________________
सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु २४ दंडएसु अप्पाबहुयं
श्री प्रज्ञापना सूत्र भाग २ विसेसाहिया, तेउलेस्सा संखेज्जगुणा। एएसि णं भंते! देवीणं कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवाओ देवीओ काउलेस्साओ, नीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ तेउलेस्साओसंखेज्जगुणाओ एवं। एएसिणं भंते! देवाणं देवीण य कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा,काउलेस्सा असंखेज्जगुणा, नीललेस्सा विसेसाहिया,कण्हलेस्सा विसेसाहिया,काउलेस्साओ देवीओ संखेज्जगुणाओ, नीललेस्साओ विसेसाहियाओ, कण्हलेस्साओ विसेसाहियाओ, तेउलेस्सा देवा संखेज्जगुणा, तेउलेस्साओ देवीओ संखेज्जगुणाओ ।।सू०-१७।।४९१।। (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? તે
ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા દેવો છે. તેથી પદ્મવેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળી યાવત્ તેજોલેશ્યાવાળી દેવીઓમાં કોણ કોનાથી અલ્પ૦ ૪ છે? હે ગૌતમ! સૌથી થોડી કાપોતલેશ્યાવાળી દેવીઓ છે, તેથી નીલલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી તેજોલેશ્યાવાળી સંખ્યાતગુણી છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ૦૪ છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા દેવો છે, તેથી પાલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી નીલ અને કૃષ્ણલેશ્યાવાળા અનુક્રમે વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી તેજોલેશ્યાવાળા દેવો સંખ્યાતગુણા છે, અને તેથી તેજોલેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે. //
૧ ૪૯૧/l. (ટી) હવે દેવ સંબન્ધ અલ્પબહુત કહે છે–પ્રતિ નં અંતે રેવાળ' ઇત્યાદિ. સૌથી થોડા શુક્લલેશ્યાવાળા દેવો છે, કારણ કે લાન્તકાદિ દેવલોકમાં જ શુક્લલેશ્યાવાળા દેવો હોય છે. તેથી પદ્મવેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે સનસ્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પમાં પદ્મવેશ્યા હોય છે અને તેઓ લાન્તકાદિ દેવો કરતાં અસંખ્યાતગુણા છે. તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે સનસ્કુમારાદિ દેવો કરતાં અસંખ્યાતગુણા ભવનપતિ અને વ્યન્તર દેવોમાં કાપોતલેશ્યાનો સંભવ છે. તેથી પણ નીલેશ્યાવાળા વિશેષાધિક છે, કારણ કે ઘણા ભવનપતિ અને વ્યન્તરને નીલલેશ્યાનો સંભવ છે, તેથી પણ કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, કારણ કે અતિ ઘણા ભવનપતિ અને વ્યન્તરોને કૃષ્ણલેશ્યા હોય છે. તેથી પણ તેજોવેશ્યાવાળા સંખ્યાતગુણા છે, કારણ કે કેટલાક ભવનપતિ અને વ્યન્તરને તથા સર્વ જ્યોતિર્ષિક, સૌધર્મ અને ઈશાન દેવોને તેજોલેશ્યા હોય
' હવે દેવી સંબન્ધ અલ્પબહુત કહે છે–“પતિ અંતે! તેવી' ઇત્યાદિ દેવીઓ સૌધર્મ અને ઈશાન દેવલોક સુધી જ હોય છે. આગળના દેવલોકમાં નથી માટે તેઓને ચાર જ વેશ્યાઓ હોય છે. તેથી તે સંબધે જ અલ્પબહુત કહેવાની ઇચ્છાવાળા સૂત્રકારે ‘નાવ તેવત્તેસાઇ 'યાવત્ ‘તેજોલેશ્યાવાળી’ એમ પાઠ પણ કહ્યો છે. સૌથી થોડી દેવીઓ કાપોતલેશ્યાવાળી છે. કારણ કે કેટલીક ભવનપતિની અને વન્તરની દેવીઓને કાપોતલેશ્યા હોય છે. તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, કારણ કે ઘણી ભવનપતિની અને વ્યન્તરની દેવીઓને નીલલેશ્યાનો સમ્ભવ છે. તેથી પણ કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, કારણ કે તે ઘણી દેવીઓને કૃષ્ણલેશ્યા હોય છે. તેથી તેજોલેશ્યાવાળી સંખ્યાતગુણી છે, કારણ કે જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવલોકની બધી દેવીઓને તેજોલેશ્યા હોય છે.
45