SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं तइओउद्देसो कण्हाइलेस्सेसु जीवेसु णाणपरूवणं (ટી૦) કયાં લેશ્યાઓ કેટલા જ્ઞાનોમાં હોય’ એ નિરૂપણ કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–બને! વીવે નું નાળનું રોઝા?' “હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનોમાં હોય'ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન કહે છે– હે ગૌતમ! બે, ત્રણ અને ચાર જ્ઞાનમાં હોય છે, તેમાં બે જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય, ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં અથવા આભિનિબોથિક, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં હોય, અહીં અવધિજ્ઞાન રહિતને પણ મન:પર્યવજ્ઞાન થાય છે, કારણ કે સિદ્ધપ્રાભૃતાદિ ગ્રન્થોમાં અનેકવાર તેવી રીતે પ્રતિપાદન કરેલું છે. વળી દરેક જ્ઞાનની તેના આવરણના ક્ષયોપશમની સામગ્રી વિચિત્ર હોય છે. તેમાં કોઈક આમર્ષોધ્યાદિમાંની કોઇપણ લબ્ધિસહિત અપ્રમત્ત ચારિત્રવાળાને મન:પર્યવજ્ઞાનાવરણના ક્ષયોપશમના નિમિત્તભૂત તેવા પ્રકારના અધ્યવસાયાદિરૂપ સામગ્રી પ્રાપ્ત થાય છે, પરન્તુ અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણભૂત સામગ્રી પ્રાપ્ત થતી નથી, તેથી તેને મન:પર્યવ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. (પ્ર0)–મન:પર્યવજ્ઞાન અંતિવિશુદ્ધ થાય છે અને કૃષ્ણલેશ્યા સંક્લિષ્ટ અધ્યવસાયરૂપ છે તો કૃષ્ણલેશ્યાવાળાને મન:પર્યવ જ્ઞાનનો કેમ સંભવ હોય? (ઉ0)–અહીં પ્રત્યેક વેશ્યાના અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે, તેમાંના કેટલાએક મન્દ રસવાળા અધ્યવસાયસ્થાનકો પ્રમત્તસંયતને પણ હોય છે. તેથી કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી.અન્ય કાર્મગ્રન્થિક શાસ્ત્રમાં કહેલી છે. મન:પર્યવજ્ઞાન પ્રથમ અપ્રમત્ત સંયતને થાય છે અને ત્યાર પછી પ્રમત્તસયતને પણ હોય છે, માટે કૃષ્ણલેશ્યાવાળાને પણ મન:પર્યવજ્ઞાન સંભવે છે. ચાર જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવ-એ ચાર જ્ઞાનમાં હોય. ‘પર્વ નાવ પહલ્લેસે' એ પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળાને કહ્યું તેમ ઉપર કહેલા પ્રકારવડે યાવત્ પદ્ગલેશ્યા સુધી કહેવું. એટલે કે નીલલેશ્યાવાળો, કાપોતલેશ્યાવાળો, તેજલેશ્યાવાળો અને પદ્મલેશ્યાવાળો ઉપર કહ્યા પ્રમાણે.બે, ત્રણ અને ચાર જ્ઞાનોમાં કહેવો. તે આ પ્રમાણે—“હે ભગવન્! નીલલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનમાં હોય? હે ગૌતમ! બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય”—ઇત્યાદિ. પણ શુક્લલેશ્યાવાળામાં વિશેષતા છે માટે તે સંબધે જુદું સૂત્ર કહે છે–સુક્ષત્તેસે ને અંતે!' ઇત્યાદિ. હે ભગવન્! શુક્લલેશ્યાવાળો ઇત્યાદિ. શુક્લલશ્યામાં જ કેવલજ્ઞાન હોય છે પણ બીજી વેશ્યાઓમાં હોતું નથી, તેથી બાકીની વેશ્યાવાળાઓથી શુક્લલેક્ષાવાળાની વિશેષતા છે. ૩૦૫૦૪ * પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં સત્તરમા શ્યાપદનો ત્રીજો ઉદેશક સમાપ્ત. અરિહંત બનનાર આત્મા જ્યાં સુધી તીર્થંકરનામ કર્મના ઉદયવાળા ન બને ત્યાં સુધીય પ્રાયઃ કરીને ઉપદેશ આપતા નથી. પોતે ચાર જ્ઞાનના ધણી હોવા છતાં પોતાને છદ્મસ્થ માને છે. આ વાત આગમોક્ત છે. અરિહંતના હાથેદિક્ષિત એજ ભવમાં મોક્ષમાં જાય એવો નિયમ નથી પણ એ અલપકાળમાં મોક્ષમાં જવાના જ એ નિયમ ખરો. અરિહંતનું શાસન પુણ્યાનુબંધી પુણ્યવાળાને જ મળે એમ નથી. એ પાપાનુંબંધી પુણ્યવાળાને પણ મળે પણ એને ફળે નહીં. એ ચોક્કસ છે. જેમ કંજુસને કૃપણને લક્ષ્મી મળે પણ એ ભોગવી ન શકે એમ જ અહિં સમજવાનું. - જયાનંદ • 60 –
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy