________________
सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु जीवेसु-सलेस्सेसु २४ दंडएसु इड्डिअप्पाबहुयं श्री प्रज्ञापना सूत्र भाग २ (મૂ૦) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મોટી ઋદ્ધિવાળા
છે? હે ગૌતમ! જેમ જીવોને કહ્યું તેમ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મોટી ઋદ્ધિવાળા છે? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યચોથી નીલલેશ્યાવાળા મહર્તિક છે. નીલલેશ્યાવાળા તિર્યચોથી કાપોતલેશ્યાવાળા મહદ્ધિક છે અને કાપોતલેશ્યાવાળા તિર્યચોથી તેજોલેશ્યાવાળા મહર્તિક છે. સૌથી અલ્પઋદ્ધિવાળા કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યો છે, અને સૌથી મહદ્ધિક તેજોલેશ્યાવાળા (એકેન્દ્રિયતિર્યંચો) છે. એ પ્રમાણે પૃથિવીકાયિકોને પણ જાણવું. એમ આ પાઠ વડે જેમ વેશ્યાઓનો વિચાર કર્યો તેમ થાવત્ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. સંમૂર્છાિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો, તિર્યંચ સ્ત્રીઓ, એ બધાને એ પ્રમાણે કહેવું. યાવત્ અલ્પઋદ્ધિવાળા તેજોવેશ્યાવાળા વૈમાનિક દેવો છે, અને સૌથી મહર્તિક શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે. કોઈ આચાર્યો કહે છે કે ઋદ્ધિ ચોવીશ દંડકે કહેવી જોઇએ. //ર પ૪િ૯૯ll
પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં સત્તરમા પદનો દ્વિતીય ઉદેશક સમાપ્ત.
• *
•
અરિહંતના શાસનમાં ભૌતિક સામગ્રીની પ્રાપ્તિને જ પૂર્ણ પુણ્યનો ઉદય નથી કહ્યો. ભૌતિક સામગ્રીની સાથે શાસન પ્રત્યે વફાદાર રહેવાનું પુણ્ય જે આત્માની પાસે હોય એજ પૂર્ણ પુણ્યના ઉદયવાળો કહેવાય. અરિહંત પદની આરાધના અહંને ઓગાળવા માટે અને આત્માને અહં બનાવવા માટે જ છે. અરિહંત પદની આરાધના જેઓ અહંના પોષણ માટે કરે છે તે તો જ્ઞાનિયોની નજરમાં પોતાના આત્માનું અવમૂલ્યન કરે છે. અરિહંતની પાસે શું શું માંગવું એની યાદી આગમકારોએ બનાવીને પ્રાર્થના સૂત્ર (જયવીરાયલોગસ્સ)માં ગુંથી છે. અરિહંતની આજ્ઞાનુસાર ચાલનારા, આગમસૂત્રોને રચનારા, લીપીબદ્ધ કરનારાઓ ઉપર પણ આક્ષેપ કરનારા જયારે જિનશાસનની વફાદારીનું બ્યુગલ વગાડે ત્યારે આશ્ચર્ય થયા વગર રહેતું નથી. મિથ્યાત્વ રૂપી મહાભયંકર આત્મિક રોગથી પીડિત આત્માઓ સિવાય આવું લખાણ લખે જ કોણ? એ તો જિનાજ્ઞાનુસાર ચાલનારાઓને સહેજે સમજાય એવી વાત છે. અરિહંત દ્વારા અર્થથી ભાષિત ગણધરો દ્વારા સૂત્રથી ગુંફિત સૂત્રોના એક એક અક્ષરન અનંત પ્રકારથી અર્થ થઈ શકે છે. એમાં જે અર્થ જે પ્રસંગમાં ઉપયોગી હોય એજ અર્થ ત્યાં કરાય. ત્યાં બીજો અર્થ કરવામાં તો અનંતા અરિહંત ભગવંતોની, ગણધર ભગવંતોની આશાતનાનું પાપ બેઠું છે. એ આપણે સૌએ ભુલવું ન જોઈએ.
- જયાનંદ