________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं तइओउद्देसो कण्हाइलेस्सेसु नेरइएसु ओहिखेत्तं परूवणं અત્યંત ઘણા ક્ષેત્રને દેખે. અતિ દૂર ક્ષેત્રને જાણે અને અતિ દૂર ક્ષેત્રને દેખે. વિતિમિરક-અત્યન્ત સ્પષ્ટ ક્ષેત્રને જાણે અને અત્યન્ત સ્પષ્ટ ક્ષેત્રને દેખે, અત્યન્ત વિશુદ્ધ ક્ષેત્રને જાણે અને અત્યન્ત વિશુદ્ધ ક્ષેત્રને દેખે. હે ભગવન્! એમ શાથી કહો છો કે નીલલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નરયિકની અપેક્ષાએ યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને જાણે અને વિશુદ્ધતર ક્ષેત્રને દેખે? હે ગૌતમ! જેમ કોઈ એક પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિભાગથી પર્વત ઉપર ચઢીને ચારે દિશા અને વિદિશામાં જુએ, તેથી તે પુરુષ પૃથિવીતલ ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચારે તરફ જોતો ઘણા ક્ષેત્રને જાણે, યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે, તે માટે હે ગૌતમ! એમ કહું છું કે નીલલેશ્યાવાળો નારક કૃષ્ણલેશ્યાવાળા નિરયિકની અપેક્ષાએ યાવત્ વિશુદ્ધ ક્ષેત્રને જુએ. હે ભગવન્! કાપોતલેશ્યાવાળો નરયિક નીલલેશ્યાવાળા નરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાનવડે ચારે તરફ જોતો જોતો કેટલા ક્ષેત્રને જાણે અને દેખે? હે ગૌતમ! ઘણા ક્ષેત્રને જાણે અને દેખે, યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “કાપોતલેશ્યાવાળો નરયિક યાવત્ વિશુદ્ધ ક્ષેત્રને જુએ? હે ગૌતમ! જેમ કોઈ પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિ ઉપરથી પર્વત પર ચઢે, અને ઉપર ચઢીને બન્ને પગ ઉંચા કરી ચોતરફ જુએ તેથી તે પર્વત ઉપર રહેલા અને પૃથિવી ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ જોતો ઘણા ક્ષેત્રને જાણે અને જુએ, યાવત્ સ્પષ્ટ ક્ષેત્રને જુએ, તે માટે હે ગૌતમ! એમ કહું છું કે ‘કાપોતલેશ્યાવાળો
નિરયિક નીલલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ ઈત્યાદિ તેમજ કહેવું, યાવત્ સ્પષ્ટ ક્ષેત્રને દેખે. /૨૯ll૫૦૩ll (ટી) હવે કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકના અવધિજ્ઞાન અને દર્શનના વિષયભૂત ક્ષેત્રના પરિમાણનું તારતમ્ય બતાવે છે-“હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો કોઇક નરયિક કૃષ્ણલેશ્યાવાળા બીજા નૈરયિકની 'બધા'–અપેક્ષાએ અવધિજ્ઞાન વડે સર્વતઃ ચારે દિશામાં ‘સમન્વતઃ–ચારે વિદિશામાં સમતોમાનઃ' જોતો કેટલું ક્ષેત્ર જાણે અથવા અવધિદર્શન વડે કેટલું ક્ષેત્ર દેખે? ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! ઘણું ક્ષેત્ર ન જાણે, તેમ ઘણું ક્ષેત્ર ન દેખે. તાત્પર્ય એ છે કે વિવણિત કૃષ્ણલેશ્યાવાળો - નરયિક પોતાની યોગ્યતાને અનુસાર અતિવિશુદ્ધ છતાં પણ બીજા કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ અતિ ઘણું ક્ષેત્ર
અવધિજ્ઞાન-દર્શન વડે જાણતો અને જોતો નથી. એજ બાબત કહે છે-અતિદૂરનું ક્ષેત્ર જાણતો નથી, તેમ અતિ દૂરનું ક્ષેત્ર જોતો નથી. પરન્તુ ઇત્વર-થોડુ અધિક ક્ષેત્ર જાણે છે અને થોડું અધિક ક્ષેત્ર દેખે છે. આ સૂત્ર સમાન નરક પ્રથિવીમાં રહેલા કષ્ણલેશ્યાવાળા નૈરયિકોની અપેક્ષાએ સમજવું. કારણ કે એમ જો ન માનીએ તો વ્યભિચારનો સંભવ થાય છે. જેમકે સાતમી નરકમૃથિવીમાં રહેલો કૃષ્ણલેશ્યાવાળો નૈરયિક જઘન્યથી અર્ધ ગાઉ જાણે છે અને વધારેમાં વધારે એક ગાઉ જાણે છે. છઠ્ઠી પૃથિવીમાં રહેલો.જઘન્યથી એક ગાઉ અને ઉત્કૃષ્ટથી દોઢ ગાઉ, પાંચમી નરકમાં રહેલો જઘન્યથી દોઢ ગાઉ અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન બે ગાઉ જાણે છે અને જુએ છે. તેથી બમણાં કે ત્રણગણા અધિક ક્ષેત્રનો સંભવ હોવાથી પ્રસ્તુત સૂત્રમાં વ્યભિચાર
અનિયતપણે પ્રાપ્ત થાય છે. જેમકે અતિવિશુદ્ધ છતાં પણ કૃષ્ણલેશ્યાવાળો નૈરયિક સમાન નરક પૃથિવીમાં રહેનારા બીજા - કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ કંઇક અધિક જુએ છે, પણ ઘણું વધારે જોતો નથી. તે પ્રમાણે દૃષ્ટાન્તદ્વારા સિદ્ધ કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–‘સે અંતે' ઇત્યાદિ. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો-ઇત્યાદિ. અહીં આ તાત્પર્ય છે—જેમ સરખી પૃથિવી ઉપર રહેલો કોઈ એક વિવણિત પુરુષ પોતાની ચક્ષુ નિર્મલ હોવાથી કંઈક અધિક જુએ છે. પણ ઘણું વધારે જોતો નથી, તેમ કોઇ એક વિવણિત કૃષ્ણલેશ્યાવાળો નૈરયિક પોતાની ભૂમિકાને અનુસાર અતિવિશુદ્ધ છતાં સમાન પૃથિવીમાં રહેનાર બીજા કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ અવધિવડે કંઇક અધિક ક્ષેત્ર જુએ છે, પણ ઘણું વધારે ક્ષેત્ર જોતો નથી. અહીં બરોબર સરખી પૃથિવીના સ્થાને સમાન નરક પૃથિવી છે, પોતાની ભૂમિકા સમાન કૃષ્ણરૂપ લેશ્યા છે અને ચક્ષુના સ્થાને અવધિજ્ઞાન છે, એથી આ અર્થ વ્યક્ત થાય છે-જેમ સમાન ભૂમિ ઉપર રહેલો પુરુષ સર્વ દિશાઓ અને વિદિશામાં જોતો ખાડામાં રહેલા પુરુષની અપેક્ષાએ ઘણું વધારે ક્ષેત્ર જુએ છે, તે પ્રમાણે પાંચમી નરકમૃથિવીમાં રહેલો પોતાની ભૂમિકાને અનુસાર અતિવિશુદ્ધ કૃષ્ણલેશ્યાવાળો વિવલિત નૈરયિક છે તે સાતમી નરકમૃથિવીમાં રહેલા અતિમન્દ સામર્થ્યવાળા
. 58