________________
सत्तरसमं पयं तइओउद्देसो कण्हाइलेस्सेसु जीवेसु णाणपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ અવધિજ્ઞાની નૈરયિકની અપેક્ષાએ ઘણું વધારે જુએ છે, કારણ કે તેનું અવધિજ્ઞાન કંઇક અધિક ત્રણગણું છે. હવે નીલલેશ્યાવાળા નૈયિક સંબન્ધે સૂત્ર કહે છે—‘નીલલેમ્સે મંતે! નેણ જોયું નેË પળિહા' ઇત્યાદિ. હે ભગવન્! નીલલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરિયકની અપેક્ષાએ અવિધજ્ઞાન વડે કેટલા ક્ષેત્રને જાણે? ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે, પરન્તુ ‘વિતિમિતરામાં હેત્તું બાળરૂ' વિગત–ગયું છે તિમિર-તિમિર(અંધકાર) જન્મ ભ્રાન્તિ જેમાં તે વિતિમિર–સ્પષ્ટ, આ વિતિમિરસ્પષ્ટ છે, આ પણ વિતિમિર સ્પષ્ટ છે, પરન્તુ આ અતિશય વિતિમિર છે, આવા વિતિમિર–ભ્રાન્તિરહિત ક્ષેત્રને જાણે છે. અહીં અતિશય અર્થમાં તર પ્રત્યય થયો છે અને પ્રાકૃતના નિયમથી સ્વાર્થમાં ક પ્રત્યય અને દીર્ઘ થયો છે. એ કારણથી વિશુદ્ધતરઅત્યન્ત સ્ફુટ પ્રતિભાસવાળું જાણે છે. ભાવાર્થ આ છે—જેમ પૃથિવી ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ પર્વત ઉપર ચઢેલો મનુષ્ય અતિદૂરના ક્ષેત્રને જુએ છે, અને તે પણ સ્ફુટપ્રતિભાસવાળા ક્ષેત્રને જાણે છે, તેમ વિવક્ષિત-નીલલેશ્યાવાળો પોતાની યોગ્યતાને અનુસારે અતિવિશુદ્ધ અવધિજ્ઞાની અન્ય કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ અતિદૂર અને સ્ફુટપ્રતિભાસવાળા ક્ષેત્રને જાણે છે. અહીં પર્વતને સ્થાને ઉપરની ત્રીજી નરકપૃથિવી છે, તેઓને પોતાની ભૂમિકાને અનુસારે અતિવિશુદ્ધ નીલલેશ્યા છે,. પૃથિવીતલને સ્થાને નીચેની કૃષ્ણલેશ્યા છે અને ચક્ષુને સ્થાને અવધિજ્ઞાન છે. હવે નીલલેશ્યાવાળાની અપેક્ષાએ કાપોતલેશ્યા સંબન્ધે સૂત્ર કહે છે—‘વાડજેસ્સે ળ અંતે! નેણ નીલો નેડ્યું પણિહાય' ઇત્યાદિ. હે ભગવન્! કાપોતલેશ્યાવાળો નૈયિક નીલલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ—ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે, પરન્તુ ‘બન્ને પગો’ ‘ઇન્દ્વાવક્ત્તા–ઉંચા કરીને’ એટલે ‘બન્ને પાની ઉંચી કરીને' એ અર્થ સમજવો. ભાવાર્થ છે–જેમ પર્વતના ઉપર વૃક્ષ ઉપર ચઢેલો ચારે તરફ દિશાઓ અને વિદિશાઓમાં જોતો ઘણું અને અત્યંત સ્પષ્ટ જુએ છે, તેમ કાપોતલેશ્યાવાળો નૈરિયક બીજા નીલલેશ્યાવાળા નૈયિકની અપેક્ષાએ ઘણું ક્ષેત્ર અવધિજ્ઞાનવડે જાણે છે અને જુએ છે, અને તે પણ અતિસ્પષ્ટપણે જાણે છે, અહીં વૃક્ષને સ્થાને કાપોતલેશ્યા અને ઉપરની નરકપૃથિવી છે, પર્વતને સ્થાને નીલલેશ્યા અને ત્રીજી નરકપૃથિવી છે અને ચક્ષુને સ્થાને અવધિજ્ઞાન છે.
||૨૯૫૦૩૫
|| कण्हाइलेरसेसु जीवेसु णाणपरूवणं ||
कण्हलेस्से णं भंते! जीवे कइसु नाणेसु होज्जा ? गोयमा ! दोसु वा तिसु वा चउसु वा नाणेसु होज्जा, दोसु होमाणे आभिणिबोहिय-सुयनाणेसु होज्जा, तिसु होमाणे आभिणिबोहिय-सुयनाण-ओहिनाणेसुं होज्जा, अहवा होम आभिणिबोहिय - सुयनाण-मणपज्जवनाणेसु होज्जा, चउसु होमाणे आभिणिबोहिय- सुय-ओहिमणपज्जवनाणेसु होज्जा, एवं जाव पम्हलेसे । सुक्कलेस्सेणं भंते! जीवे कइसु नाणेसु ह्येज्जा ? गोयमा ! दोसु वा तिसु वा चउसु वा एगम्मि वा होज्जा, दोसु होमाणे आभिणिबोहियनाण० एवं जहेव कण्हलेसाणं तहेव માળિયવ્યું નાવ પતૢિ મિ [નાળે] હોમાને મિ જેવલનાળે ઢોન્ગા સૂ૦-૩૦||૧૦૪||
पन्नवणाए भगवइए सत्तरसे लेस्सापए तइओ उद्देसओ समत्तो।
=
(મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનોમાં હોય? હે ગૌતમ! બે, ત્રણ અને ચાર જ્ઞાનમાં વર્તતો હોય. જો બે જ્ઞાનમાં હોય તો આભિનિબોષિક અને શ્રુતજ્ઞાનમાં હોય. જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં હોય. અથવા આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનમાં હોય. જો ચાર જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનમાં હોય. એ પ્રમાણે યાવત્ પદ્મલેશ્યાવાળો જાણવો. હે ભગવન્! શુક્લલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનમાં હોય? હે ગૌતમ! બે, ત્રણ અને ચાર જ્ઞાનમાં હોય. જો બે જ્ઞાનમાં હોય તો ‘આભિનિબોધિકજ્ઞાન'–ઇત્યાદિ જેમ કૃષ્ણલેશ્યાવાળાને કહ્યું તેમજ કહેવું, યાવત્ ચાર જ્ઞાનમાં હોય. જો એક જ્ઞાનમાં હોય તો એક કેવલજ્ઞાનમાં હોય. ।।૩૦।।૫૦૪॥
પ્રજ્ઞાપના ભગવતીમાં સત્તરમા લેશ્યાપદનો ત્રીજો ઉદ્દેશક સમાપ્ત.
59