SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु २४ दंडएसु अप्पाबहुयं श्री प्रज्ञापना सूत्र भाग २ કરતાં દેવીઓ દરેક નિકાયમાં બત્રીશગુણી છે, તેથી સંખ્યાતગુણી ઘટે છે. તેથી કાપોતલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. તેથી નીલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી પણ કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. અહીં પૂર્વે કહેલી યુક્તિનું અનુસરણ કરવું. તેથી કાપોતલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે. ભાવના પૂર્વે કહેલી ભાવનાને અનુસારે કહેવી-એટલે તેનું કારણ પૂર્વે કહ્યા પ્રમાણે સમજવું. તેથી નીલલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે. એ પ્રમાણે વ્યત્તર સંબન્ધ પણ ત્રણે સૂત્રનો વિચાર કરવો. ૧૮૪૯૨ एतेसि णं भंते! जोइसियाणं देवाणं देवीण य तेउलेस्साणं कयरे कयरेहिंतो? अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा. जोइसिया देवा तेउलेस्सा, जोइसिणीओ देवीओ तेउलेस्साओ संखेज्जगुणाओ ।।सू०-१९।।४९३।। (મૂળ) હે ભગવન! તેજોલેશ્યાવાળા એ જ્યોતિષિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ૦ ૪ છે? હે ગૌતમ! સૌથી થોડા તેજોવેશ્યાવાળા જ્યોતિષિક દેવો છે, તેથી તેજોલેશ્યાવાળી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. l/૧૯ll૪૯all (ટી૦) જ્યોતિષિક દેવો સંબંધે એક જ સૂત્ર છે, કારણ કે તે નિકાયમાં તેજોલેશ્યા સિવાય બીજી વેશ્યાનો અસંભવ હોવાથી દેવ અને દેવી સંબંધે બે જુદા સૂત્રો નથી. ૧૯૪૩ एएसि णं भंते! वेमाणियाणं देवाणं तेउलेस्साणं पम्हलेस्साणं सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा? गोयमा! सव्वत्थोवा वेमाणिया देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, तेउलेस्सा असंखेज्जगुणा। एतेसि णं भंते! वेमाणियाणं देवाणं देवीण य तेउलेस्साणं पम्हलेस्साणं सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा४? गोयमा! सव्वत्थोवा वेमाणिया देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, तेउलेस्सा असंखेज्जगुणा, तेउलेस्साओ वेमाणिणीओ देवीओ संखेज्जगुणाओ ।।सू०-२०।।४९४।। (મૂળ) હે ભગવન્! તેજલેશ્યાવાળા પાલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા એ વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અલ્પ૦ ૪ છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે, તેથી પદ્મવેશ્યાવાળા અસંખ્યાતગુણો છે, તેથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! તેજોલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા એ વૈમાનિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ૦ ૪ છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે, તેથી પદ્મવેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે અને તેથી તેજોલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે. //રoll૪૯૪ો (ટી) વૈમાનિક દેવ સંબધે અલ્પબહુત કહે છે–‘સિ ને અંતે ! વેમગિયા.' ઇત્યાદિ. સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે. કારણ કે લાન્તકાદિ દેવોને જ શુક્લલશ્યાનો સંભવ છે. અને તેઓ ઉત્કૃષ્ટથી પણ શ્રેણિના અસંખ્યાતમા ભાગના પ્રદેશ રાશિપ્રમાણ છે. તેથી પદ્મવેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પવાસી સર્વ દેવોને પદ્મશ્યાનો સંભવ છે. અને તેઓ શ્રેણિના અત્યંત મોટા અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ છે. લાન્તકદેવના પરિમાણનું કારણ શ્રેણિના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ તેઓના પરિમાણનો હેતુ શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતગુણ છે. તેથી પણ તેજોલેશ્યાવાળા દેવો અસંખ્યાતગુણા છે. તેજોલેશ્યા સૌધર્મ અને ઈશાનદેવોને હોય છે. અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશ રાશિના બીજા વર્ગમૂલને ત્રીજા વર્ગમૂલવડે ગુણવાથી જેટલા પ્રદેશો થાય તેટલી ઘનીકૃત લોકની એક પ્રદેશવાળી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા ઈશાનકલ્પમાં દેવદેવીઓનો સમુદાય છે, તેથી કંઈક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા ઈશાન દેવો છે. તેથી પણ સંખ્યાતગુણા સૌધર્મ કલ્પના દેવો છે. તેથી પદ્ગલેશ્યાવાળાથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. દેવીઓ સૌધર્મ અને ઈશાનકલ્પમાં જ છે અને ત્યાં કેવળ તેજોવેશ્યા છે. તેથી બીજી વેશ્યાનો સંભવ નહિ હોવાથી તે સંબંધે જુદું સૂત્ર કહ્યું નથી. હવે વૈમાનિક દેવ અને દેવીઓનું અલ્પબદુત્વ કહે છે–‘પસમાં મં! વેપાળયામાં 47
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy