________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु २४ दंडएसु अप्पाबहुयं ' હવે દેવ અને દેવીના અલ્પબહુત સંબન્ધ સૂત્ર કહે છે–‘પણ ' ઇત્યાદિ. સૌથી થોડા શુક્લલેશ્યાવાળા દેવો છે, તેથી પદ્ગલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી પણ કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી પણ કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, એટલાનો પૂર્વે વિચાર કર્યો છે. તેથી પણ કાપોતલેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે, અને તે ભવનપતિ અને વ્યન્તરનિકાયની અન્તર્ગત જાણવી. કારણ કે બીજે દેવીઓને કાપોતલેશ્યાનો અસંભવ છે. દેવીઓ દેવો કરતાં દરેક નિકાયમાં સામાન્ય રીતે બત્રીશગુણી છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા દેવોથી કાપોતલેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી પણ ઘટે છે. તેથી નીલલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. અહીં પણ પૂર્વની પેઠે વિચાર કરવો. તેથી પણ તેજોવેશ્યાવાળા દેવો સંખ્યાતગુણા છે, કારણ કે કેટલાક ભવનપતિ, વન્તરો અને બધા સૌધર્મ અને ઈશાન દેવોને તેજોલેશ્યા હોય છે. તેથી પણ તેજોલેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે, કારણ કે દેવો કરતાં દેવીઓ બત્રીશગુણી છે. ll૧૭ll૪૯૧I . एएसि णं भंते! भवणवासीणं देवाणं कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा भवणवासी देवा तेउलेस्सा, काउलेस्सा असंखेज्जगुणा, नीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया। एतेसिणं भंते! भवणवासिणीणं देवीणंकण्हलेस्साणं जाव तेउलेस्साण य कतरेकतरेहितो अप्पा वा ४? गोयमा! एवं चेव। एएसि णं भंते! भवणवासीणं देवाणं देवीण य कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरेकयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा भवणवासी देवा तेउलेस्सा, भवणवासिणीओ तेउलेस्साओ संखेज्जगुणाओ,काउलेस्सा भवणवासीदेवा असंखेज्जगुणा, नीललेस्सा विसेसाहिया,कण्हलेस्सा विसेसाहिया, काउलेस्सा भवणवासिणीओ देवीओ संखेज्जगुणाओ, नीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ, एवं वाणमंतराणं, तिन्नेव अप्पाबहुयाजहेव भवणवासीणं तहेव भाणियव्वा ।।सू०-१८।।४९२।। (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોલેશ્યાવાળા એ ભવનવાસી દેવોમાં કોણ કોનાથી અલ્પ૦ ૪ છે? હે ગૌતમ!
સૌથી થોડા તેજોવેશ્યાવાળા ભવનવાસી દેવો છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળી યાવત્ તેજોલેશ્યાવાળી એ ભવનપતિની દેવીઓમાં કોણ કોનાથી અલ્પ૦૪ છે? હે ગૌતમ! એમજ જાણવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોલેશ્યાવાળા એ ભવનવાસી દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ૦૪ છે? હે ગૌતમ! સૌથી થોડા તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવો છે, તેથી તેજલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે અને તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક
છે. એ પ્રમાણે વ્યંતર દેવોને જેમ ભવનવાસીને ત્રણ અલ્પ બહુત્વો કહ્યાં તેમ કહેવાં. I/૧૮૪૯૨ // (ટીવ) હવે ભવનવાસી દેવો સંબંધ અલ્પબદુત્વ કહે છે–‘પસિં ાં અંતે' ઇત્યાદિ સૌથી થોડા તેજોવેશ્યાવાળા છે, કારણ કે મહદ્ધિક (મોટી ઋદ્ધિવાળા) દેવો તેજોલેશ્યાવાળા હોય છે અને મહદ્ધિક તો થોડા હોય છે માટે સૌથી થોડા છે. તેથી અસંખ્યાતગુણા કાપોતલેશ્યાવાળા છે. કારણ કે અતિશય ઘણા ભવનવાસી દેવોને કાપોતલેશ્યાનો સંભવ છે. તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, કારણ કે તેથી ઘણા ભવનવાસી દેવોને નીલલેશ્યાનો સંભવ છે. તેથી પણ કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. કારણ કે તેથી પણ ઘણા ભવનવાસી દેવોને કૃષ્ણલેશ્યા હોય છે. એ પ્રમાણે ભવનપતિદેવી સંબધે પણ સૂત્ર જાણવું.
હવે ભવનપતિ દેવ અને દેવી વિષે અલ્પબદુત્વ કહે છે–પસિ ' ઇત્યાદિ. સૌથી થોડા તેજોવેશ્યાવાળા ભવનવાસી દેવો છે. અહીં યુક્તિ પૂર્વે કહી છે. તેથી તેજોલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે. કારણ કે સામાન્ય રીતે દેવો
. 46