજો ઉદ્દેશક કહ્યો, હવે ચોથા ઉદ્દેશકનો પ્રારંભ થાય છે. તેમાં આદિમાં અધિકાર પ્રતિપાદક આ ગાથા છે‘પરિળામવળ' ઇત્યાદિ. ૧ પ્રથમ પરિણામાધિકાર, ૨ બીજો વર્ણાધિકા૨, ૩ ત્રીજો રસાધિકાર, ૪ ચોથો ગન્ધાધિકાર, ૫ પાંચમો શુદ્ધ અને અશુદ્ધાધિકાર, ૬ છઠ્ઠો પ્રશસ્ત અપ્રશસ્તાધિકાર, ૭ સાતમો સંક્લિષ્ટ અને અસંક્લિષ્ટાધિકાર, ૮ આઠમો ઉષ્ણ-શીતાધિકા૨, ૯ નવમો ગત્યધિકાર, ૧૦ દસમો પરિણામાધિકા૨, ૧૧ અગિયારમો પ્રદેશ-પ્રદેશપ્રરૂપણાધિકા૨, ૧૨ બારમો અવગાઢ–અવગાહનાધિકાર, ૧૩ વર્ગણાધિકા૨, ૧૪ સ્થાનપ્રરૂપણાધિકા૨ અને ૧૫ પંદરમો અલ્પબહુત્વાધિકાર એ પંદર અધિકારો આ ઉદ્દેશકમાં કહેવાના છે.
તેમાં પ્રથમ પરિણામાધિકાર કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર જેનો પરિણામ કહેવાનો છે તે લેશ્યાઓ કેટલી છે તે બતાવે છે—જ્ડ નં અંતે! સેસ્સાઓ પન્નત્તાો? હે ભગવન્! કેટલી લેશ્યાઓ કહી છે–ઇત્યાદિ. આ સૂત્ર પૂર્વે પણ કહ્યું છે, પરન્તુ પરિણામરૂપ અધિકારનું પ્રતિપાદન ક૨વા માટે ફરીથી કહેવામાં આવ્યું છે—‘તે મૂળ અંતે'! ઇત્યાદિ. ‘સે’શબ્દ અર્થશબ્દના અર્થમાં છે અને અથ શબ્દ પ્રશ્નના અર્થમાં છે. હે ભગવાન! ‘નૂનમ્' નિશ્ચિત કૃષ્ણલેશ્યા-કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યો, નીલલેશ્યા–
61