________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं तइओउद्देसो नयमएणं २४ दंडएसु उववाय-उव्वट्टणाओ ||સત્તરમં યં-તોરલો ||
|| નયમgi દંડાયુ વવાય-વટ્ટનો || नेरइए णं भंते! नेरइएसु उववज्जइ, अनेरइए नेरइएसु उववज्जइ? गोयमा! नेरइए नेरइएसु उववज्जइ, नो अनेरइए नेरइएसु उववज्जइ, एवं जाव वेमाणियाणं। नेरइए णं भंते! नेरइएहिंतो उववट्टइ, अनेरइए नेरइएहिंतो उववदृति? गोयमा! अनेरइए नेरइएहिंतो उववदृति, णो नेरइए नेरइएहिंतो उववट्टइ। एवं जाव वेमाणिए, नवरं जोइसियવેમાળપણુ વય'તિ મનાવો વાયબ્યો સૂ૦-રદા૧૦૦ (મૂળ) હે ભગવન્! નરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક-નરયિક સિવાય અન્ય નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે
ગૌતમ! નરયિક નરયિકોમાં ઉત્પન્ન થાય, પણ નરયિક સિવાય અન્ય નરયિકોમાં ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નરયિક નૈરિયકોથી ઉદ્વર્તે, મરણ પામે છે અનૈરયિક-નરયિકથી અન્ય નરયિકો થકી ઉદ્વર્તે? હે ગૌતમ! અનેરયિક નૈરયિકોથી ઉદ્વર્તે પણ નરયિક નૈરયિકોથી ન ઉદ્વર્તે. એ પ્રમાણે વૈમાનિક સુધી
જાણવું. રં૬પ૦૦ (ટી.) બીજો ઉદેશક કહ્યો, હવે ત્રીજા ઉદેશકનો પ્રારંભ થાય છે તેનું આ પ્રથમ સૂત્ર છે—“ફા બોનેર; ૩વવજ્ઞ'? “હે ભગવન્! નરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ. આ સત્રનો આ સંબન્ધ છે—બીજા ઉદેશકમાં નારકાદિ જીવોને વેશ્યાની સંખ્યા, અલ્પબહત્વ અને મહર્તિકપણું કહ્યું. અહીં તે તે વેશ્યાઓ ઉપપાતક્ષેત્રને પ્રાપ્ત થયેલા જ નારકાદિ જીવોને હોય છે કે વિગ્રહગતિમાં પણ હોય છે?—એ અર્થનું પ્રતિપાદન કરવા માટે પૂર્વે અન્ય નયની અપેક્ષાએ નારકાદિરૂપ વ્યવહાર સંબધે પ્રશ્ન કરે છે– હે ભગવન્! નરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક-નરયિક સિવાય બીજો નૈરયિકોમાં ઉત્પન્ન થાય? આ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે– હે ગૌતમ! નરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, પણ અરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થતો નથી.” શા હેતુથી? કારણ કે નારકાદિ ભવનો સંબન્ધ કરાવનાર આયુષ્ય જ છે, બીજું કાંઈ નથી. જેમકે નારકનું આયુષ્ય ઉદયમાં આવે ત્યારે નારકભવ અને મનુષ્યાયુષ્યનો ઉદય થાય ત્યારે મનુષ્ય ભવ હોય છે વગેરે, તેથી નારકાદિના આયુષ્યના ઉદયને પ્રથમ સમયે જ નારકાદિરૂપ વ્યવહાર થાય છે. આ ઋજુસૂત્ર નયનો મત છે
ઋજુસૂત્ર નયનું સ્વરૂપ નિરૂપણ કરતાં આ પ્રમાણે કહ્યું છે– • "पलालं न दहत्यग्निर्भिद्यते न घटः क्वचित्। नाशून्ये निष्क्रमोऽस्तीह न च शून्यं प्रविश्यते ॥१॥
नारकव्यतिरिक्तश्च नरके नोपपद्यते। नरकान्नारकश्चास्य न कश्चिद् विप्रमुच्यते" ॥२॥ ‘પરાળ બળતું નથી, પણ અગ્નિ બળે છે, ક્વચિત્ ઘટ ફુટતો નથી, પણ કપાલ ફુટે છે–એટલે કપાલાવસ્થામાં ઘટ ફુટે છે. અશૂન્યમાં-અશૂન્યાવસ્થામાં નિષ્કમ હોતો નથી, તેમ શૂન્યમાં પ્રવેશ થતો નથી. તાત્પર્ય એ છે કે નિષ્ઠમ સમયે અશૂન્યાવસ્થા હોતી નથી, તેમ પ્રવેશસમયે શૂન્યાવસ્થા હોતી નથી. નારક સિવાય બીજો નરકમાં ઉત્પન્ન થતો નથી, તેમ કોઇ નારક આ નરકથી મુક્ત થતો નથી.’ એ પ્રમાણે નરયિકને કહ્યું તેમ વૈમાનિક સંબન્ધી સૂત્ર પર્વત કહેવું, અને તે સુગમ હોવાથી સ્વયં વિચારવું. હવે નૈરયિકોમાં ઉદ્વર્તના સંબન્ધ સૂત્ર કહે છે–અનેરા માં તે! નેરડતો વવડ' ઇત્યાદિ. આ સૂત્ર પણ ઋજુસૂત્ર નયના મતથી જાણવું. તે આ પ્રમાણે—જ્યારે પરભવના આયુષ્યનો ઉદય થાય છે ત્યારે જીવ ત્યાંથી ઉદ્વર્તે છે-એટલે તે ભવથી ભવાન્તરમાં જાય છે. અને જે ભવનું આયુષ્ય ઉદયમાં આવ્યું હોય તે ભવરૂપે તેનો વ્યવહાર થાય છે, જેમ નારકાયુષ્યનો ઉદય થતાં “આ નારક છે' એવો વ્યવહાર થાય છે. તેથી નૈરયિકોથી અનેરયિક જ ઉદ્વર્તે છે, પણ નરયિક ઉદ્વર્તતો નથી. જ્યાં સુધી નારકાયુષ્યનો ઉદય હોય છે ત્યાં સુધી તે નૈરયિક જ છે અને તે નારકભવથી મુક્ત થતો નથી, પણ
જ્યારે પરભવના આયુષ્યનો ઉદય થાય છે ત્યારે તે નરયિક નથી, અનેરયિક છે અને તેથી અનેરયિક ઉદ્વર્તે છે-મરણ પામે . 52