SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु २४ दंडएसु अप्पाबहुयं તિર્યો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા એ તિર્યો અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! જેમ નવમું અલ્પબહુત્વ કહ્યું તેમ આ પણ કહેવું. પરંતુ કાપોતલેશ્યાવાળા તિર્યંચો અનન્તગુણા કહેવા. એ પ્રમાણે તિર્યંચોના એ દસ અલ્પબહુત્વ કહ્યા છે. એ પ્રમાણે મનુષ્યોને પણ અલ્પબદુત્વ કહેવું. પરંતુ તેઓને છેલ્લું અલ્પબહુત્વ નથી. /૧૬/૪૯oll (ટી૦) પંચેન્દ્રિય તિર્યંચના સૂત્રમાં કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા જાણવા, પણ અનન્તગુણા ન સમજવા, કારણ કે પંચેન્દ્રિય તિર્યંચો બધા મળીને પણ અસંખ્યાતા છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોને જેમ તેજસ્કાયિકોને કહ્યું તેમ કહેવું. કારણ કે તેજસ્કાયિકોની પેઠે તેઓને પણ પ્રથમની ત્રણ વેશ્યાઓ હોય છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચના સૂત્રમાં તેજોલેશ્યાવાળા કરતાં કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા કહેવા. કારણ કે કેવળજ્ઞાનીએ તેટલાજ જાણેલા છે. બાકી બધું ઔધિક સૂત્રની પેઠે કહેવું. એ પ્રમાણે તિર્યંચ-સ્ત્રી સંબધે પણ સૂત્ર કહેવું જોઇએ, તે પ્રમાણે સૂત્રકાર કહે છે–પર્વ નિરિવમાનોની વિ'—એ પ્રમાણે - તિર્યંચ સ્ત્રી સંબધે પણ કહેવું. - હવે સંમૂર્છાિમ પંચેન્દ્રિય અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રી સંબન્ધ સૂત્ર કહે છે–‘ઈસ ને મંત!' ઇત્યાદિ. આ સૂત્ર સુગમ છે, અને તેનો પૂર્વની પેઠે વિચાર કરવો. આ પંચેન્દ્રિય તિર્યંચના અધિકારમાં છઠું સૂત્ર છે અને તેની પૂર્વે હમણાં કહ્યું તે પાંચમું સૂત્ર છે માટે કહ્યું છે કે–‘બહેવ પશ્ચમ તરી રૂમ છટું મળિયલ્વ' જેમ પાંચમું સૂત્ર કહ્યું તેમ છઠું સૂત્ર પણ કહેવું. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને તિર્યંચ સ્ત્રી વિષે સાતમું સૂત્ર કહે છે–“સ અંતે ' ઇત્યાદિ. આ સૂત્ર સુગમ છે, પરંતુ સર્વ લેશ્યાઓમાં સ્ત્રીઓ ઘણી છે. અને તે સર્વ સંખ્યા વડે પણ તિર્યંચ પુરુષો કરતાં તિર્યંચ સ્ત્રીઓ ત્રણગણી છે. કારણ કે તિગુણા તિરૂવમહિયા તિરિયાળ સ્થિય મુળયળ્યા' ‘ત્રણગુણી અને ત્રણ અધિક તિર્યંચોની સ્ત્રીઓ જાણવી'—એવું શાસ્ત્રવચન છે. તે માટે સંખ્યાતગુણી કહેલી છે, ગર્ભજ નપુંસકો થોડા છે એટલે પૂર્વોક્ત અલ્પબદુત્વને વાત કરતા નથી. હવે સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને તિર્યંચ સ્ત્રી સંબધે આઠમું, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચ સ્ત્રી વિષે નવમું અને સામાન્ય તિર્યંચો અને તિર્યંચ સ્ત્રી વિષે દશમું અલ્પબહુત કહે છે. “પતિ અંતે' ઇત્યાદિ. સૂત્રનો વિચાર પૂર્વે કહ્યા પ્રમાણે કરવો. તિર્યંચ સંબન્ધ સૂત્રની સફ્રલના કહે છે “વા રસ અબાબgT નિરિવહનોળિયાને' ઈતિ. એ પ્રમાણે તિર્યંચોના દસ અલ્પબહુત્વો તિર્યંચો સંબન્ધ છે. પરંતુ અહીં પૂર્વાચાર્યોએ બતાવેલી આ બે સંગ્રહણી ગાથાઓ છે– "ओहिय पणिंदि १ संमुच्छिमा २ य गन्भे ३ तिरिक्खइत्थीओं ४ । समुच्छगब्भतिरिया ५ मुच्छतिरिक्खी य ६ गब्भंमि ७ ॥१॥ समुच्छिमगब्भ इत्थी ८ पणिंदितिरिगित्थीयाओ ९ ओहित्थी १० । રસ અHવદુખેમા તિરિયામાં હોંતિ નાયબ્રા' રા. ૧ ઔધિક સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિય, ૨ સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય, ૩ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, ૪ તિર્યંચ સ્ત્રીઓ, ૫ સંમૂર્છાિમ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, ૬ સંમૂર્છાિમ પંચેન્દ્રિય અને તિર્યંચ સ્ત્રી, ૭ ગર્ભજ તિર્યંચ અને તિર્યંચ સ્ત્રી, ૮ સંપૂમિ, ગર્ભજ તિર્યંચ અને તિર્યંચ સ્ત્રી, ૯ પંચેન્દ્રિય તિર્યંચ અને સ્ત્રી, ૧૦ ઓઘ-સામાન્ય તિર્યંચો અને તિર્યંચ સ્ત્રી-એ તિર્યંચોના દસ અલ્પબહુત્વ જાણવાં. જેમ તિર્યંચોના અલ્પબહુત કહ્યાં તેમ મનુષ્યોને પણ કહેવાં પરતુ છેલ્લું દસમું અલ્પબહુત્વ નથી, કારણ કે મનુષ્યો અનન્ત નથી અને અનન્તા નહિ હોવાથી કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે એ પદનો અસંભવ છે. एएसिणं भंते! देवाणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साणं य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा,काउलेस्सा असंखेज्जगुणा, नीललेस्सा विसेसाहिया,कण्हलेस्सा . 44
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy