SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं तइओउद्देसो सलेस्सेसु २४ दंडएसु विभागेण उववाय-उव्वट्टणाओ અવશ્ય તે વેશ્યાવાળો જ ઉત્પન્ન થાય, કારણ કે મનુષ્ય અને તિર્યંચો આગામી ભવની વેશ્યાનું અન્તર્મુહૂર્ત વ્યતીત થયા બાદ અને દેવ અને નારકો પોતાના ભવની વેશ્યાનું અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરિણત થયેલી વેશ્યા વડે જીવો પરલોકમાં જાય છે-એવું શાસ્ત્રનું વચન છે. તે માટે કહ્યું છે કે “મા! ખુલૅસે પુવારૂપ ફ્લેસેતુ પુવવરૂપનું ૩વવનકું, સિય હિન્નેસે સવવટ્ટફ–કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય છે અને કદાચિત્ કૃષ્ણલેશ્યાવાળો ઉદ્વર્તે છે-ઇત્યાદિ. એ પ્રમાણે નીલલેશ્યા અને કાપોતલેશ્યા વિષયક સૂત્ર કહેવું. તથા જ્યારે તેજોવેશ્યાવાળા ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનદેવો પોતાના ભવથી ચ્યવી પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ત્યારે કેટલાક કાળ સુધી અપર્યાપ્તાવસ્થામાં તેઓને તેજોલેશ્યા પણ હોય છે. ત્યારપછી હોતી નથી. કારણ કે તેવા પ્રકારના ભવસ્વભાવથી તેજોલેશ્યા યોગ્ય દ્રવ્યને ગ્રહણ કરવાની તેઓની શક્તિ નથી. માટે તેજોલેશ્યા સૂત્રમાં કહ્યું છે–તેવત્તેણે ૩વવન, નો વેવ તે જોસે ૩વેવ' ઇતિ. તેજોવેશ્યાવાળો ઉત્પન્ન થાય છે, પણ તેજોલેશ્યાવાળો ઉદ્વર્તતો નથીમરણ પામતો નથી. જેમ પૃથિવીકાયિકોના ચાર સૂત્રો કહ્યાં તેમ અપ્લાયિક અને વનસ્પતિકાયિકના પણ કહેવાં. કારણ કે તેઓને પણ અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યાનો સંભવ છે. તેજસ્કાયિક, વાયુ, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પ્રત્યેકને ત્રણ સૂત્રો કહેવાં. કારણ કે તેઓને તેજલેશ્યાનો અસંભવ છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો જેમાં પ્રથમની ત્રણ લેગ્યામાં પૃથિવીકાયિકો કહ્યા તેમ છએ લેગ્યામાં કહેવા. કારણ કે છ લેગ્યામાંની કોઇપણ વેશ્યા વડે તેઓની ઉત્પત્તિનો સંભવ છે, અને ઉત્પત્તિ સંબન્ધી એક એક વેશ્યાના વિષયમાં ઉદ્વર્તનાને વિષે છ એ વિકલ્પોનો સંભવ છે. સૂત્રપાઠ આ પ્રમાણે છે–“સે નૂi भंते! कण्हलेस्से पंचिंदियतिरिक्खजोणिए कण्हलेस्सेस पंचिंदियतिरिक्खजोणिएस उववज्जइ. कण्हलेस्से उववइ. जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ? हन्ता गोयमा! कण्हलेस्से पंचिंदियतिरिक्खजोणिए कण्हलेस्सेसु पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जइ, सिय कण्हलेस्से उववट्टइ, सिय नीललेस्से उववट्टइ, सिय काउलेस्से . उववट्टइ, सिय पम्हलेस्से उववट्टइ, सिय सुक्कलेस्से उववट्टइ, सिय जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ।'-3 ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેશ્યાવાળો ઉદ્વર્તે? જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે? હા ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ કૃષ્ણલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, કદાચ કૃષ્ણલેશ્યાવાળો, કદાચ નીલલેશ્યાવાળો, કદાચ કાપોતલેશ્યાવાળો કદાચ તેજોવેશ્યાવાળો કદાચ પદ્ગલેશ્યાવાળો અને કદાચ શુક્લલેશ્યાવાળો ઉદ્વર્તે, કદાચ જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે. એ પ્રમાણે નીલ, કાપોત, તેજસ્ પદ્મ અને શુક્લલેશ્યા સંબન્ધ સૂત્રો કહેવાં. “વાસંતરાં નહીં અસુરકુમારી' વન્તરો અસુરકુમારોની જેમ કહેવા. એટલે તેઓ સંબધે જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે-એમ કહેવું. કારણ કે સર્વ દેવોને વેશ્યાનો પરિણામ પોતાના ભવ સુધી નિરંતર હોય છે. એ પ્રમાણે વેશ્યાની સંખ્યાનો વિચાર કરી જ્યોતિષ્ક અને વૈમાનિક સંબધે સૂત્રો કહેવાં. પરંતુ વક્તિ'–વે છે એવો પાઠ કહેવો. એ પ્રમાણે એક એક વેશ્યા સંબધે ચોવીશ દંડકના ક્રમથી નૈરયિકાદિ સંબન્ધ સૂત્રો કહેવાં. તેમાં કોઈ આશંકા કરે કે થોડા એવા એક એક નારકાદિ સંબધે આ સૂત્રસમૂહ છે, જ્યારે ઘણા - ભિન્નવેશ્યાવાળા નેરયિકાદિ તે ગતિમાં ઉત્પન્ન થાય ત્યારે વસ્તુસ્થિતિ અન્યથા પણ હોય, કારણ કે એક એક વ્યક્તિના ધર્મની અપેક્ષાએ સમુદાયનો ધર્મ ક્વચિત્ અન્યથા જણાય છે. તેથી તે આશંકા દૂર કરવા માટે જેઓને જેટલી વેશ્યાઓનો સંભવ છે તેઓને એક સાથે તેટલી વેશ્યાઓ સંબધે એક એક સૂત્ર ઉપર કહેલા અર્થ વાળું પ્રતિપાદન કરે છે–“સે – પંતે! દત્તેસે નીતસે વાડજોસે ગેરરૂપ વ્હલ્લેસ્લે નીત્તત્તેક્ષેતુ વાસલૅસેતુ રહ્યું ૩વવજ્ઞ' ઇત્યાદિ. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોતલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ સમગ્ર સૂત્ર સુગમ છે. ll૨૮૫૦૨ા , 56
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy